SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૫ ૧૨૫ (૧૫) શ્રમણવર્ગને અપાતી પદવીઓની લાયકાત સામાન્ય જનસમૂહની જેમ આપણા શ્રમણસમુદાયને પણ પદવીઓથી વિભૂષિત કરવાની પ્રથા ઘણા પ્રાચીન સમયથી ચાલી આવે છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણ સમુદાયને આપવામાં આવતી પદવીઓમાં અત્યારે ખાસ કરીને આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, પંન્યાસ અને ગણી – એ પદવીઓ વિશેષ પ્રચલિત છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિની ખાસ આગળ પડતી વિશેષતા જોઈને એને માનસૂચક જુદાં-જુદાં બિરુદોથી નવાજવાની રીત પણ પ્રચલિત છે. મૂળ વાત તો એટલી જ છે, કે એક વ્યક્તિના જીવનનું દર્શન કરતાં જનસમૂહના અંતરમાં જે ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે, એ ભક્તિને વ્યક્ત કરવાનું એક સાધન તે આવાં બિરુદો છે; અને વળી અમુક પ્રકારની નિયત સાધનાને અંતે પ્રાપ્ત થતી વિશેષતા સૂચવવાનું સાધન પણ આવી પદવીઓ છે. આ તો પદવીઓ અને બિરદો સંબંધી સામાન્ય વિચાર થયો. પણ અહીં જેની ખાસ વિચારણા કરવા ધારી છે તે છે આપણા ધર્મના અધિનાયકપદે બિરાજતા શ્રમણસમુદાયની પદવીની લાયકાત. આપણે જાણીએ છીએ કે આપણાં શાસ્ત્રોમાં આપણા ગુરુઓને આપવામાં આવતી જુદીજુદી પદવીઓ માટે યોગોદૃવહનનાં અનેક વ્રત, નિયમ અને અનુષ્ઠાનોનું વિધાન કરવામાં આવ્યું છે. અને મોટે ભાગે તેતે પદવીને માટે નિયત થયેલ યોગોદ્વહન પછી જ કોઈ પણ પદવી આપવામાં આવે છે. આમ હોવા છતાં, આવી પદવીઓ આપવા માટે, અત્યારના યુગને જોતાં, બીજી પણ કેટલીક વિશેષતાઓની અમને અનિવાર્યતા લાગે છે, અને તેથી એ તરફ આપણા ગુરુવર્યોનું અતિ વિનમ્રભાવે ધ્યાન દોરવા આ નોંધ લખીએ છીએ. આમાં આપણા શાસ્ત્રકારોએ જે કંઈ કહ્યું છે તેનું અતિક્રમણ કરવાનો કે જે રીતિ ચાલી આવે છે એની અવહેલના કરવાનો તો મુદ્દલ સવાલ જ નથી; ઊલટું, આ લખીને અમે, શાસનનું ગૌરવ જળવાય અને વધે એવી રીતે શાસ્ત્રાજ્ઞાનું પાલન કરવાનું સૂચવવા માગીએ છીએ, કે જેથી જૈન સંસ્કૃતિનો મહિમા વધારે વિસ્તરે અને જૈનધર્મના ગૌરવની છાપ આમ-જનતાના અંતર ઉપર વધારે સચોટ રીતે પડે. અમને ચોક્કસ લાગે છે, કે અમુક પદવીને માટે જેમ અમુક વ્રત નિયમ કે અનુષ્ઠાન કર્યા વગર નથી ચાલતું, તેમ જ્ઞાનની અમુક ભૂમિકા મેળવ્યા વગર પણ ન જ ચાલવું જોઈએ. અમે અહીં રજૂ કરેલો વિચાર તે કંઈ અમારો પોતાનો જ કે સાવ નવીન પણ નથી. જરાક વધુ બારીકાઈથી જોઈશું તો જ્યાં જ્યાં આવી પદવીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy