SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૩૩ જૈન સાધુ-સાધ્વીઓ હજી પણ પરંપરાગત ઢબે મળમૂત્ર-વિસર્જન અંગે ફ્લશસંડાસનો ઉપયોગ ન કરતાં ‘ખુલ્લી જગ્યાના ઇલ્લા' માટે આગ્રહ રાખે છે. નાનાં મોટાં શહેરોમાં હવે ઉપાશ્રય નજીક ઝાઝી ખુલ્લી જગ્યા હોતી નથી, અને શ્રમણસમુદાય આ બાબતમાં બાંધછોડ માટે તૈયાર નથી. ટ્રસ્ટીઓ મોટે ભાગે શ્રમણવર્ગને નારાજ કરવા તૈયાર નથી. તેથી શ્રમણવર્ગને ફ્લશ-જાજરૂ કે મુતરડીનો ઉપયોગ કરવા માટે ભારપૂર્વક જણાવતા નથી. ઘણા જૈન યુવાનો ‘ઠલ્લા'ના ઉપયોગ અંગે સૂગ ધરાવે એ સ્વાભાવિક છે; પરંતુ તેઓમાં પણ તેઓને તે વિશે કહેવાની નૈતિક હિંમત નથી. “મેં તેરાપંથી આચાર્ય પરમ પૂજ્ય તુલસી મહારાજજી તથા પ. પૂ. પદ્મસાગરજી સાથે આ બાબતમાં ચર્ચા કરી હતી. પણ બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે એવી મનોદશા દરેક ફિરકાના જૈન સાધુ-સાધ્વીની છે. મારી જાણ મુજબ પ. પૂ. મુનિશ્રી સંતબાલજી, જે ક્રાંતિકારી જૈન સાધુ છે તે આવા ફ્લશ-શૌચાલયનો ઉપયોગ કરે છે. “ગીચ વસતિવાળાં શહેરોમાં ‘ઠલ્લા’ આરોગ્યની દૃષ્ટિએ કેટલા હાનિકર્તા છે તે તો આપણને સૌને વિદિત છે. ઇતરેતર જૈન વર્ગને (? જૈનેતર વર્ગને ) તો જૈનધર્મની ટીકા કરવાનું એક અગત્યનું કારણ મળે છે. જમાનો બદલાય, પરિસ્થિતિ બદલાય તો આવી પરંપરાગત પ્રણાલિકાનો ત્યાગ દરેક વર્ગે કરવો જોઈએ એમ મારું નમ્રપણે મંતવ્ય છે. આખરે તમારા અંકનું શરણ લેવાની પ્રબળ ઇચ્છા જાગી છે... ધનરાજ એન, ટોપીવાળા.” 66 નોંધ : આ પત્ર જૈનસમાજને, ખાસ કરી, જૈન સાધુ-સાધ્વીઓને સ્પર્શે છે. આ પ્રશ્નની જાહેર વિચારણા કરવાનો સમય પાકી ગયો છે. સાધુ-સાધ્વીઓ મોટાં શહેરોમાં ચાતુર્માસ કરે છે. ત્યાંના જૈનસંઘોને મૂંઝવતો આ પ્રશ્ન છે, જેનો યોગ્ય નિકાલ લાવવો જ જોઈએ. કવિશ્રી નાનચંદ્રજી મહારાજના જન્મશતાબ્દી-સમારંભ પ્રસંગે પ્રસિદ્ધ જૈન વિદ્વાન શ્રી દલસુખભાઈ માલવણિયાએ પોતાના પ્રવચનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રશ્ન બધા ફિરકાના જૈન સાધુ-સધ્વીઓને સ્પર્શે છે. કેટલાક સાધુ-સાધ્વીઓ સાથે મેં આ અંગે ચર્ચા કરી છે. તેઓ પણ વિમાસણમાં છે. આ રૂઢિને ચુસ્તપણે વળગી રહેવા જતાં સાધુ-સાધ્વીઓને એવો માર્ગ લેવો પડે છે, જેમાં વધારે હિંસા અને ગંદકી થાય છે, સાધુ-સાધ્વીઓના સ્વાસ્થ્યને અવળી અસર પહોંચે છે; ગૃહસ્થીઓનાં મકાનોમાં રહે છે ત્યારે વધારે કફોડી સ્થિતિમાં મુકાય છે. કેટલાંક સાધુ-સાધ્વીઓ ખાનગી રીતે ફ્લશના સંડાસનો ઉપયોગ કરે છે એમ સાંભળ્યું છે. શ્રાવક-શ્રાવિકાઓ પૌષધ કરે અથવા વ્રતમાં હોય ત્યારે આ બાબતમાં સાધુ-સાધ્વીનું અનુકરણ કરે છે. પરિણામે ઉપાશ્રયોમાં મોટી તિથિઓએ વધારે પૌષધ થયા હોય ત્યારે ગંદકી થાય છે. ૧૭૭ “બધા સંપ્રદાયના આચાર્યો અથવા પ્રમુખ સાધુ-સાધ્વીઓ મળી આ પ્રશ્નનો યોગ્ય નિકાલ સત્તર લાવે તે બહુ જરૂરનું છે. બધા ફિરકાના સંઘોના આગેવાનોએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy