SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨, ૩ ૨૨૩ અમે અહીં આપણા ધર્મગુરુઓ અને ગૃહસ્થોને ભારપૂર્વક એ જણાવવાની અમારી ફરજ લેખીએ છીએ કે અશુદ્ધ સાધનોનો ઉપયોગ કરવાનું જો હજુ પણ આપણે ચાલુ રાખીશું, તો ધર્મ ચળાશે ચાળણીએ” એ ભવિષ્યવાણીને સાચી પાડવાના દોષના ભાગીદાર આપણે પોતે જ બનીશું. માટે, પોતાના વિચારનો પ્રચાર કરવો હોય કે બીજાના વિચારનું નિરાકરણ કરવું હોય – ગમે તે કરવું હોય, તો પણ અશુદ્ધ સાધનનો તો કદી પણ ઉપયોગ થઈ જ શકે નહીં. આમ છતાં જેઓ ગાળાગાળી કે મારામારી દ્વારા ધર્મને બચાવવાનો વિચાર સેવતા હોય, તેઓ ચોક્કસ સમજી રાખે કે તેઓ એમ કરીને આંબાનું નહીં પણ કેવળ બાવળનું વૃક્ષ જ રોપી રહ્યા છે, અને એના કાંટા ભોંકાયા વગર રહેવાના નથી. સાધનની અશુદ્ધિને કારણે આપણે આપણા ધર્મને પાર વગરનું નુકસાન પહોંચાડ્યું છે. એટલે હવે તો આવા આત્મવિધ્વંસના માર્ગેથી પાછા ફરીને સાધ્યને અનુરૂપ શુદ્ધ સાધનનો આગ્રહ સેવતા થઈએ એ જ અભ્યર્થના. (તા. ૭-૧૨-૧૯૫૫) (૩) સંઘશુદ્ધિનું મુશ્કેલ છતાં સહેલું કાર્ય શ્રમણોપાસક-શ્રીસંઘ-સંમેલન આનંદપૂર્વક પૂરું થયું, અને એણે શ્રીસંઘના ગૌરવ અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો, તેથી એનાં સુમધુર સંસ્મરણો આપણને આહ્વાદ આપ્યા કરે અને એક અભૂતપૂર્વ કાર્ય કર્યાનો સંતોષ લેવા પ્રેરે એ સ્વાભાવિક છે. પણ આપણે કેવળ આવા મહાન કાર્યની યાદમાં જ રાચ્યા કરીએ એ બરાબર નથી. આપણે જે કંઈ નિર્ણયો લીધા છે અને અમલી રૂપ આપવામાં જ આ કાર્યની અને આપણી જવાબદારીની ચરિતાર્થતા રહેલી છે. વિ. સં. ૧૯૯૦ની સાલમાં મળેલ પ્રથમ મુનિસંમેલન દિવસોની લાંબી અને મહેનતભરી કામગીરીને અંતે સફળતાપૂર્વક પૂરું થઈ શકર્યું હતું, અને પાંચ વર્ષ પહેલાં (વિ. સં. ૨૦૧૪ની સાલમાં) મળેલ બીજું મુનિસંમેલન તો પંદર-પંદર દિવસની મથામણને અંતે પણ છેવટે સાવ નિષ્ફળ ગયું હતું. આ ઉપરથી એટલું તો સહેજે જાણી શકાય છે, કે નજર સામેની વિષમ પરિસ્થિતિનો તાગ લેતાં, સંઘને મૂંઝવતા પ્રશ્નોની ગંભીરતા સમજતાં અને એનો ઉકેલ શોધતાં આપણા ગુરુવર્ગને કેટલો બધો વિલંબ થાય છે ! આમ કેમ થતું હશે, એની મીમાંસામાં ઊતરવાની અત્યારે જરૂર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy