SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૧૩ “નિંદા, ટીકા અને ઈર્ષ્યા એ ભયંકર દુર્ગુણોએ શાસનના અંગને ફોલી ખાધું છે. ૪૦-૫૦ વર્ષ પૂર્વે સાધુ પ્રત્યે જે પ્રેમ હતો, સદ્ભાવ હતો, તે આજે નથી.” શ્રમણ-સંઘમાં આચાર-પાલનનું ધોરણ વધારે પ્રમાણમાં નીચું ઊતરવાનું એક કારણ છે અયોગ્ય દીક્ષા. મુંબઈથી પ્રગટ થતા સેવા-સમાજ’ સાપ્તાહિકના તા. ૨૪૧૨-૧૯૬૭ના અંકમાં ‘શ્રી અનુભવી’ તખલ્લુસથી કોઈ ભાઈએ ‘અયોગ્ય દીક્ષાથી સર્જાતા અનર્થો’ નામે એક લેખ લખ્યો છે. એમાં આપણી દીક્ષા આપવાની ઘેલછા તરફ ધ્યાન દોરતાં કહેવામાં આવ્યું છે ‘હમણાં આપણા સમાજમાં અયોગ્ય દીક્ષાઓનો કાર્યક્રમ ફાલીફૂલી રહ્યો છે. દરેક સાધુ-સાધ્વી ચેલા-ચેલી માટે પડાપડી કરી રહ્યાં છે; પછી ભલે તે પાત્ર હોય કે ન હોય. આવી રીતે થવાથી સાધુ-સાધ્વીની સંખ્યા વધી છે; પરંતુ તેમનો જે પ્રભાવ પડવો જોઈએ, તે આજે નથી જણાતો. અયોગ્ય દીક્ષાના પરિણામે ઘણાં સાધુ-સાધ્વીઓ માયકાંગલી અને પામર દશામાં જીવન જીવી રહ્યાં છે....” આ પછી આ લેખમાં જનશક્તિ'માં છપાયેલું લખાણ છાપવામાં આવ્યું છે. એ લખાણની શરૂઆતમાં કહેવામાં આવ્યું છે ‘આજની વાત’ રૂપે અમે અહીં પાલીતાણા જેવા પવિત્ર સ્થાનમાં જૈન સમાજનાં કેટલાંક સાધુ-સાધ્વીઓનો જે કડવો અનુભવ થયો તે અત્રે રજૂ કરીએ છીએ.’’ 66 - ૧૨૧ આ રીતે આ લેખની શરૂઆત કર્યા પછી પાલીતાણામાં રહેતાં કેટલાંક સાધુસાધ્વીઓ આહા૨ તેમ જ બીજી વસ્તુઓ મેળવવા માટે કેવા અયોગ્ય પ્રયત્નો કરે છે એની કેટલીક વિગતો આપી છે. આ બાબતમાં આપણા સંઘનાયકોની બેદરકારી અને આપણી ખામીભરેલી સંઘવ્યવસ્થા જ વધારે દોષપાત્ર છે. ‘સેવાસમાજ’ના ઉપર સૂચિત લેખના અનુસંધાનમાં તા. ૩-૩-૧૯૬૮ના સેવાસમાજ’માં ‘અયોગ્ય દીક્ષાથી સર્જાતા અનર્થોનું સમર્થન કરતી હકીકત' નામે થોડીક વિગતો આપવામાં આવી છે, તે જાણવા જેવી છેઃ Jain Education International ‘હમણાં તાજેતરમાં અગાશી તીર્થમાં બિરાજતા ડેલાવાળા પંન્યાસ સુભદ્રવિજયજી પાસેથી તેમના શિષ્ય તરીકે રહેતા એક મુનિશ્રી તા. ૫-૨-૧૯૬૮ સોમવા૨ના વિદાય થઈ ગયા છે. આ મુનિને સાતમી વારની દીક્ષા પંન્યાસ સુભદ્રવિજયજીએ આપી હતી. દીક્ષા આપતી વખતે જે શિષ્ય સારો ગણાતો હતો તે જ શિષ્ય ગુરુ-શિષ્યના મતભેદને કારણે વિખૂટો પડી ગયેલ છે. બે-ચાર દિવસ પછી વળી બીજા એક મુનિ-મહારાજનું આગમન અગાશી તીર્થમાં થયું છે. તેઓ પણ પોતાને પં. શ્રી સુભદ્રવિજ્યજીના શિષ્ય તરીકે ઓળખાવે છે, પરંતુ હકીકતમાં તે મુનિ પણ સાધુ અને સંસારી એમ બે-ચાર વખત સંતાકૂકડી રમી આવેલા છે... હમણાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy