SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ નવાંગીવૃત્તિકાર આ.ભ.શ્રી અભયદેવસૂરિજી મહારાજનું જીવનચરિત્ર આ.ભ.શ્રીઅભયદેવસૂરિજી મ.ના જીવનચરિત્રની વાત આવે ત્યારે તેમના ગુરૂ જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરસૂરિની વાત પણ આવે જ. અને તેમના ગુરૂ વર્ધમાનસૂરિની વાત પણ આવે જ. આ. જિનેશ્વરસૂરિવિરચિત કથાકોષપ્રકરણની પ્રસ્તાવનામાં તેના સંપાદક શ્રી જિનવિજયજીએ હિંદી ભાષામાં શ્રી જિનેશ્વરસૂરિના સંબંધમાં (પૃ.૧ થી ૧૨૪) ઘણા જ ઘણા વિસ્તારથી વર્ણન કરેલું છે. જિજ્ઞાસુઓએ ત્યાં જ જોઈ લેવું. બીજું પ્રાચીન વર્ણન વિક્રમસંવત્ ૧૩૩૪ માં રચિત પ્રભાવક ચરિતમાં પ્રભાચંદ્રસૂરિએ કરેલું છે. આ ઉપરાંત પુરાતનપ્રબંધમાં પણ વર્ણન આવે છે. અહીં અમે પ્રભાવક ચરિત્રનો પાઠ સંપૂર્ણ આપીએ છીએ. પ્રભાવકચરિત્રનું સર્વપ્રથમ પ્રકાશન ઈ.સ.૧૯૦૯ (વિ.સં.૧૯૬૫)માં નિર્ણયસાગર પ્રેસમુંબઈથી થયું હતું. પરંતુ તેમાં અશુદ્ધપાઠો અનેક-અનેક હતા. તેના ઉપરથી જૈન આત્માનંદ સભા- ભાવનગર તરફથી વિ.સં.૧૯૮૭માં આનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થયો હતો. આ અનુવાદ સાથે પ.કલ્યાણવિજયજી મહારાજે લખેલું પ્રબંધ પર્યાલોચન પણ પ્રકાશિત થયું હતું. તે પછી ઈ.સ.૧૯૪૦માં શ્રી જિનવિજયજીએ સંશોધિત કરેલું પ્રભાવક ચરિત્ર સિંઘી જૈન ગ્રંથમાલામાં ભારતીય વિદ્યાભવન મુંબઈ તરફથી પ્રકાશિત થયું છે. આના આધારે આ.મ.શ્રી મુનિચંદ્રસૂરિજી આદિએ શુદ્ધ કરેલો અનુવાદ પણ અહીં આપ્યો છે. અને તે પછી પ્રસિદ્ધ ઈતિહાસવેત્તા પં. કલ્યાણવિજયજી મહારાજે લખેલું પ્રબંધ પર્યાલોચન પણ અહીં આપ્યું છે. १९. अभयदेवसूरिचरितम् । "श्रीजैनतीर्थधम्मिलोऽभयदेवः प्रभुः श्रिये । भूयात् सौमनसोद्भेदभास्वरः सर्वमौलिभूः ॥१॥ आदृत्याष्टाङ्गयोगं यः स्वाङ्गमुद्धृत्य च प्रभुः । श्रुतस्य च नवाङ्गानां प्रकाशी स श्रिये द्विधा ।।२।। वदन् बालो यथा व्यक्तं मातापित्रोः प्रमोदकृत् । तद्वृत्तमिह वक्ष्यामि गुरुहर्षकृते यथा ॥३॥ अस्ति श्रीमालवो देशः सद्वृत्तरसशालितः । जम्बूद्वीपाख्यमाकन्दफलं सद्वर्णवृत्तसूः ॥४॥ तत्रास्ति नगरी धारा मण्डलामोदितस्थितिः । मूलं नृपश्रियो दुष्टविग्रहद्रोहशालिनी ॥५॥ श्रीभोजराजस्तत्रासीद्भूपालः पालितावनिः । शेषस्येवापरे मूर्ती विश्वोद्धाराय यद्भुजौ ॥६॥ ૧. આ ગ્રંથ મુંબઈના ભારતીય વિદ્યાભવન- સિંઘી જૈન શાસ્ત્ર વિદ્યાપીઠ તરફથી સિઘી જૈન ગ્રંથમાલામાં ઈ.સ.૧૯૪૯ માં પ્રકાશિત થયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001143
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutram Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2005
Total Pages566
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, G000, G015, & agam_samvayang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy