SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪૬ ૨૧૧ પંન્યાસજી મહારાજ શ્રી કલ્યાણવિજયજી ગણીએ જિનપૂજાપદ્ધતિ નામની નાની-સરખી પુસ્તિકા હિન્દી ભાષામાં લખી હતી. એ પુસ્તિકામાં જિનેશ્વર ભગવાનની મૂર્તિની પૂજાની પદ્ધતિમાં ક્રમે ક્રમે કેવો ફેરફાર થતો રહ્યો છે અને પૂજાનું મૂળ રૂપ કેવું હતું એ સંબંધી ઇતિહાસ અને શાસ્ત્રોના પુરાવા તેમ જ દલીલોને આધારે જે આધારભૂત, વિચાર-પ્રેરક અને માહિતી પૂર્ણ હકીકત રજૂ કરવામાં આવેલ છે, એણે જેમ એક બાજુ ઇતિહાસ અને તુલનાત્મક દૃષ્ટિવાળા વિચારકો અને વિદ્વાનોની ખૂબ પ્રશંસા મેળવી હતી, તેમ બીજી બાજુ વિવેકને વેગળો મૂકીને કેવળ જૂનું (ચીલાચાલુ) તેટલું સોનું માની લેવાની અંધશ્રદ્ધાભરી દૃષ્ટિ ધરાવતા રૂઢિચુસ્ત વર્ગની ભારે નારાજગી પણ મેળવી હતી. આ વાત ગત મુનિસંમેલનમાં ચર્ચાનો એક મુદ્દો બની હતી. પણ એની પાછળની દૃષ્ટિ સત્યની શોધ માટેના મંથનની નહીં, પણ પંન્યાસ શ્રી. કલ્યાણવિજયજી મહારાજ નવા પર્વતિથિમતને માનતા હોવાથી, એ સંબંધમાં નવા પર્વતિથિમતવાળા સાધુસમુદાયને શું કહેવું છે એ જાણવાની, પર્વતિથિની જૂની માન્યતાવાળા પક્ષની કુતૂહલવૃત્તિ હતી. કહેવું જોઈએ કે આ સંબંધમાં જૂના અને નવા પક્ષના મોટા ભાગના મુનિવરો પુર નિર્દેવ સાધુ સર્વ (જે ચાલ્યું આવે છે તે જ બરાબર છે) એવો એકસરખો જ મત ધરાવે છે, અને બધા સમાન રીતે પંન્યાસજી મહારાજની પુસ્તિકાના વિરોધી છે. આ વાત જ્યારે મુનિસંમેલનમાં ચર્ચાઈ ત્યારે પર્વતિથિના નવા મતના પુરસ્કર્તા આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી મહારાજ જેવા, જૈનસંઘને માટે આ યુગના એક અમૂલ્ય રત્ન સમાન વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ગીતાર્થ લેખી શકાય એવા મુનિપુંગવને માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તે ખરેખર ભારે આઘાત ઉત્પન્ન કરે એવા હતા. એવા હલકા અને વિવેક-વિચારહીન – લગભગ ગાલીપ્રદાન લેખી શકાય એવા – શબ્દોથી પંન્યાસજી મહારાજને શું હાનિ થઈ એ તો એ શબ્દો બોલનાર અને એ શબ્દોને ઠંડે કલેજે સાંભળી લેનાર જાણે, પણ એક વાત તો ખરી કે એ શબ્દોએ એવા શબ્દોનું ઉચ્ચારણ કરનારના અંતરમાં રહેલી અમર્યાદ અને તોછડી અસહિષ્ણુતાનું જૈનસંઘને સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. આ આખા પ્રસંગનો વિગતવાર અહેવાલ “મુનિસંમેલન-પ્રેક્ષક'ના નામથી સિદ્ધચક્ર' પત્રના વર્ષ ૨૪, અંક ૮-૯, તા. ૧૭-૫-૧૯૫૮ના છેલ્લે પાને છપાયેલ છે. એ અહેવાલ આજે પણ જૈનસંઘે જાણવા અને વિચારવા જેવો હોવાથી અક્ષરશ: અહીં સાભાર ઉદ્ધત કરીએ છીએ : અમદાવાદ ખાતે ચાલુ શ્રમણ-સંમેલન વખતે સંમેલનના નવમા દિવસે, એટલે કે વૈશાખ સુદ ૧૨ના દિવસે (મુનિશ્રી હંસસાગરજીના) પ્રશ્નના ઉત્તરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy