SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ જિનમાર્ગનું અનુશીલન પં. સુભદ્રવિજયજી અગાશી તીર્થમાં જ બિરાજમાન છે. અગાશી તીર્થના સંચાલકો આવી રીતે કેમ ચલાવી લે છે, તે ચર્ચાનો વિષય બન્યો છે.” અમારા તેમ જ અન્ય પત્રોમાં છપાતા સાધુવેશના દુરુપયોગના કિસ્સાઓ આપણા શ્રીસંઘમાં પ્રવર્તતી અરાજકતા, અવ્યવસ્થા અને અશિસ્તનું સૂચન કરવાની સાથેસાથે સંઘશક્તિ અને સંઘસત્તાનો અભાવ પણ સૂચવે છે. જો આવું જ ચાલતું રહ્યું તો આપણે કેવી શોચનીય સ્થિતિમાં મુકાઈ જઈશું એ સમજવું મુશ્કેલ નથી. આપણી વધુ શોચનીય સ્થિતિ તો એ છે, કે આપણા શ્રમણસંઘને શ્રીસંઘ ઉપરની પોતાની અબાધિત સત્તાનો ખ્યાલ એટલો બધો સતાવે છે કે શ્રીસંઘની શુદ્ધિની અને શક્તિની રક્ષા કરવાની પોતાની પાયાની જવાબદારીનો ખ્યાલ જ એના અંતરમાંથી સરી જાય છે ! ન સાધુ-સંઘ પોતાની આ જવાબદારી અદા કરવા તૈયાર છે, ન શ્રાવકસંઘ આ માટે કંઈ કરે એ એને મંજૂર છે ! સને ૧૯૬૩માં “શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘ સમિતિની સ્થાપના એ શ્રાવકસંઘની શ્રીસંઘની શુદ્ધિ અને શક્તિને ટકાવી રાખવા માટેની ચિંતા, તમન્ના અને પ્રયત્નશીલતાની સાક્ષી પૂરે છે; અને ચાર વર્ષ બાદ એ સમિતિનું કરવું પડેલું વિસર્જન, એ શ્રમણસંઘની સત્તાપ્રિયતા, નિષ્ક્રિયતા અગુણજ્ઞતા તેમ જ અદૂરદર્શિતાની કરુણકથા બની રહે એવું છે. પણ સંઘહિતચિંતક મુનિરાજો અને શ્રાવક આગેવાનોએ આ બાબતનો જય-પરાજયની ભાષામાં વિચાર કરવાને બદલે શ્રીસંઘની વર્તમાન શોચનીય પરિસ્થિતિના પ્રકાશમાં વિચાર અને પ્રયત્ન કરવા ઘટે છે. (તા. ૧૨-૭-૧૯૬૯) (૧૪) શ્રમણસંઘના એકત્વ માટે એક આશાસ્પદ પહેલ આપણા મૂર્તિપૂજક જૈન સંઘના મુનિવરોને વિચારવા પ્રેરે એવી શકવર્તી ઘટના આપણા બંધુસમાજ સ્થાનકવાસી જૈન સમાજના મુનિવરોના હાથે બની છે. તાજેતરમાં મારવાડમાં સાદડી મુકામે સ્થાનકવાસી જૈન સંઘના મુનિવરોનું સમેલન તેમ જ સ્થા. જૈ. કૉન્ફરન્સનું બારમું અધિવેશન ભરાયું. તેની કાર્યવાહીનો ટૂંકો અહેવાલ આપણે ખાસ જાણવા અને ધ્યાન આપવા જેવો લાગવાથી અમે તેને પહેલે પાને સ્થાન આપ્યું છે, તે એ આશયથી કે છેવટે બીજાઓની સપ્રવૃત્તિનું અનુકરણ કરવાની ભાવનાથી પણ આપણને સમયની હાકલ મુજબ વર્તવાની જરૂર સમજાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy