SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૨૫ ૭૩૯ સાધનાનો ઉત્સાહ નથી, પુરુષાર્થ કરવો નથી; તેને પ્રકાશ નહીં નકશો જોઈએ છે. તેને તૈયાર સૂચનો જોઈએ છે. તે સ્વયં વિચારણા કરી, વિવેક પ્રગટાવી આગળ વધવા માંગતો નથી. આવો નિર્માલ્ય જીવ ધ્યેય સુધી પહોંચી શકતો નથી. જીવે સદ્દગુરુએ આપેલ સમજણને અંગીકાર કરી વિવેક પ્રગટાવવો જોઈએ, જેથી તે સાધનામાર્ગે આગળ વધી શકે. સદ્ગુરુ જીવને સાચી દૃષ્ટિ આપીને, સાધનાના દરેક વિપ્નને ઓળંગવા માટે - જીવનના દરેક પડકારને ઝીલવા માટે તેને બળિયો બનાવે છે. તેઓ અંધની લાકડી સમાન નથી, પણ અંધને મળતી દષ્ટિ સમાન છે. લાકડી તો ક્યારેક ભૂલી જવાય કે ખોવાઈ પણ જાય. સદ્ગુરુ તો અંધને મળેલી દૃષ્ટિ છે, જે નિરંતર ડગલે ને પગલે સાથે રહીને માર્ગ દેખાડે છે. સદ્ગુરુએ આપેલ દૃષ્ટિ એ જ સાધકજીવનની ખરી મૂડી છે. શિષ્યને આવું શ્રેયસ્કારી માર્ગદર્શન આપનાર મહા ઉપકારી, નિષ્કારણ કરૂણાશીલ સદ્દગુરુનો મહિમા અપરંપાર છે. સમ્યગ્દષ્ટિ બળદની ખરી જે વિષ્ટા ઉપર પડે તે વિષ્ટાને પણ ધન્ય કહી છે. સમ્યગ્દષ્ટિ તિર્યંચ કે જેમનાથી કોઈ જીવ ઉપર ઉપકાર થઈ શકતો નથી, તેમની ખરી નીચેની માત્ર ધૂળ નહીં પણ વિષ્ટા પણ ધન્ય છે! સમ્યગ્દષ્ટિ જીવનું કેવું માહાભ્ય છે! સમ્યગ્દષ્ટિ જીવનું આટલું માહાત્મ છે તો પછી અપાર સંસારસાગર તરી જવાનો ઉપાય બતાવનાર એવા ઉપકારી સમ્યગ્દષ્ટિ ગુરુના માહાભ્યની તો વાત જ શું કરવી? અપાર એવા સંસારસાગરમાંથી તરવાનો સાચો માર્ગ બતાવનાર સદ્ગુરુનું માહાભ્ય અમાપ છે, અજોડ છે, અવર્ણનીય છે. પોતાને સત્પથનું ભાન કરાવી અપાર ભવસમુદ્રમાંથી ઉગારનાર શ્રીગુરુ પ્રત્યે શિષ્યને અત્યંત અહોભાવ વર્તે છે. કોઈ માણસ મધદરિયે તોફાનમાં ફસાયેલો હોય, બધે પાણી જ પાણી દેખાતું હોય, કશે પણ કાંઠો દેખાતો ન હોય, પોતે ક્યાં પડ્યો છે, કિનારો કઈ બાજુએ છે એ સમજાતું ન હોય, ડૂબી જ જવાશે એમ લાગતું હોય, ઊગરવાનો જ માત્ર લક્ષ હોય, તેવામાં હેલીકોપ્ટરમાં કોઈ વ્યક્તિ આવે અને સીડી મોકલીને કહે કે ‘પકડી લે ભાઈ! હું તને ઉપર લઈ લઉં છું'; અને તેને બચાવી લે, તો તે ડૂબતા માણસને તે વ્યક્તિ પરમેશ્વર સમાન લાગે છે. તે તેમનો જેટલો આભાર માને તેટલો ઓછો છે! તેમ ભવસમુદ્રમાં ભ્રમણ કરતા સુશિષ્યનું પણ એક જ લક્ષ હોય છે કે તે આ ભવભ્રમણમાંથી કઈ રીતે બહાર નીકળે? ત્યાં ભવસમુદ્રમાં ફસાયેલા સુશિષ્યને શ્રીગુરુ બહાર નીકળવા માટેનો ઉપાય બતાવે છે, જેને સુશિષ્ય ઉગ્ન પુરુષાર્થ સહિત ગ્રહણ કરીને બચી જાય છે; અને તે સગુરુનો આભાર માને છે. તે ઉપકારવશ ગદ્દગદ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy