SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જિનમાર્ગનું અનુશીલન પદવીનો (અને સાથેસાથે પંન્યાસ શ્રી ભુવનવિજયજીને અપાયેલ ઉપાધ્યાય-પદવીનો). પાંચ-છ મહિના પહેલાં જોટાણા ગામમાં ત્રેવીસ દિવસ જેટલા લાંબા સમયના ત્રણ મહોત્સવો – અષ્ટોત્તરી સ્નાત્ર, સિદ્ધચક્ર-મહાપૂજન, નવાણું અભિષેકની પૂજા – ને અંતે, જોટાણા સંઘની વિનંતિથી, વૈશાખ સુદિ પાંચમના રોજ પંન્યાસ શ્રી ભુવનવિજયજીને પંન્યાસ શ્રી અશોકવિજયજીના હસ્તે ઉપાધ્યાય-પદવી આપવામાં આવી. તે પછી બીજે જ દિવસે એટલે કે વૈશાખ સુદિ છઠ્ઠના દિવસે ઉપાધ્યાય બનેલા શ્રી ભુવનવિજયજીએ પંન્યાસ શ્રી અશોકવિજયજીને તથા પંન્યાસ શ્રી રાજેન્દ્રવિજયજીને આચાર્ય-પદવી એનાયત કરી !! પદવીઓનું આવું આદાન-પ્રદાન જોઈને સૌથી પહેલાં તો પેલી લોકકથા યાદ આવી જાય છે, બગભગત જેવા બે મિત્રો દ્વારકાની યાત્રાએ ગયા. ભગવાનનાં દર્શન કરીને એમને થયું કે તીર્થધામમાં દાન ન આપીએ તો યાત્રા સફળ થઈ ન કહેવાય. પણ દાન આપવું કોને ? છેવટે બંનેએ નક્કી કર્યું કે અહીં આપણા જેવા દાનને પાત્ર બીજા કોણ છે ? આપણે બંને ભગવાનની સામે ઊભા રહીએ; અને ભગવાનની સાક્ષીએ તું મને રૂા. ૫૧/-નું દાન આપ અને હું તને રૂા. ૫૧/-નું દાન કરું; આપણો દાનધર્મ પણ સચવાશે અને તીર્થયાત્રા પણ સફળ થશે! જોટાણામાં થયેલ પદવીનું આદાનપ્રદાન કંઈક આવું જ બાલિશ, હાસ્યાસ્પદ અને ખેદજનક છે. આપણા પોતાના જ હાથે આપણી પવિત્ર અને મહાન ધર્મપદવીઓની કેવી વિડંબના, અવહેલના અને હાંસી થઈ રહી છે. આમ થવાથી એ પદવી લેનાર વ્યક્તિઓની મોટાઈમાં કેટલો વધારો થયો એ તો તેઓ જ જાણે; બાકી શાસન તો આવી અરાજકતાથી કંઈક પણ નાનું જ બન્યું છે. જ્યાં આવું મનસ્વીપણું મૂંગે મોઢે ચલાવી લેવામાં આવતું હોય, એ શાસનમાંથી અનુશાસનની તાકાત તો ગયા વગર નથી જ રહેતી. જો આપણે ઉઘાડી બુદ્ધિથી કડવું સત્ય સ્વીકારવા તૈયાર હોઈએ, તો આ એક જ ઘટના આપણા ધર્મશાસનમાં અને ધર્મશાસનના આધારરૂપ શ્રમણ-સમુદાયમાં મર્યાદાભંગ અને અરાજકતા કેટલાં વધી ગયાં છે તે સમજવા માટે પૂરતી છે. પણ અત્યારે તો, પક્ષીય અંધશ્રદ્ધાની કુંભકર્ણ નિદ્રામાંથી જાગવાને માટે હજુ આવી વધુ દુર્ઘટનાઓની જરૂર પડશે એમ જ લાગે છે. પંન્યાસ શ્રી અશોકવિજયજી સ્વ. પંન્યાસ શ્રી ધર્મવિજયજીના શિષ્ય થાય છે, પંન્યાસ શ્રી રાજેન્દ્રવિજયજી સ્વ. આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરિજીના શિષ્ય થાય છે અને પંન્યાસ શ્રી ભુવનવિજયજી અત્યારે વિદ્યમાન આચાર્ય શ્રી વિજયરામસૂરિજીના શિષ્ય થાય છે. આ આખો સમુદાય, એક જ વૃક્ષની ડાળની જેમ, અમદાવાદ ડેલાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy