SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ જિનમાર્ગનું અનુશીલન દિલ્હીમાં, બે માસ પહેલાં, ત્રીજી-ચોથી ઓક્ટોબરના દિવસો દરમિયાન સાહુ શ્રી શાંતિપ્રસાદજીના પ્રમુખપદે અખિલ ભારતીય દિગંબર-જેન કન્વેન્શન બોલાવવામાં આવ્યું અને એમાં અત્યારની પરિસ્થિતિમાં એકતાની કેટલી જરૂર છે એ સંબંધી લંબાણથી વિચારણા કરીને ભારતવર્ષીય દિગંબર જૈન મહાસભા અને ભારતવર્ષીય દિગંબર જૈન પરિષદ – એ બે સંસ્થાઓના એકીકરણની યોજના તૈયાર કરવામાં આવી. આ યોજના અનુસાર મહાસભા વધારે જૂની સંસ્થા હોવાથી પરિષદે એમાં સમાઈ જવું, અને પરિષદના સભ્યોને પોતામાં સમાવી લેવા માટે તેમ જ બીજા પણ મહાસભાના સભ્યો બની શકે એ માટે મહાસભાએ પોતાના બંધારણમાં જરૂરી સુધારો કરવો એમ નક્કી કરાયું. આ સંબંધી પહેલો ઠરાવ નીચે પ્રમાણે છે : ભારતવર્ષના દિગંબર જૈન ભાઈઓનું આ કન્વેન્શન એ વાતનું સમર્થન કરે છે, કે સમાજની આગેવાની એક સંસ્થાના હાથમાં હોવી જોઈએ. દિગંબર જૈન મહાસભા સમાજની સૌથી વધારે જૂની સંસ્થા હોવાથી આગેવાનીની જવાબદારી એને આપવામાં આવે. મહાસભાના બંધારણમાં એવો જરૂરી સુધારો કરવો કે જેથી દિગંબર જૈન ધર્મમાં શ્રદ્ધા ધરાવનાર પ્રત્યેક પુખ્ત ઉંમરની વ્યક્તિ એના સભ્ય બની શકે. આ રીતે સભ્ય બનાવવામાં બંધારણની નવમી કલમ આડે આવે છે, તેને કાઢી. નાખવામાં આવે. કન્વેન્થાન એવી પણ ભલામણ કરે છે, કે આવતાં પાંચ વર્ષ દરમિયાન સમાજની સામે તીર્થક્ષેત્રો અને ધર્મસ્થાનોની રક્ષા, સાહિત્યનું સંશોધન અને પ્રકાશન, શિક્ષણ-સંસ્થાઓની પ્રગતિ અને એનું સુસંચાલન તેમ જ યુવક-સંગઠન વગેરે કાર્યો આગળ પડતાં રહેવાનાં છે. કન્વેન્શન ભલામણ કરે છે, કે આ પાંચ વર્ષ દરમિયાન આ કામો ઉપર પૂરું ધ્યાન આપવામાં આવે, અને કોઈ પણ વિવાદાસ્પદ વિષયને કાર્યક્રમમાં સ્થાન આપીને શક્તિનો અપવ્યય કરવામાં ન આવે. આ ઠરાવનો મહાસભા અને પરિષદ પોતપોતાના નિર્ણયો કરી લઈને વ્હેલામાં હેલી તકે અમલ કરે; એ અમલ પછી પરિષદના બધા સભ્યો આપોઆપ મહાસભાના સભ્યો બની જશે.” આ રીતે બંને સંસ્થાના એકીકરણને લગતા ઠરાવ પસાર કર્યા બાદ બીજો ઠરાવ આવતાં પાંચ વર્ષમાં હાથ ધરવા ઈચ્છેલ કાર્યક્રમને પાર પાડવા માટે એકાવન સભ્યોની માર્ગદર્શક સમિતિ(સ્ટીઅરિંગ કમિટી)ને લગતો છે. એ સભ્યોની વરણી કરવાની સત્તા પરિષદના (અને કન્વેન્શનના પણ) પ્રમુખ સાહુ શાંતિપ્રસાદજીને અને મહાસભાના પ્રમુખ શેઠ ભાગચંદજી સોનીને આપવામાં આવી. દિગંબર જૈન સમાજની વતી અખિલભારતીય ધોરણે કોઈની પણ સાથે વાતચીત કરવાની સત્તા આ સમિતિને આપવામાં આવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy