SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ જિનમાર્ગનું અનુશીલન મતભેદ આવી જ પડે તો એનો સમુચિત નિકાલ ન થાય ત્યાં સુધી એની ચર્ચાને અળગી રહેવા દઈ, બીજી બાબતોમાં ખભેખભા મિલાવીને ચાલવું એ સાચો રચનાત્મક માર્ગ ગણાય. થાળીમાં પીરસાયેલી વાનગીઓમાંથી અમુક ન ભાવતી હોય તો તેને બાજુએ રહેવા દઈ બીજીને ન્યાય આપવામાં આવે છે. વળી મતભેદ અનિવાર્ય જ બને, તો સૌને પોતપોતાની માન્યતા કે સમજણ મુજબ વર્તવા દઈ એ મતભેદના નિકાલ માટે સહૃદયતાપૂર્વક માર્ગ શોધ્યા કરવો અને જય-પરાજયની બાલિશતાભરી વાતોથી સાવ વેગળા રહેવું એ ત્યાર પછીની ફરજ. બીજાના ભિન્ન વર્તનને નભાવી લેવાની ઉદારતા કે સત્યને અપનાવવાની સહૃદયતા ન હોય, તો એવા મતભેદો મનભેદ બની ગયા વગર ન જ રહે. જૈન સમાજ, કમનસીબે, તિથિચર્ચાના કારણે પહેલાં બીજાં-બીજાં પણ કારણો હતાં જ) અત્યારે મનભેદની ભયંકર ભૂમિકા ઉપર આવી ઊભો છે. સમાજનું નિર્ભેળ લ્યાણ વાંછતી પ્રત્યેક વ્યક્તિની ફરજ છે, કે આવી ભૂમિકાને દુરસ્ત કરવાનો જ માર્ગ અખત્યાર કરે; પણ જાયે-અજાણ્યે પણ એ ભયંકરતામાં રજમાત્ર પણ ઉમેરો પોતાથી ન થઈ જાય એની સતત ખબરદારી રાખે. આવી ખબરદારી ત્યારે જ સંભવી શકે, જ્યારે આપણું હૃદય અહંકાર, અંધશ્રદ્ધા, મમત, કદાગ્રહ ને પક્ષવ્યામોહ જેવી મલિન વૃત્તિઓથી મુક્ત બનીને વિવેકથી જળહળે. જે પક્ષે તિથિચર્ચાને જન્મ આપ્યો છે, તે તો, દુંદુભિ' કહે છે તેમ, એમ જ માને છે, કે તિથિચર્ચા કે અન્ય મતભેદો ઊભા હોય ત્યાં લગી સાચી એકતા શક્ય જ ન બને. જો આમ જ હોય, તો એકતા સામે તિથિચર્ચા એક મોટો ખડક બની રહેવાની ! અમે ઇચ્છીએ છીએ કે તિથિચર્ચાના પુરસ્કર્તા માનુભાવો આ ચર્ચાને આવા ભયંકર ખડકનું રૂપ લેતી અટકાવે. પણ આ પક્ષને સમાજમાં પોતાનું જ વર્ચસ્વ જમાવવાની જે મહત્ત્વાકાંક્ષા વળગેલી છે અને એ કારણે તે ગમે તે રીતે ભાગલા-નીતિને અપનાવી અલગતાનું પોષણ કરવાને ટેવાઈ ગયેલ છે, તે જોતાં આ ઇચ્છા ફળે એવો બહુ ઓછો સંભવ છે. સાવ નજીકનો જ એક પ્રસંગ તેની આ મનોવૃત્તિની સાખ પૂરે છે : આપણી કૉન્ફરન્સનાં કાર્યોમાં પોતાનો સહકાર આપવા માટે આ પક્ષની એવી માગણી કે શરત હતી, કે કૉન્ફરન્સે પોતાનો દીક્ષાનો ઠરાવ પાછો ખેંચીને માલેગામ ઐક્ય-સમિતિએ તૈયાર કરેલા ઠરાવ પસાર કરવા. ફાલના કોન્ફરન્સે આ માગણીનો બરાબર અમલ કર્યો. બધાએ ક્ષણભર માન્યું કે હવે આ પક્ષ મધ્યમવર્ગની રાહત કે એનાં જેવાં બીજાં ખૂબ મહત્ત્વનાં કાર્યોમાં કોન્ફરન્સને સાચો સહકાર આપશે. પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy