SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૪ ૧૭૯ હૃદયની દઢતા કે ઈચ્છાશક્તિની પ્રબળતામાં ઓટ આવવા માંડે છે; એટલું જ નહીં. એમાં વિકૃતિનો પણ પ્રવેશ થવા લાગે છે. એટલે છેવટે સાધુ-સાધ્વી-સમુદાયના સ્વાથ્યનો સવાલ એ આડકતરી રીતે સમસ્ત સંઘના સ્વાથ્યનો સવાલ બની જાય છે. અત્યારે આપણે સાધુઓના કે સાધ્વીજીઓના ઉપાશ્રયોમાં જઈએ અને શારીરિક તંદુરસ્તીની દૃષ્ટિએ ત્યાંની પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ, તો આપણને જણાયા વગર નહીં રહે કે ત્યાંની સ્થિતિ ચિંતા ઉપજાવે એવી છે, તેમાં ય આપણે જો એમના પ્રત્યે સહૃદયતા દાખવીને એમની સાથે આત્મીયતાથી વાત કરીએ તો આ ચિંતાજનક સ્થિતિનું ચિત્ર વધુ સ્પષ્ટ બને છે. કોઈ સહૃદય, નિષ્ણાત વૈદ્ય કે દાક્તર કોઈ બીમાર મુનિરાજ કે સાધ્વીજીને તપાસવા માટે ઉપાશ્રયમાં જાય ત્યારે કેટલાક અન્ય સાધુ-સાધ્વીઓને પણ એમ થઈ આવવાનું કે આ વૈદ્ય કે દાક્તર અમને પણ તપાસે તો સારું – દરેકને પોતાના સ્વાથ્યની કંઈક ને કંઈક ફરિયાદ કરવાની હોય જ! ગૃહસ્થજીવનમાં પણ પોતાના સ્વાથ્યની ફરિયાદ ઈચ્છવા જેવી નથી, તો પછી સાધુજીવનમાં તો એને સ્થાન જ ન હોય. આમ છતાં આજે આવી ફરિયાદ થયા જ કરે છે, અને એમાં ઉત્તરોત્તર વધારો થતો લાગે છે. આ દુઃખદ અને ચિંતાજનક સ્થિતિ તરફ શ્રમણસમુદાયના આગેવાનોએ સત્વર ધ્યાન આપીને એનું તત્કાળ નિવારણ કરવાની જરૂર છે. અલબત્ત, સાધુ-સાધ્વી-સમુદાયનાં શરીર હટ્ટાકટ્ટાં કે તાજામાજાં હોવાં જોઈએ એવી અપેક્ષા રાખવી અસ્થાને છે; એ ઇષ્ટ પણ નથી, તેમ જ શ્રમણવર્ગ એ રીતે શરીરની આળપંપાળમાં પડે એ પણ બરાબર નથી. કૃશ, દુર્બળ કે વ્રત-નિયમ-તપસંયમપરિષહની અગ્નિપરીક્ષામાં શોષાયેલું શરીર એ તો સાધુ-જીવનની શોભા છે; એમાં સાધક વ્યક્તિના જીવનની ચરિતાર્થતા પણ છે. પણ તપ તપતાં, સંયમની સાધના કરતાં કે વ્રતોનું પાલન કરતાં કૃશતા કે દુર્બળતા એટલી હદે તો આગળ વધવી ન જ જોઈએ કે જેથી શરીરની તંદુરસ્તીને નુકસાન પહોંચે અને શરીર રોગનો ભોગ બનીને એવું અસ્વસ્થ કે બિનતંદુરસ્ત બની જાય કે છેવટે વૈદ્ય કે ઔષધનો કાયમી આશ્રય અનિવાર્ય બની જાય. તપ, વ્રત કે સંયમની સાધનામાં શરીરની આળપંપાળ ભુલાઈ જાય અને એ કશ બની જાય એ એક વાત છે, અને શરીર રોગિષ્ઠ બનીને અસ્વસ્થ બની જાય એ સાવ જુદી વાત છે. વળી, સહજપણે આવી પડેલી માંદગીમાં વૈદ્ય કે ઔષધનો આશ્રય લેવો પડે તો એ પણ કંઈ અજુગતું ન લખાય; શરીર હોય ત્યાં ક્યારેક અસ્વસ્થતા આવી પણ જાય, અને ત્યારે એનો ઇલાજ પણ કરવો જ જોઈએ. પણ જ્યારે જીવનપ્રક્રિયામાં અસંગતિ કે વિકૃતિ પ્રવેશી જાય, અથવા તો સારાસારનો વિવેક ચુકાઈ જાય, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy