SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૬ ૧૫પ ગુરૂઆશાની આવી પુનઃ પ્રતિષ્ઠા થાય ત્યારે ખરી; દરમિયાનમાં પણ ચોમાસાનો વધુ ગામોને લાભ મળે એનો તેમ જ બીજી બાબતોનો શક્ય ઉપાય શોધવો જ રહ્યો. ચોમાસામાં વધુ સ્થાનોને શ્રમણસમુદાયના સાનિધ્યનો લાભ મળે એનો સૌથી સીધો, સહેલો અને વ્યવહારુ માર્ગ એ જ છે કે એક સ્થાનમાં (શહેર કે ગામમાં) મુનિરાજોના નાનામાં નાના જૂથે ચોમાસાની સ્થિરતા કરવી. એટલે ગુરુઓએ અને શિષ્ય-પ્રશિષ્યોએ સાથે જ રહેવાનો આગ્રહ ન રાખતાં, સંઘના લાભની દૃષ્ટિએ શક્ય હોય તેટલાં વધુ સ્થાનોમાં ચોમાસુ રહેવાનો નિર્ણય કરવો જોઈએ. અલબત્ત, ગુરુથી જુદા રહેવાની આજ્ઞા મેળવનાર શિષ્યોમાં અમુક યોગ્યતા તો આવશ્યક ગણાય જ. એક સ્થાનમાં ઘણા સાધુમહારાજના ચાતુર્માસથી બીજા સ્થાનો એમના સત્સંગ અને સદુપદેશના લાભથી વંચિત રહે છે એ મોટો ગેરલાભ તો છે જ છે; ઉપરાંત મોટા મુનિજૂથને લીધે ગામવાસીઓને કેટલીક મુશ્કેલી વેઠવી પડે છે, તો બીજા પક્ષે સાધુજીવનના આચારોમાં કેટલાક અપવાદ પણ સેવવાનો વખત આવે છે એ તો વળી, આચારશુદ્ધિની દૃષ્ટિએ, એથી પણ મોટો ગેરલાભ છે. આમ એક સ્થાનમાં વધારે સાધુઓ રહેવાની પ્રથા બંધ થાય, તો તેથી બેવડો લાભ થાય. આ સંખ્યા કેવડી હોઈ શકે એનો નિર્ણય તે સ્થાન, સમુદાય અને પરિસ્થિતિ ઉપરથી સહેલાઈથી થઈ શકે. પણ આ રીતે એક સ્થાનમાં જરૂર પૂરતા જ સાધુઓ ચોમાસુ રહેવાનો નિર્ણય કરે અને ક્યારેક તો જરૂર કરતાં પણ ઓછા સાધુઓ ચોમાસુ રહે) તો પણ બધાં સ્થાનોની વિનંતિને માન્ય રાખી શકાય એવી સ્થિતિ નથી. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાના બધા ગચ્છો અને સમુદાયોના સાધુઓની સંખ્યા અગિયારસો-બારસો જેટલી ભાગ્યે જ છે. બહુબહુ તો એ બધા ત્રણસો-ચારસો સ્થાનોને ભાગ્યે જ લાભ આપી શકે. તો પછી અન્ય સ્થાનોને આવો લાભ મળે એ માટે શું કરવું ? અમારી સમજ મુજબ, આ સવાલનો સીધો અને વ્યવહારુ જવાબ છે જ; અને તે એ કે આપણા સાધ્વી-સમુદાયને આ માટે સુસજ્જ કરવો. ઘરસંસારનાં સુખોનો આત્મસાધનાને માટે ત્યાગ કરનાર આપણી બહેનો સાધ્વીજીવનમાં અમુક પ્રમાણમાં તો વિદ્યોપાર્જન અને શાસ્ત્રાધ્યયન કરે જ છે. એમને પૂરતી સગવડ અને વધારે છૂટ આપવામાં આવે તો તેઓ શાસ્ત્રાભ્યાસમાં પૂરી કાબેલિયત હાંસલ કરી શકે એમાં શંકા છે જ નહીં. નારીજીવનમાં પણ પુરુષોના જીવન જેટલી જ જ્ઞાન-ચારિત્રની આરાધનાની તમન્ના, યોગ્યતા અને શક્તિની પ્રતીતિને લીધે જ તો તીર્થકરે એને મોક્ષનો પૂર્ણ અધિકાર આપ્યો છે. અને જેની યોગ્યતા મોક્ષના અધિકારી બનવા જેટલી હોય, એ શાસ્ત્રોનું પૂર્ણ અધ્યયન કરી શકે એમાં શંકા રાખવાને કોઈ કારણ નથી. પણ ભગવાને નારીસમૂહને અહિંસાને સગપણે જે અધિકાર મોકળે મને આપ્યો હતો, એના ઉપર પુરુષના અહંભાવે કાપ મૂક્યો; અને એમ કરીને એના વિકાસની આડે અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy