SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૮ ૧૯૭ ગુમાનનું જ દુષ્પરિણામ છે. જેઓ જૈનદર્શનની તત્ત્વદૃષ્ટિને બરાબર સમજી શકતા હોય, તેઓ આવા નકલી અવરોધોને તો સ્વીકારી શકે નહિ. - શ્રી અગરચંદજી નાહટાએ સાધ્વીઓનું સંમેલન ભરવાની જરૂર સમજાવતાં પોતાના એ લેખના આરંભે કહ્યું છે – જૈનધર્મ પુરુષ અને સ્ત્રીને સમાન ધાર્મિક અધિકાર આપે છે. તેથી જ ચતુર્વિધ સંઘમાં સાધુની સાથે સાધ્વીને અને શ્રાવકની સાથે શ્રાવિકાને સ્થાન આપવામાં આવ્યું છે... જૈનસંઘમાં સાધુઓનાં સંમેલન તો પ્રાચીન સમયથી તે અત્યાર સુધીમાં અનેક વાર થયાં છે, શ્રાવકોનાં સંમેલન પણ થતાં જ રહે છે, અને, હવે તો, સ્ત્રીઓનું સંમેલન પણ કોઈ પણ સંસ્થાના અધિવેશનની સાથોસાથ જરૂરી જેવું મનાવા લાગ્યું છે. મહિલા-મંડળ વગેરે સ્વતંત્ર સંસ્થાઓ પણ સ્થપાઈ ચૂકી છે. પણ સમસ્ત જૈન સાધ્વીઓનું સંગઠન કે સંમેલન હજી સુધી નથી થઈ શકર્યું એ બહુ જ ખટકે એવી વાત છે.” આ રીતે સાધ્વી-સંમેલનના અભાવ પ્રત્યે પોતાનો ખેદ દર્શાવીને એમને આ વિચારની પ્રેરણા ક્યાંથી, કેવી રીતે મળી એ દર્શાવતાં શ્રી નાહટાજી કહે છે – કેટલાક દિવસ પહેલાં મારે મુંબઈ જવાનું થયું, ત્યારે સાધ્વીરત્ન મૃગાવતીશ્રીજી આદિને એ ઉત્કટ ભાવના થઈ કે જૈન આર્થીઓનું પણ એક સંમેલન બોલાવવામાં આવે, જેથી તેઓ એકબીજાની વધુ નિકટ આવી શકે અને પોતાની પ્રગતિનો માર્ગ વિચારી શકે. મને આ વાત બહુ જ સારી લાગી, અને મેં એની ચર્ચા હૈદરાબાદ જઈને શાસન-પ્રભાવિકા વિદુષી આર્યારત્ન વિચક્ષણ શ્રીજીની સાથે કરી. પણ તેઓ અત્યારે એટલે દૂર છે કે સંમેલનનો કોઈ પ્રસંગ જલદી બની આવે એ શક્ય નથી લાગતું. આમ છતાં મારો પોતાનો એવો અભિપ્રાય છે, કે ભલે થોડો વખત લાગી જાય, પણ જો સાધ્વી-સંમેલન બોલાવવાનો નિર્ણય કરવામાં આવે, તો હવે તો (વર્ષા) ચોમાસું પૂરું થઈ ગયું છે, તેથી વિહાર કરીને અમુક સ્થાને પહોંચવું હોય, તો મુખ્ય-મુખ્ય સાધ્વીઓ ત્યાં પહોંચી શકે એમ છે.” બધા ફિરકાનાં સાધ્વીજીઓનું સંમેલન બોલાવવા અંગેનો પોતાનો અભિપ્રાય દર્શાવતાં શ્રી નાહટાજી કહે છે – કેટલાક લોકો એવો વિચાર ધરાવે છે કે પહેલાં એકએક ગચ્છ કે ફિરકાનાં સાધ્વીઓનું સંમેલન જ મળે; પછી ભૂમિકા તૈયાર થાય એટલે બધા ફિરકાનાં સાધ્વીઓનું એક બૃહદ્ સંમેલન બોલાવવામાં આવે. પણ મારો પોતાનો અભિપ્રાય એવો છે, કે દુનિયા જે ઝડપથી આગળ વધી રહી છે તે જોતાં, આપણે સંપ્રદાયના ક્ષુદ્ર વાડામાંથી બહાર આવીને એક જૈન ધ્વજની નીચે આવી જ જવું જોઈએ. આથી એક મોટો લાભ તો એ થશે કે અન્ય ફિરકાનાં વિદુષી અને મુખ્ય સાધ્વીઓ સાથે મિલન થવાથી દેખા-દેખીથી પણ પ્રગતિની ભાવના જાગશે, પોતાની સ્થિતિનો સાચો ખ્યાલ આવશે. કયા-કયા ફિરકાનાં ક્યાં-ક્યાં સાધ્વીજી વિદ્યા વગેરે ક્ષેત્રોમાં કેટલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy