SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ જિનમાર્ગનું અનુશીલના (૧૪) તેરાપંથમાં ધરમૂળનું પરિવર્તન? નકવાસી જૈન સંપ્રદાયમાંથી નીકળેલ તેરાપંથી જૈન સંપ્રદાયને આપણે સામાન્ય રીતે મૂર્તિનો નિષેધ કરનાર ઉપરાંત દયા અને દાનનો નિષેધ કરનાર સંપ્રદાય તરીકે ઓળખીએ છીએ. આ પંથમાં, એની સ્થાપનાથી માંડીને અત્યાર સુધીમાં, હંમેશા એક જ આચાર્યને નીમવાની અને એમની આજ્ઞામાં આખા સંઘે રહેવાની પ્રથા ચાલી આવે છે. આ મુજબ અત્યારે આ પંથના નવમા આચાર્ય શ્રી તુલસીરામજી ગણી છે. - આ પંથને આપણે જે રીતે પિછાણીએ છીએ તેની, ચારેક વર્ષ પહેલાં (સં. ૨૦૦૫ના ફાગણ શુદિ બીજના દિવસે), અણુવતી સંઘની સ્થાપના કર્યા પછી આ પંથનો જે રીતે આમ જનતામાં પ્રચાર કરવામાં આવે છે તેની સાથે તુલના કરતાં એ પંથની એક કાળની ધાર્મિક માન્યતાઓમાં ધરમૂળનું પરિવર્તન આવતું હોય એમ લાગ્યા વગર નથી રહેતું. સમયના પલટા સાથે એ પંથના મોવડીએ ધર્મપ્રચારમાં પણ જાણે નખશિખ ફેરફારને અપનાવી લીધો હોય એમ પણ સહજ રીતે દેખાઈ આવે છે. આ સંપ્રદાયના, કલકત્તાથી રાષ્ટ્રભાષામાં પ્રગટ થતા ‘વિવરણ-પત્રિકા' સાપ્તાહિકના તા. ૪-૧૨-૧૯૫૨ના અંકના અગ્રલેખમાંનું નીચેનું લખાણ આપણને આ વાતની ખાતરી કરાવે એવું છે. અત્યારની વિશ્વમાં પ્રવર્તતી અશાંતિ અને તેના ઉપાયનું સૂચન કર્યા પછી, આ અગ્રલેખમાં લખવામાં આવ્યું છે – આચાર્ચ તુલસીએ જોયું. કે જો દુનિયા ભગવાન મહાવીરે કહેલ અણુવ્રતોને સ્વીકારી લે, તો એને ડરવાની કશી જ જરૂર નથી, અને યુદ્ધને નોતર્યા વગર જ એની સમસ્યાઓ હલ થઈ જશે – વ્યક્તિગત આધ્યાત્મિક ભૂમિકા જ નહીં, પણ સામુદાયિક ભૂમિકા પણ ઉન્નત થઈ જશે. તેથી તેઓએ એ પ્રાચીન છતાં નિત્ય નવીન માર્ગને દુનિયાની સામે રજૂ કરવાનો નિશ્ચય કર્યો. અહિંસાની ભાવના બીજાઓના હક્કોના રક્ષણ તરફ વળશે, તો સ્વાભાવિક રીતે જ વિરોધ ઓછો થઈ જશે. જ્યારે સત્યનો માર્ગ સ્વીકારાશે, ત્યારે સંદેહ અને શંકા આપોઆપ ચાલ્યાં જશે. જ્યારે ચોરીથી સ્વાર્થની સાધના અટકી જશે, ત્યારે ઠગવિદ્યાના વિકાસનો માર્ગ જ રોકાઈ જશે. બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવતાં અસંયમ એક સ્વપ્ન બની જશે. અપરિગ્રહની સામે લોભ અને સત્તાલાલસા તેજહીન બની જશે. આ રીતે અણવ્રતી આંદોલનનું પુન:પ્રવર્તન થયું. પણ આચાર્યશ્રીએ એ પણ જોયું, કે અણુવ્રતોનો પ્રચાર ન તો શક્તિના બળે થઈ શકે છે કે ન તો એને સાંપ્રદાયિક વાડામાં ગોંધી રાખી શકાય એવો છે. આ તો દુનિયાની સમસ્યાઓને હલ કરવાની ચાવી છે, અને પ્રત્યેક સ્ત્રી-પુરુષને એને અપનાવવાનો અધિકાર છે. તેથી તેઓએ અણુવતી આંદોલનને પોતાના સંપ્રદાય સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy