SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ જિનમાર્ગનું અનુશીલન લખાયા હોય, તેનો પણ સંગ્રહ થવો જોઈએ. વળી ભારતીય સંસ્કૃતિનાં અન્ય અંગરૂપ વૈદિક અને બૌદ્ધ સાહિત્યના ગ્રંથોનો પણ સારો એવો સંગ્રહ આવાં ગ્રંથાલયોમાં થવો જોઈએ; તો જ એ ગ્રંથાલય સંશોધન અને સંપાદનની દૃષ્ટિએ સર્વાંગસંપૂર્ણ બની શકે. મુખ્યત્વે વેપાર-ઉદ્યોગ કે નોકરી જેવા વ્યવસાયમાં વ્યસ્ત રહેતા આપણા ગૃહસ્થવર્ગને અને સાધુજીવનની નિત્યની કે પ્રાસંગિક ધાર્મિક ક્રિયાઓ, થોડોક અભ્યાસ અને ધર્મોપદેશથી સંતુષ્ટ રહેતા આપણા મોટા ભાગના ગુરુવર્ગને પૌવંય વિદ્યાઓના જાણકાર દેશ-વિદેશના અનેક વિદ્વાનો દ્વારા જૈન સંસ્કૃતિનાં જુદાંજુદાં અંગો વિષે જુદીજુદી ભાષાઓમાં સમયે-સમયે, અનેક નાના-મોટા સંશોધનાત્મક લેખો કે ભારતીય સંસ્કૃતિને લગતાં પુસ્તકોમાં જૈનધર્મને લગતાં પ્રકરણો લખાય છે એનો ભાગ્યે જ ખ્યાલ રહે છે. આવી બધી સાહિત્ય-સામગ્રીથી આપણે માહિતગાર રહીએ, તેમ જ એ સામગ્રીનો જૈન સંસ્કૃતિનું ગૌરવ વધારવાની દૃષ્ટિએ સમુચિત ઉપયોગ કરી શકીએ – એ ત્યારે જ બને કે જ્યારે પૂરેપૂરી જાગૃતિ અને વ્યાપક દૃષ્ટિ રાખીને આવી બધી સામગ્રીને એકત્ર કરી શકે એવાં ગ્રંથાલયો આપણી પાસે હોય. આવાં ગ્રંથાલયોની સ્થાપના માટે મુંબઈ, અમદાવાદ, ભાવનગર, દિલ્હી, બનારસ, કલકત્તા, મદ્રાસ, બેંગલોર અને મૈસુર જેવાં કેન્દ્રરૂપ સ્થાનોની પસંદગી કરી શકાય. પણ આ સ્થાનોનો નિર્ણય તો ક્યાંના સ્થાનિક સંઘમાં કેટલો ઉત્સાહ છે, તેમ જ દેશનાં મહત્ત્વનાં સ્થાનોના સંઘનો એ કેટલો સહકાર મેળવી શકે છે અને બીજી કેટલી અનુકૂળતાઓ સાંપડી શકે છે, એના ઉપરથી વધારે સારી રીતે કરી શકાય. શેખચલ્લીપણાનો દોષ વહોરીને પણ એવો ય વિચાર વ્યક્ત કરી શકાય કે આવાં ગ્રંથાલયોની સ્થાપના અને એના સંચાલન માટે એક માતબર મધ્યસ્થ સંસ્થા હોય, અને એના દ્વારા જ, આવાં મોટાં ગ્રંથાલયોની સ્થાપનાનો પ્રયત્ન કરવામાં આવે. એ ધ્યાનમાં રહે કે આપણે અહીં શાસ્ત્રીય રીતે વ્યવસ્થિત અને વિશિષ્ટ તાલીમ લીધેલ ગ્રંથપાલ દ્વારા સંચાલિત ગ્રંથાલયોની વાત કરીએ છીએ. વળી વિદ્વાનોને એમના સંશોધનના કાર્યમાં ઉપયોગી થાય એવા ગ્રંથાલયની જ આ વાત છે; એવા ગ્રંથાલયને પૂરેપૂરી રીતે ઉપયોગી બનાવવા માટે નવાં નવાં પ્રગટ થતાં ઈતિહાસ, તત્ત્વજ્ઞાન, પુરાતત્ત્વ જેવા વિષયોનાં અને સંશોધનકાર્યમાં જરૂરી હોય એવાં પુસ્તકો, તેમ જ એ જ વિષયને લગતાં વિવિધ સામયિકો મગાવવાની પૂરી જોગવાઈ હોવી જોઈએ એ કહેવાની જરૂર ન હોય. વળી, જ્યારે આપણે આવાં ગ્રંથાલયોનો વિચાર કરીએ, ત્યારે એની સાથે એક સુવિદ્વાનું ગ્રંથપાલ રાખવાનો વિચાર આપોઆપ સંકળાઈ જાય છે. એટલે કે આવાં કેન્દ્રસ્થ જૈન ગ્રંથાલયો જ્યારે અને જ્યાં પણ આપણે સ્થાપીએ ત્યારે એમાં જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy