SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૯ ૧૬૫ ગ્રંથસંગ્રહની પ્રવૃત્તિથી તો મોટે ભાગે અળગા જ રહે છે. આ જ રીતે જેઓ પ્રાચીન સમયથી જળવાતા આવતા જૈન-સાહિત્યના અમૂલ્ય વારસાને દીપાવે એવાં ગ્રંથરત્નોનું સર્જન કે સંપાદન કરતા હોય તેઓના ગ્રંથો પ્રગટ કરવા માટે કોઈ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તો તે પણ યોગ્ય જ ગણાય. પણ જેઓ ન તો જ્ઞાન મેળવવામાં વિશેષ રસ ધરાવતા હોય કે ન તો પ્રાણવાન ગ્રંથોનું સર્જન કરવાની થોડી પણ શક્તિ ધરાવતા હોય, તેવાઓ જ્યારે જ્ઞાનને નામે આવી સંગ્રહવૃત્તિમાં સપડાય છે, ત્યારે સાધુધર્મમાં અકિંચનવ્રતને ધક્કો લાગ્યા વગર રહેતો નથી. અને આ બધી ય પ્રવૃત્તિઓનું મૂળ પૈસામાં સમાયેલું હોઈ, પૈસા વગર આવી પ્રવૃત્તિ જરા પણ આગળ વધી શકતી નથી. એટલે યેનને પ્રારે પૈસા મેળવવા તરફ નજર જાય છે, અને એમાંથી અનર્થની પરંપરાનો પ્રાદુર્ભાવ થયા વગર રહેતો નથી. અત્યારે ગૃહસ્થો પાસેથી આવાં કાર્યો માટે પૈસા મેળવવા માટે જે હિલચાલ કરવામાં આવે છે, તેથી પૈસા આપનારાઓના દિલમાં જે કચવાટ કે અણગમો પેદા થાય છે તેની વાત બાજુએ મૂકીએ તો પણ, એમ કરવા જતાં આપણા નિઃસ્પૃહ મુનિવરોને પોતાના સાધુધર્મને ન છાજે એવી કેટલીક પ્રવૃત્તિ હાથ ધરવી પડે છે. એમના પરિપ્રેમના દુષ્પરિણામરૂપે ખુશામત કે એવાં બીજાં અનિષ્ટો આપોઆપ આવી જાય. એટલે અંશે ત્યાગી ગણાતા મુનિવરોનું તેજ અચૂક ઝાંખું પડે છે. પોતાના અંગત લાભ માટે અને પોતાના પરિગ્રહ-પ્રેમનું પોષણ કરવા માટે જ્યારે આપણા મુનિવરો ગૃહસ્થો સાથે આવા સંબંધમાં પડે છે, ત્યારે એ મુનિવરને પોતાને તો નુકસાન થાય જ છે; ઉપરાંત આપણી સમાજ-વ્યવસ્થાને પણ એથી ભારે હાનિ પહોંચે છે. મુનિવરો એટલે આપણા ધર્મના પહેરેગીરો. પણ જ્યારે એ ગુરુઓનું પણ મન પરિગ્રહપ્રેમથી કલુષિત બને, એટલે થોડાક ચાંદીના સિક્કાઓ તેમને સામાજિક અન્યાય આચરનાર કોઈ પણ વ્યક્તિની વિરુદ્ધમાં બોલતા બંધ કરી દેવા બસ થઈ પડે છે. તેથી ઉત્તરોત્તર સમાજની નૈતિક શક્તિમાં ઓટ આવવા લાગે છે, ને આખી સમાજવ્યવસ્થા વિશૃંખલ બની જાય છે. આપણા મુનિવરોને આપણે નિગ્રંથ' જેવા બહુમાનસૂચક નામથી ઓળખીએ છીએ. ધાર્મિક કે સામાજિક સત્કાર્યોમાં અઢળક નાણું ખર્ચાવવા છતાં, પોતાના મનને પરિગ્રહપ્રેમના કાલુષ્યથી જળકમળવત્ અલિપ્ત રાખીને નિગ્રંથપણાનું બરોબર પાલન થઈ શકે. આદ્ય સૂત્રકાર પૂ. શ્રી ઉમાસ્વાતિ વાચકવર્થે પરિગ્રહની વ્યાખ્યા આપતાં યથાર્થ જ કહ્યું છે કે “પૂછ પરિપ્રદ:'. જ્યાં વસ્તુ ભેગી કરવાની લાલસા જન્મી, ત્યાં વસ્તુ મળે કે ન મળે તો પણ પરિગ્રહ આવી જ ગયો સમજવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy