SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જિનમાર્ગનું અનુશીલન પરિસ્થિતિ અનુસાર વીતરાગ પ્રભુના માર્ગનું અનુસરણ કરવા પ્રેરાય અને શ્રમણ સમુદાયમાં જેટલા પ્રમાણમાં આચારમાં ઢીલાશ પ્રવેશે તેટલા પ્રમાણમાં સમગ્ર સંઘનું ધમરાધન ઢીલું તેમ જ વિકૃત બને. એટલે, સાધુ-મુનિરાજો તો આચારશુદ્ધિના સાચા રખેવાળ ગણાય. એમની જાગૃતિ એ જ સંઘની જાગૃતિ અને એમની પ્રમાદવશતા એ જ સંઘના આત્માની હાનિ સમજવી. અત્યારે કાળબળ કહો કે ભવિતવ્યતાનો યોગ, પણ એટલું તો લાગે જ છે કે ત્યાગીઓની ત્યાગ-વૈરાગ્ય-સંયમસાધનાની ઉત્કટતામાં ઓટ આવી છે અને ધીમેધીમે આચારની શિથિલતા વધતી જતી હોય એમ દેખાય છે. કોઈ કોઈને કહેનાર-રોકનારરોકનાર ભાગ્યે જ રહ્યું હોય એવી નિર્ણાયક સ્થિતિ ઊભી થઈ છે. કયારેક-ક્યારેક એને રોકવાના પ્રયત્નો પણ થતા રહે છે. શ્રીસંઘના ભાવિ માટે આ એક આશાપ્રેરક બાબત લેખી શકાય. અઢી વર્ષ પહેલાં અમદાવાદમાં મળેલ શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રમણોપાસક શ્રીસંઘ સમેલન આવો જ એક દીર્ધદષ્ટિભર્યો પ્રશસ્ય પ્રયાસ લેખી શકાય. આવી ચિંતાજનક સ્થિતિ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં જ પ્રવર્તે છે, એવું નથી. શિયાળો બેસે ત્યારે સૌને ટાઢ સતાવે એ નિયમ મુજબ સ્થાનકવાસીઓ અને દિગંબરોમાં પણ આની ચર્ચાવિચારણા થતી જ રહે છે. સ્થાનકવાસી સાધુસમુદાયનું સાદડીમાં વિ. સં. ૨૦૦૯માં અધિવેશન મળ્યું ત્યારે, અજમેરમાં મળેલ સ્થાનકવાસી સાધુસમેલન વખતે તેમ જ વાંકાનેરમાં સ્થાનકવાસી સાધુઓ ભેગા થયા ત્યારે પણ સાધુસંઘમાં વધી રહેલી શિથિલતાથી ચિંતિત બનીને એને રોકવાને માટે શાસ્ત્રોના આદેશોને ધ્યાનમાં રાખીને, એક સામાચારી નક્કી કરવામાં આવી હતી. આ સામાચારીની અગત્યની વિગતો સ્થાનકવાસી કૉન્ફરન્સના મુખપત્ર “જૈનપ્રકાશ' સાપ્તાહિકના તા. ૧-૮-૧૯૬પના અંકમાં આપવામાં આવી છે. આ વિગતો આપણા સંઘને પણ જાણવા જેવી હોવાથી, પહેલી સ્થાનક અંગેની વિગતોને છોડીને બાકીની બધી વિગતો નીચે સાભાર ઉદ્ધત કરીએ છીએ : શય્યાન્તર અંગે રાત્રિ-પ્રતિક્રમણથી લઈને, ફરી આજ્ઞા પાછી વાળવા સુધી શવ્યાન્તરત સ્વીકારવામાં આવે. આજ્ઞા પાછી ખેંચી લીધા બાદ તે ગામમાં રહેવામાં આવે તો આઠ પ્રહર સુધી શવ્યાન્તરના ઘરને ટાળવું, અને તે ગામમાંથી વિહાર કરવા જેવી સ્થિતિ હોય તો શવ્યાન્તર રહેતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy