SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ જિનમાર્ગનું અનુશીલન નકલી અવરોધો ઊભા કરી દીધા ! ભગવાને વ્યક્તિ, સમાજ અને ધર્મ માટે લાભનું જે મહાન કાર્ય કર્યું. તેને ગુમાની માનવીએ ધોઈ નાખ્યું ! તો ભૂતકાળની આ ભૂલના શુદ્ધીકરણ માટે, સાધ્વી-સમુદાયને વિદ્યાભ્યાસ અને શાસ્ત્રાભ્યાસની પૂરેપૂરી છૂટ અને સગવડ આપવા સાથે એમને ઉપાશ્રયમાં તેમ જ જાહેરમાં વ્યાખ્યાનો અને ધર્મપ્રવચનો આપવાની સંપૂર્ણ મોકળાશ આપવી જોઈશે. તો ચોમાસાની વિનંતિઓ પાછી ફરવાની અત્યારની ખામી પણ સહેલાઈથી સારા પ્રમાણમાં દૂર થઈ શકે. વળી આથી પણ મોટો લાભ એ થવાનો કે આજે સાધ્વીસમુદાયોમાં જે નિરાશા કે નિરુત્સાહ દેખાય છે, તે દૂર થઈને એમનામાં જ્ઞાનધ્યાનમાં આગળ વધવાનો ઉત્સાહ પ્રગટશે. વધારામાં એમને તંદુરસ્તીનો પણ મોટો લાભ થશે. - આનાથી ધર્મની આમન્યા ખતરામાં આવી પડશે એ માન્યતા સાવ નિરાધાર છે. સ્થાનકવાસી ફિરકામાં તો સાધ્વીઓ મનગમતું જ્ઞાનોપાર્જન કરે છે અને ધર્મોપદેશ પણ જાહેર રીતે આપે છે, છતાં ત્યાં સંઘવ્યવસ્થામાં કશું ઊંધુંચતું થઈ ગયું જાણ્યું નથી. શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં પણ ખરતરગચ્છ અને અંચળગચ્છનાં સાધ્વીઓ ઉપર અધ્યયન કે ધર્મપ્રવચન અંગે કશો જ પ્રતિબંધ નથી; અરે તપગચ્છમાં પણ અમુક લ્યાણવાંછુ અને સમજુ આચાર્યોએ પોતાની આજ્ઞાવર્તી સાધ્વીઓને આ બંનેની છૂટ આપી જ છે. ત્રણેક હજાર જેટલી સંખ્યા ધરાવતો આપણો સાધ્વી-સમુદાય (કમ-સે-કમ એમાંની એવી શક્તિ ધરાવતી વ્યક્તિઓ) ધર્મોપદેશ આપવા જેટલી વિદ્યા, શક્તિ અને યોગ્યતા મેળવે તો સમસ્ત શ્રીસંઘને કેટલો બધો લાભ થાય ! આમ, મુનિરાજો એક સ્થાનમાં બને એટલી ઓછી સંખ્યામાં રહે અને સાધ્વીસમુદાય પણ ધર્મોપદેશ આપવા જેટલો સજ્જ થાય, તો આખરે ચાતુર્માસ કરાવવાની વધતી માગણીને મહંદશે વધાવી શકાય. - સાધુ-સાધ્વીઓની સંખ્યામાં વધારો થાય, એ ઉપાય અત્યારે તો ભાગ્યે જ અજમાવવા જેવો રહ્યો છે. (તા. ૧૫-૫-૧૯૬૫). છેલ્લાં પંદરેક વર્ષ દરમિયાન મુનિરાજોની તેમ જ સાધ્વીજીઓની સંખ્યામાં વધારો થયો છે, તેની સાથે એક બાજુ જેમ એક સ્થાનમાં વધારે મુનિરાજો કે સાધ્વીજીઓ ચાતુર્માસ કરવા લાગ્યાં છે, તેમ એક જ શહેરમાં, કોઈ પણ જાતના અનિવાર્ય કારણ વગર અનેક ચોમાસાં કરવાની અનિચ્છનીય પ્રવૃત્તિ પણ વેગ પકડતી જાય છે. જો આ રીતોમાં ફેરફાર કરવામાં આવે તો ઘણાં ગામોને સાચવી શકાય અને એમની ધર્મભાવનાને પુષ્ટિ આપવાનું ઉપયોગી અને ઉપકારક કાર્ય કરી શકાય. સાથે-સાથે, શ્રમણ-સમુદાયની પોતાની દૃષ્ટિએ, સૌથી મોટો લાભ એ થાય કે ઘનિષ્ઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy