SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ (૨૯) વધતા પરિગ્રહ-પ્રેમને નાથવાની જરૂર સમાજહિતની દૃષ્ટિએ છેલ્લા કેટલાક સમયથી લખવા જેવી લાગતી વાત આજે પણ લખવી અમને સુખદ લાગતી નથી; કંઈક ભારે હૈયે જ અમે આ લખી રહ્યા છીએ. પણ આ કટુ સત્ય રજૂ કરવામાં અમારો એકમાત્ર ઉદ્દેશ્ય સમાજના શુદ્ધીકરણને વેગ આપવાનો જ છે એટલું સ્વીકારીને સહુ કોઈ – ખાસ કરીને આપણા પૂજ્ય મુનિવરો અંતર્મુખ વૃત્તિથી આ લખાણના મર્મનો વિચાર કરે એવી અમારી વિનંતી છે. આપણે ત્યાં બાવાની લંગોટીનું દૃષ્ટાંત બહુ જાણીતું છે. પોતાની અકિંચનવૃત્તિને થોડીસરખી અળગી કરીને, નાની-સરખી લંગોટીની મોહ-માયામાં ફસાયેલા બાવાજી એક-એક કદમ આગળ વધતાં (કે પાછળ પડતાં ?) છેવટે જ૨ અને જમીનના વિષચક્રમાં અટવાઈ જાય છે, અને એમની અકિંચનવૃત્તિ જ વેગળી થઈ જાય છે. એ એક બહુ દુ:ખ ઉપજાવે એવી બીના છે કે હમણાં-હમણાં આપણા શ્રમણસમુદાયમાં બાવાજીની લંગોટી જેવી વૃત્તિ વધુ ને વધુ ઘર કરતી જાય છે, અને તેઓના અકિંચનવ્રતનો આત્મા ઠીકઠીક નીચો પડતો જાય છે. આમ થવામાં સામાન્ય રીતે સાધુજીવનને ઉપયોગી ઉપકરણો ભેગાં કરવાની વૃત્તિ અમુક અંશે નિમિત્તરૂપ હોવા છતાં વિશેષે કરીને પુસ્તક-પાનાંઓનો સંગ્રહ કરવાની અને વધારવાની વૃત્તિ આગળ પડતો ભાગ ભજવે છે. નાના કે મોટાના ભેદભાવ વગર, બહુ જ થોડા અપવાદ સિવાય, ઘણાખરા મુનિવરોને પુસ્તક ભેગાં કરવાની ઇચ્છા થાય છે. પુસ્તક ભેગાં થયાં એટલે એને માટે કબાટ-પેટીઓની જરૂ૨ ઊભી થાય. કબાટ-પેટીઓ ગમે તેમ કરીને મેળવી લીધાં એટલે કામ પૂરું થતું નથી. એ કબાટ-પેટી-પોટલાંઓ ક્યાં મૂકવાં એના માટે પોતાને અનુકૂળ સ્થાનની શોધ ચાલે છે, અને છેવટે પોતાનું જ કહી શકાય એવું સ્થાન ઊભું કરવાની મહત્ત્વાકાંક્ષા જન્મે છે. અને પછી તો એક પછી એક અનેક પ્રવૃત્તિઓની ભૂતાવળ પેદા થઈ જાય છે. અકિંચનવ્રત અને બીજાં વ્રતો પણ આ ભૂતાવળથી સાવ અલિપ્ત રહે એ ન બનવા જેવું છે. વળી, પુસ્તકો સંગ્રહવા ઉપરાંત પુસ્તકો છપાવવાની અને તેમાં ય કેટલાય દાખલાઓમાં તો પોતપોતાની સ્વતંત્ર પ્રકાશન-સંસ્થાઓ સ્થાપવાની પ્રવૃત્તિ પણ ઠીકઠીક વેગ પકડતી જોવામાં આવે છે; ભલે પછી એવી સંસ્થાઓ અલ્પજીવી નીવડે. જેઓ પોતાના અધ્યયન-અધ્યાપન અંગે પુસ્તકોનો સંગ્રહ કરતા હોય તેઓને માટે કશું પણ કહેવાપણું ન હોય. તેઓને વિદ્યાનો, જ્ઞાનનો સાચો રસ ને પાકો રંગ લાગ્યો હોઈ તેઓ પોતાના કામને કે પોતાના સાધુધર્મને બાધ આવે એ રીતની આવી - Jain Education International જિનમાર્ગનું અનુશીલન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy