SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૮૯ ४७ કર્મની અવિપાક નિર્જરા સમ્યકત્વ પ્રાપ્તિથી શરૂ થઈને સર્વજ્ઞ અવસ્થામાં પૂર્ણ થાય છે. આમાં પૂર્વ અવસ્થાની અપેક્ષાએ પરિણામોની વિશુદ્ધિ ક્રમશઃ ઉત્તરોત્તર સવિશેષ વૃદ્ધિ પામતી જાય છે. પરિણામોમાં જેટલી વિશુદ્ધિ વધારે, તેટલી જ કર્મનિર્જરા પણ વિશેષ થાય છે; એટલે કે પહેલી અવસ્થામાં જેટલી કર્મનિર્જરા થાય છે તેના કરતાં તેની આગળની અવસ્થામાં પરિણામોની વિશુદ્ધિ વધારે હોવાથી કર્મનિર્જરા પણ વિપુલ પ્રમાણમાં થાય છે. જ્યારે સર્વ કર્મની સર્વથા સંપૂર્ણપણે નિર્જરા થાય છે ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ કર્મબંધ અનાદિ છે, તેમ નિર્જરા પણ અનાદિ છે. તે પણ સદાકાળથી થતી આવી છે. પરંતુ તે નિર્જરા આંશિક હોય છે, સંપૂર્ણ નિર્જરા થતી નથી. આવી આંશિક નિર્જરા તો પ્રતિપળ થાય છે. થોડી થોડી નિર્જરા તો સમયે સમયે થાય છે અને સાથે સાથે બીજાં નવાં કર્મોનો બંધ પણ થાય છે. આ ક્રમ સતત, અનાદિ કાળથી ચાલુ જ છે. સંસારી જીવોને નવાં કર્મોનો બંધ અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા - એ ક્રમ ચાલ્યા જ કરે છે. ઘરમાંથી કચરો કાઢ્યા પછી પણ નવો કચરો આવ્યા જ કરે છે અને તેથી જ રોજ કચરો કાઢવો પડે છે. આજે કચરો કાઢ્યા છતાં કાલે પાછો કચરો નીકળે છે. ધૂળ આદિનાં રજકણો ઘરમાં સતત આવતાં જ હોય છે. નિર્જરા વખતે પણ જીવને શુભાશુભ અધ્યવસાયો હોવાના કારણે બીજી બાજુ નવો કર્મબંધ પણ થતો જાય છે. જ્યાં સુધી કર્મબંધના હેતુરૂપ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગનું સેવન બંધ ન થાય ત્યાં સુધી કર્મબંધ સતત ચાલુ રહે છે. કર્મબંધના હેતુઓ કાર્યાન્વિત રહે, આસવ દ્વાર ખુલ્લાં રહે તો કર્મનું ગ્રહણ ચાલુ રહે છે. નિર્જરા થતી હોય, પરંતુ તેની સાથે સાથે કર્મબંધના હેતુઓ અટક્યા ન હોય, આસવમાર્ગોનો નિરોધ થયો ન હોય તો ફરી નવો કર્મબંધ થશે જ. જેમ બારી-બારણાં ખુલ્લાં હોવાથી, ઘરમાંથી કચરો કાઢતી વખતે પણ નવો કચરો આવવાનું બંધ થતું નથી, તો પછી ઘર હંમેશ માટે ચોખ્ખું કઈ રીતે રહી શકે? તેમ જીવને નિર્જરા તો થાય છે, પણ આસવરૂપી બારી-બારણાં ખુલ્લાં છે, કર્મબંધના હેતુઓ કાર્યાન્વિત છે; તો પછી કર્મબંધથી જીવ કઈ રીતે બચી શકે? જ્યાં સુધી આસવદ્વાર ખુલ્લાં છે ત્યાં સુધી કર્મબંધથી બચવું સંભવિત જ નથી. નવાં કર્મ તો બંધાતાં જ જાય છે. આત્મા બહારથી આવતાં કર્મોને અટકાવી દે અને નિર્જરા કરે તો પૂર્વકર્મોનો નાશ થઈ જાય અને નવાં કર્મો ન બંધાય. આ જ રીતે આગળ વધતાં એક દિવસ આત્મા સદંતર સર્વથા કર્મરહિત થઈ જાય. આનું જ નામ મોક્ષ છે. કર્મથી સંપૂર્ણપણે છુટકારો થવો એ જ મોક્ષ છે. આ પ્રમાણે મિથ્યાત્વાદિથી દૂર રહી, નવાં કર્મોનું બંધન અટકાવી, પૂર્વકર્મોનું નિર્જરણ કરી જીવ કર્મબંધનથી સર્વથા મુક્ત થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy