SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જિનમાર્ગનું અનુશીલન ત્યાગ અને સંયમ વૃદ્ધિ પામતાં લાગે તો સમજવું કે સંઘ સ્વસ્થ અને તંદુરસ્ત છે અને ધર્મનો અભ્યદય સાધી રહ્યો છે. અને જો એમ લાગે કે આપણામાં તપ, ત્યાગ સંયમની ભાવનાનો હાર થઈ રહ્યો છે, તો, ગમે તેટલા બાહ્ય આડંબરો છતાં સમજવું કે સંઘશરીર રોગગ્રસ્ત બની ગયું છે અને આપણે અધોગતિને મા છીએ. આજની જેનસંઘની સ્થિતિ જોતાં તો લાગે છે કે અત્યારે સંઘનું સ્વાથ્ય જોખમમાં છે અને સંઘની શુદ્ધિની પુનઃ પ્રતિષ્ઠા કેમ થાય, આપણે સાંસ્કૃતિક, ધાર્મિક કે આધ્યાત્મિક અધોગતિના માર્ગેથી કેવી રીતે પાછાં ફરીએ અને આપણાં જીવન અને કાર્ય દ્વારા બીજાઓને જૈનધર્મ અને જૈન સંસ્કૃતિની મહત્તા, ઉપયોગિતા તેમ જ ઉપકારકતાની પિછાણ કેવી રીતે કરાવી શકીએ એ એક પ્રાણપ્રશ્ન બની ગયો છે. એના ઉકેલમાં જ આપણાં યોગક્ષેમ છે, અને એ ઉકેલ શોધવામાં જ ચતુર્વિધ સંઘની સમગ્ર શક્તિઓ યોજી દેવાની જરૂર છે. આમ જોઈએ, તો બીજા મુનિસમેલનના પ્રારંભ-દિને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ સાચું જ કહ્યું હતું કે “આજે આ ચારે ય સંસ્થાઓમાં ભારે ચિરાડો પડી છે”. એટલે કે જૈનસંઘનાં ચારે ય અંગોમાં શિથિલતા પ્રવેશી ગઈ છે, અને આપણે સૌ નર્યા બાહ્યાડંબરના ઉપાસકો બનીને ધર્મની સાચી આત્યંતર ઉપાસના ચૂકી ગયા છીએ. કંઈક રાજદ્વારી કે એવી જ બીજી પરિસ્થિતિને કારણે, અને મુખ્યત્વે તો લોભ-લાલચ-લોલુપતા અને મોહ-માયા-મમતાનાં શિકાર બની જવાને કારણે, આપણો શ્રાવકવર્ગ ધર્મમાર્ગના પહેલા પગથિયારૂપ ન્યાય-નીતિ અને પ્રામાણિકતાનો માર્ગ (શ્રી હેમચંદ્રાચાર્યે સૂચવેલો ચાસિમ્પવિમવનો માર્ગ) જ ચૂકી ગયો છે. જ્યાં પહેલું જ પગથિયું ચૂકી જવાયું હોય ત્યાં પછી આખો જ મૂળ માર્ગ વીસરી જવાય, એમાં નવાઈ શી? ઊલટું જાણે આપણે આપણા મન સાથે સમાધાન કરી લીધું છે કે “એ તો બધું એમ જ ચાલ્યા કરે !” પણ આપણે ભૂલી જઈએ છીએ કે ધર્મની કે ધાર્મિકતાની સાચી કસોટી કપરા લાગતા સંજોગોમાં જ થાય; બાકી સંજોગો બધા સાનુકૂળ હોય તો અપ્રામાણિક બનવાનું કોને ગમે? ધર્મની આ પાયાની વાત ભૂલીને કરવામાં આવતી પ્રવૃત્તિનું પરિણામ કેવળ ધૂળ ઉપર લીંપણ કરવા જેવું જ આવી રહ્યું છે. પણ શ્રાવક-સંઘની આવી શિથિલતાની સાથોસાથ જ સાધુસમુદાયમાં પણ શિથિલતા ઘર કરવા માંડી છે એ ખૂબ ચિંતા ઉપજાવે એવી બાબત છે. સાધુઓ તો સંઘશુદ્ધિ કે સમાજશુદ્ધિના સાચા રખેવાળો ગણાય. એટલે સંઘમાં (શ્રાવક-સંઘમાં) જેમજેમ વધુ શિથિલતા પ્રવેશતી લાગે, તેમતેમ એમણે વધારે જાગૃત રહીને પોતાનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy