SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૨, ૧૩ ૧૦૭ મહારાજશ્રીના આ પ્રવાસનું થોડુંઘણું વર્ણન આ પત્રમાં છપાયું છે તે ઉપરથી તેમ જ મહારાજશ્રીએ કેટલીક વ્યક્તિઓ ઉપર લખેલા પત્રોમાંની માહિતી ઉપરથી સહુ કોઈને પ્રેરણા અને પ્રોત્સાહન આપે એવી એક વાત સ્પષ્ટ તરી આવે છે, કે પંચમહાવ્રતોનો પાળનાર મુનિ ગમે ત્યાં, ગમે તે પ્રદેશમાં, ગમે તે ધર્મના અનુયાયીઓની વચ્ચે જઈ પહોંચે તો પણ એ પોતાના અહિંસા, સંયમ અને તપની છાપ જનતા ઉપર અચૂક રીતે પાડે જ છે; અને જનતા પણ એ ધર્મભાવનાનું બહુમાન કરવામાં અચકાતી નથી. આ બહુ ભારે મહત્ત્વની વસ્તુ છે; અને એમાં જ માનવીની માનવતા ઉપરની શ્રદ્ધાની કસોટી છે. માનવહૃદય ઉપરની આવી શ્રદ્ધાથી પ્રેરાઈને જ રાજા સંપ્રતિએ અનાર્ય ગણાતા દેશોમાં ધર્મપ્રચારને માટે મુનિવરોને મોકલ્યા હતા. પૂ. કનકવિજયજી મહારાજના આ નેપાળપ્રવાસનું એક બીજું પણ શુભ પરિણામ આવ્યું ગણાય. એમના આ પ્રવાસથી એ પ્રદેશની જનતાને એ જાણવા મળ્યું કે વૈભવવિલાસ અને સુખ-સમૃદ્ધિનાં અનેકવિધ સાધનોથી ઊભરાતી આ દુનિયામાં આજે પણ એક એવો ધર્મ હસ્તી ધરાવે છે, જેનો સાધુ કોઈ પણ જાતની સુખ-સગવડની ખેવના કર્યા વગર કેવળ આત્મ-શુદ્ધિની સાધનામાં પોતાનું જીવન વિતાવે છે. આ માટે જૈન-સમાજ મહારાજશ્રીનો ખૂબ ઋણી છે. ' મહારાજના થોડાક પ્રવાસ-વર્ણન ઉપરથી એ પણ જાણી શકાય છે કે ત્યાંના જૈનેતર મહાનુભાવોએ તેમને કેટલો બધો હાર્દિક સાથ આપ્યો હતો. ખાસ કરીને સુપ્રસિદ્ધ હિન્દી કલ્યાણ માસિકના ઉદાર તંત્રી શ્રીયુત હનુમાનપ્રસાદ પોદ્દાર, નેપાળના શ્રી મોહનશમશેર જંગબહાદુર રાણા અને ત્યાંના શ્રી કેશરશમશેર જંગબહાદુર રાણા તેમ જ નેપાળમાંના ભારતના એલચી શ્રી ચંદ્રેશ્વપ્રસાદજી સિંહા વગેરેનાં નામ ઉલ્લેખનીય છે. મહારાજશ્રી આ પ્રવાસનું એક પુસ્તક તૈયાર કરી રહ્યા છે, તે ખૂબ જાણવા જેવી માહિતીથી ભરેલું હશે એવી અમને ઉમેદ છે. અત્યારે જૈનધર્મના પ્રચારની ખૂબ જરૂર છે અને પૂ. કનકવિજયજી મહારાજે એ માટે નમૂનેદાર પુરુષાર્થ કર્યો છે. | (તા. ૧૨-૮-૧૯૫૦) (૧૩) સંઘસ્વાથ્ય અને શ્રમણચર્યા જૈનસંઘના સ્વાથ્યનો વિચાર તપ, ત્યાગ અને સંયમની (અથવા દશવૈકાલિક સૂત્ર અનુસાર અહિંસા, સંયમ અને તપની) કસોટી દ્વારા જ કરી શકાય. સંઘમાં તપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy