SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ જિનમાર્ગનું અનુશીલના હવે ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરવાથી સાધુજીવનમાં શિથિલતા આવવાનો ભય ખરો કે કેમ એ દષ્ટિએ આ સવાલનો વિચાર કરીએ: ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરવા જતાં સાધુ-જીવનમાં પાળવાના સૂક્ષ્મ અહિંસાવ્રતમાં તેજસ્કાય અને વાયુકાયની વિરાધનાનો દોષ લાગી જતો હોય, તો તે તથ્ય નકારી શકાય તેમ નથી. પણ આજે સાધુજીવનમાં એક યા બીજા બહાને મહત્ત્વની બાબતોમાં જે શિથિલતા સારા પ્રમાણમાં પ્રવેશી ગઈ છે અને હજુ પણ પ્રવેશી રહી છે, તે જોતાં, જો લોકોપકારની દૃષ્ટિએ વિશેષ લાભકારક માલુમ પડે તો આ યંત્રનો ઉપયોગ કરવા જેટલો અપવાદ સરવાળે તો લાભકારક જ લાગે છે, અત્યારના સાધુજીવનની પ્રક્રિયાનું તટસ્થ અને સત્યશોધક દૃષ્ટિએ અવલોકન કરીએ તો એમ કોઈ ભાગ્યે જ કહી શકશે કે અત્યારનાં ખાન-પાન, વસ્ત્ર-પાત્ર, મળમૂત્ર-વિસર્જન, પોથી-પુસ્તક-પરિગ્રહ અને વાસ-રહેઠાણ પહેલાંના મૂળ અને કઠોર નિયમોની સાથે સુસંગત કહી શકાય એવાં છે. દવાના ઉપયોગે તો શિથિલતામાં હદ કરી છે, તે એટલે સુધી કે ક્યારેક તો અમુક દવા વનસ્પતિમાંથી બનાવેલી છે કે પ્રાણી હિંસાથી એનો વિવેક પણ વીસરાઈ ગયો છે, અને નવામાં નવી અને મોંઘામાં મોંઘી દવાના ઉપયોગની લોલુપતા વધી ગઈ છે. નિયમિત અને સંયમિત જીવન, વેદનીય કર્મ અને આયુષ્યકર્મના સ્વીકારનો જાણે જીવનમાં કોઈ ઉપયોગ જ લાગતો નથી ! વળી અનેક સાધુ-મહારાજો પોતપોતાનાં કહી શકાય એવાં સ્વતંત્ર પત્રો પણ ચલાવે છે. છાપકામ માટે જે યંત્રો ચાલે તેમાં તો કેટલી બધી હિંસા થાય? છતાં જેઓ વર્તમાનપત્રની આટલી શક્તિને પિછાણીને આટલો અપવાદ સેવવા તૈયાર થાય એમને એક રીતે સમયના જાણકાર જ કહેવા જોઈએ ને ? - આ રીતે પોતાનાં સુખ-સગવડ ખાતર, પોતાના પરિગ્રહ કે મમતની ખાતર કે પોતાની સંકુચિત સમજણને કારણે જે શિથિલતાઓ સેવવામાં આવે છે, તેની સરખામણીમાં ધર્મોપદેશ માટે ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરવાની શિથિલતા, ખરેખર, સાવ ઓછી અને ક્ષમાપાત્ર જ લાગે એવી છે. અલબત્ત, આજે અમુક અનિવાર્ય સ્થિતિમાં આ યંત્રનો ઉપયોગ કરવાની રજા આપવા જતાં, એનો જરૂર વગર પણ ઉપયોગ થઈ જવાની શકયતા ખરી; એ દુરુપયોગને તો યોગ્ય નિયમો દ્વારા નાથવાનો પ્રયત્ન જરૂર કરી શકાય. અમે પોતે પણ માનીએ છીએ કે જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી ઉત્સર્ગમાર્ગને મૂકીને અપવાદરૂપ લાગતા માર્ગનું સેવન ન કરવું. પરંતુ ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરવાની આ બાર ગૃહસ્થોએ જે વિનંતી કરી છે તે કેવળ ધર્મોપદેશ દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy