SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૨ ૨૬૧ આ પછી ત્રીજા અને ચોથા ઠરાવમાં મૂર્તિખંડનની તેમ જ એવી બીજી દુર્ઘટનાઓ માટે ખેદ વ્યક્ત કરીને એ તરફ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું; તેમ જ પ્રાચીન અવશેષોના રક્ષણ માટે સંગ્રહાલયની જરૂરનો પણ સ્વીકાર કરવામાં આવ્યો. આ પ્રસંગે સાહુ શાંતિપ્રસાદજીએ સંગ્રહાલય જેવા કાર્ય માટે અઢી લાખ રૂપિયા જેવી મોટી રકમ આપવાની જાહેરાત પણ કરી હતી. આ કન્વેન્શનમાં નક્કી થયા પ્રમાણે દિગંબર જૈન તીર્થોના સંરક્ષણ વગેરેનો વિચાર કરવા માટે દિગંબર-જૈનતીર્થ-કન્વેન્શન ચાલુ ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં મળવાનું હતું. પરંતુ હવે જાણવા મળે છે, કે તે ટૂંક સમયમાં મુંબઈમાં મળવાનું છે. આ રીતે દિગંબર સમાજે એક સ્તુત્ય પ્રયાસ હાથ ધર્યો છે. એ માટે એમાં થોડો-ઘણો પણ સાથ આપનાર સૌને ધન્યવાદ ઘટે છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજે તેમ જ ઈતર જૈન સમાજોએ પણ આમ પોતાની આંતરિક એકતા સાધવા જાગૃત થવું જોઈએ. આ તબક્કે જે. મૂ. જૈન સમાજમાં એકતા માટેના બે નિષ્ફળ ગયેલા પ્રયાસોનું સ્મરણ કરવું ઉચિત લાગે છે. એક તો છેલ્લાં કેટલાંય વર્ષથી ભાવનગરની ત્રણ સાહિત્યસંસ્થાઓ શ્રી જૈનધર્મ પ્રસારક સભા, શ્રી આત્માનંદ જૈન સભા અને શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાનું એકીકરણ કરવાના વિચારો અને અમુક પ્રયાસો થયા છે, પણ એ સફળ થયા નથી. જો વિશાળ દૃષ્ટિએ વિચારવામાં આવે, તો આ સંસ્થાઓના એકીકરણથી જે મહાન લાભ થવાની શક્યતા છે એ સમજાયા વગર ન રહે. એ જ રીતે વર્ષ-દોઢ વર્ષ પહેલાં ધાર્મિક પરીક્ષા લેતી આપણી પાંચે સંસ્થાઓના અભ્યાસક્રમના એકીકરણનો પ્રયત્ન નિષ્ફળ જવા છતાં અમને એ જરૂર ફરી કરવા જેવો લાગે છે. | દિગંબર સમાજની બે સંસ્થાઓના એકીકરણને વધાવી લેતાં જૈનમિત્ર' એના તા. ૨૨-૧-૧૯૫૯ના અંકના અગ્રલેખમાં ધાર્મિક પરીક્ષાની એકતા અંગે આવી જ ભાવના વ્યક્ત કરતાં કહ્યું છે: અમે તો ઇચ્છીએ છીએ કે માણિકચન્દ પરીક્ષાલય અને મહાસભા પરીક્ષાલયનું પણ એકીકરણ થવું જોઈએ. બંને પરીક્ષાલયોના એકીકરણથી વિદ્યાર્થીઓને, સમાજને અને સંચાલકોને બધાંને લાભ આ રીતે આપણે જાગીએ અને ઇચ્છીએ તો અનેક નાની-નાની સંસ્થાઓનું એકીકરણ કરીને એક સમર્થ સંસ્થા ઊભી કરી શકીએ. (તા. ૧૨-૧૨-૧૯૫૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy