SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૧૩ છે. કૉન્ફરન્સ વહેલી તકે મહારાષ્ટ્રમાં સાધુસંમેલન અને કૉન્ફરન્સનું અધિવેશન મેળવવાની તત્કાળ જાહેરાત કરે.” પોતાના સમસ્ત સંઘની એકતા અને શુદ્ધિ માટે શ્રાવકસંઘની આવી અખંડ જાગૃતિ અને પ્રયત્નશીલતા એ સ્થાનકવાસી ફિરકાની ખુશનસીબી છે. હવે દિગંબર જૈન ફિરકાની સ્થિતિનું થોડુંક અવલોકન કરીએ. આમ જોઈને તો દિગંબર જૈન સંઘમાં સાધુઓની સંખ્યા બહુ જ મર્યાદિત હોવાથી તેઓમાં અંદર-અંદરના મતભેદ આછા કે ઓછા જોવા મળે, તેમ જ શિથિલતાના કિસ્સાઓ પણ ઓછા બને એ સ્વાભાવિક છે. આમ છતાં, આવો નાનો મુનિસમુદાય ધરાવતા વિશાળ દિગંબર ફિરકામાં એકાદ મુનિ પણ જ્યારે સ્વેચ્છાચારી અને શિથિલાચારી બને છે, ત્યારે એના ઉપર કાબૂ મેળવવામાં દિગંબર શ્રાવકસંઘ પણ લાચારી અનુભવે છે; એક જ દાખલો જોઈએ : ૧૧૯ દિગંબર મુનિસમુદાયમાં ક્ષીરસાગરજી નામે એક મુનિ છે. એમણે મનસ્વી બનીને અને ઉત્કટ સંયમની સાધનાનો માર્ગ છોડીને, જૈન સાધુના આચાર સાથે કોઈ રીતે બંધ ન બેસે એવી કેટલીક અનિચ્છનીય પ્રવૃત્તિઓ હાથ ધરી; એટલું જ નહીં, એમણે ‘તત્ત્વાર્થસૂત્ર’નું પોતાની મનસ્વી રીતે નવસર્જન પણ કર્યું. એમની આ પ્રવૃત્તિને રોકવાનો કોઈ ઉપાય સફળ ન થયો ત્યારે ભારતવર્ષીય દિગંબર જૈન સંઘના મથુરાથી પ્રગટ થતા સાપ્તાહિક હિંદી મુખપત્ર જૈન-સંદેશ’ના તા. ૧૨-૯-૧૯૬૮ના અંકમાં કેટલાક દિગંબર વિદ્વાનોએ એમની વિરુદ્ધના અભિપ્રાયો છપાવ્યા અને છેવટે જૈન-સંદેશ'ના તા. ૨૬-૯-૧૯૬૮ના ‘થોવન્ત મહામુનિી ધૃષ્ટતા” નામે અગ્રલેખમાં એના તંત્રીશ્રીને કહેવું પડ્યું – “પોતાને મહામુનિ, મહાસાહિત્યિક, મહાવાદી અને મહાકવિ કહેનારા મુનિવેશધારી ક્ષીરસાગરજી, જેમને ‘લવણસાગર’ કહેવા એ જ ઉચિત છે, એમણે ‘તત્ત્વાર્થસૂત્ર’ને જે રીતે ભ્રષ્ટ કર્યું છે એ જોઈને તો દિગંબર જૈન સમાજની અજ્ઞતા અને મૂર્ખતા ઉપર રોવું જ આવે છે !... ‘તત્ત્વાર્થસૂત્ર'ને એક એવી વ્યક્તિએ નષ્ટ કરી નાખ્યું છે કે જે ન ક્યાંય ભણી-ગણી છે કે ન જેને સૂત્રના લક્ષણનો પણ કશો ખ્યાલ છે કે ન સંસ્કૃતનો કશો બોધ છે ! એની વિશેષતા ફક્ત એટલી જ છે કે એણે દિગંબર વેશ ધારણ કર્યો છે, અને સમાજની અજ્ઞાનતાભરી અને મૂર્ખતાભરી અંધભક્તિનો એ લાભ લઈ રહ્યો છે.’ જૈન-સંદેશ'ની જેમ બીજાં દિગંબર જૈન પત્રો પણ આ મુનિની પ્રવૃત્તિ સામે અવારનવાર પોતાનો રોષ કે ખેદ પ્રગટ કરતાં જ રહ્યાં છે, છતાં તેઓ આ મુનિની આવી અનિચ્છનીય પ્રવૃત્તિને નાથવામાં કામિયાબ નથી થયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy