SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિનાં મૂળતત્ત્વો (૧) કેવી ઝંખના ! કેવું દર્શન! કેવી સિદ્ધિ! આ લખાય છે ત્યારે અમેરિકાના બે અવકાશી વીરો ચંદ્ર ઉપર સફળ ઉતરાણ કરવાનું અપૂર્વ સાહસ ખેડીને ધરતી ઉપર પાછા આવવા રવાના થઈ ગયાના આનંદસમાચાર મળ્યા છે, અને આ નોંધ વંચાતી હશે ત્યારે તો ચંદ્ર ઉપર ઉતરાણ કરનાર બંને સાહસિકો અને “એપોલો યાન ૧૧'ને ફરતું રાખનાર એમના એક સાથી – એમ ત્રણે બહાદુરો સહીસામલત પૃથ્વી ઉપર ઊતરી પણ ચૂક્યા હશે; અને કલ્પનામાં પણ ભાગ્યે જ આવી શકે એવું સાહસ નક્કર સત્ય રૂપે આપણી સામે ઊભું હશે. આવી અદ્દભુત અને અસાધારણ સિદ્ધિ એ કંઈ અકસ્માત કે એકાદ છૂટાછવાયા પ્રયત્નનું પરિણામ ન હોઈ શકે; એની પાછળ તો વર્ષોના અવિરત પુરુષાર્થનું અર્થાત્ કેટલાંય વર્ષોની વિચારણા અને વૈજ્ઞાનિક સંશોધન-પ્રવૃત્તિનું બળ રહેલું હોય છે. ઉપરાંત એમાં ભાવનાનું બળ પણ જોઈએ જ. અહીં તો આવા બે જ હૃદયસ્પર્શી પ્રસંગોની નોંધ લેવાનું વિચાર્યું છે. આમાંનો પહેલો પ્રસંગ છે અમેરિકાના સદૂગત પ્રમુખ જ્હોન કેનેડીનો : આજથી આઠ વર્ષ પહેલાંનો એ સમય હતો : તા. ૨૫-૫-૧૯૬ ૧. પ્રેસિડેન્ટ જહોન કેનેડી અને એમના કુટુંબના કેટલાક સભ્યો એમની ઓફિસમાં બેઠા હતા. એ વખતે એક આરામ-ખુરશીમાં બેઠાં-બેઠાં એમણે કહ્યું : એક દાયકામાં તો અમેરિકાએ ચંદ્ર ઉપર માનવીને મોકલવાનું કામ સફળ કરવું જ જોઈશે. “હું ગમે તે ભોગે આ કામ પાર પાડવા બંધાયો છું, અને કદાચ મારો આ નિર્ણય પૂરો થાય એ પહેલાં મારું મોત થાય, તો તમે યાદ રાખજો કે જ્યારે પણ આ કાર્ય સફળ થશે, ત્યારે અહીંની જેમ જ આરામ-ખુરશીમાં બેઠો-બેઠો, સ્વર્ગમાંથી તમારા સૌ કરતાં વધુ સારી રીતે હું એ દશ્ય નિહાળતો હોઈશ !” આ પ્રસંગની હકીકત પ્રેસિડેન્ટ કેનેડીના સાળા શ્રી શ્રીવેરે હમણાં જ મિયામી હેરલ્ડ” પત્રના ખબરપત્રીને કહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy