SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન ખરેખર તો જવાબદારી એ સાધ્ય છે અને સત્તા કે અધિકાર એ એને અદા કરવાનું એક સાધનમાત્ર છે. જે પળે એનું મુખ સાધ્ય તરફથી હટીને પોતાના અંગત લાભાલાભ તરફ વળે છે, ત્યારથી જવાબદારીની ઉપેક્ષા થવા લાગે છે. જવાબદારીનો ખીલો ફગાવી દઈને કૂદાકૂદ કરવામાં પડી જનાર અધિકાર કે સત્તા કેવળ સ્વ-પરના વિનાશને જ નોતરે છે. ૧૩૦ જૈનસંઘની સ્થિતિ, અમારી સમજ મુજબ, અત્યારે આવી જ થઈ ગઈ છે ઃ શ્રમણસમુદાય પોતાની જવાબદારીના ખ્યાલને વેગળો મૂકીને પોતાના અધિકારની વાતને વધારે પડતી આગળ કરવા લાગ્યો છે. પરિણામે, અમે ઉપર કહ્યું તેમ, જવાબદારીના ખીલેથી છૂટા પડી ગયેલા અધિકારે એક બાજુ વ્યક્તિઓમાં અહંકારને જન્મ આપ્યો, અને બીજી બાજુ સંઘમાં અવ્યવસ્થા પેદા કરી. આમાં અપવાદ નથી એમ તો કેમ કહેવાય ? પણ એની ધારી અસર પડતી નથી દેખાતી. એમ ન હોય, તો જે સંઘમાં સંઘની એકતા અને ધર્મની શુદ્ધિની સુરક્ષા કરનારા સુભટ સમા સેંકડો શ્રમણો મોજૂદ હોય એ સંઘ આવો વેરવિખેર અને એ ધર્મ પોતાની તેજસ્વિતાની જાળવણીમાં આટલો નિષ્ફળ બને ખરો ? એમ લાગે છે કે આપણે ધર્મના નામે અનેક પ્રવૃત્તિઓ આદરીએ છીએ, અઢળક ધન પણ વાપરીએ છીએ; છતાં, જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિરૂપી ધર્મના ત્રાજવે તોળતાં, એકંદર એનું પરિણામ કાણા વાસણમાં પાણી ભરવા જેવું જ આવે છે ! આપણે ચાલ-ચાલ કરવા છતાં, ઘાણીના બળદની જેમ ઠેરના ઠેર રહીએ છીએ ! અમારી સમજ મુજબ તો, સંઘની એકતા અને ધર્મની શુદ્ધિ ચિંતા ઉપજાવે એટલી હદે જોખમાઈ ગઈ છે. આપણી વર્તમાન સ્થિતિનું અમારું આ નિદાન જેઓને અમાન્ય હોય અને હજી પણ જેઓ જૈનસંઘ અત્યારે બરાબર સંગઠિત છે અને ધર્મની શુદ્ધિમાં કશી ઊણપ આવી નથી એમ માનતા હોય, તેઓ ભલે પોતાના સ્વર્ગમાં રાચતા રહે ! અમે શ્રી જૈન સંસ્કૃતિ-રક્ષક સભાને એટલું જ કહેવા માગીએ છીએ કે સંઘની એકતા કે ધર્મની શુદ્ધિને ટકાવી રાખવાનો પ્રયત્ન કરવાનો અધિકાર શ્રીસંઘ-સમિતિને ન હોય તો જેનો એ અધિકાર લેખવામાં આવે છે તે સાધુ-સમુદાય આ માટેની પોતાની જવાબદારી પૂરી કરવા તૈયાર થાય એવી નૂતન પરિસ્થિતિનું એ સર્જન કરે. આ માટે તે ઇચ્છે, તો આવી જવાબદારી પૂરી કરવાની તમન્ના અને તાકાત ધરાવતા વિશિષ્ટ આચાર્યો કે મુનિરાજોને એકત્ર કરીને વિચારણા કરી શકે, અથવા અમુક સાધુઓ અને અમુક ગૃહસ્થોનું સંયુક્ત સંમેલન પણ યોજી શકે; અથવા પોતાને યોગ્ય લાગે તેવાં સક્રિય અને કારગત બીજાં પગલાં ભરી શકે. ઇચ્છીએ કે આ સંસ્થાના પ્રેરક મુનિવરો For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy