SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૨૨ ૬૯૧ જોઈએ, કેમ કે એકને સારો અને બીજાને ખરાબ માનતાં જ સારું ગ્રહણ કરવાની અને ખરાબને છોડવાની વૃત્તિ ઊભી થાય છે, જેના પરિણામે સાક્ષીભાવે રહી શકાતું નથી. સારા-ખરાબનો ભેદ કરનારો કદાપિ સાક્ષી બની શકતો નથી. વિચારોને પકડવાની કે ભગાડવાની ચેષ્ટા કરવા જતાં સાક્ષી ખોવાઈ જાય છે, કંઈક કરવાનો ભાવ પ્રગટતાં તટસ્થ દર્શન કરનારો જ્ઞાયક છુપાઈ જાય છે. વિચાર પ્રત્યેનો કોઈ પણ ભાવ જીવને વિચાર સાથે બાંધી દે છે. વિચારને પકડવાની કે ધક્કો મારવાની પ્રતિક્રિયા એ જીવની સહજ ટેવ છે. જો વીતરાગતા સાધવી હોય તો જીવે આ ટેવનો અંત લાવવો પડશે. પ્રતિક્રિયારહિત નિરીક્ષણ કરવાનું છે. વિચારને પકડવાના પણ નથી અને ધક્કો પણ મારવાનો નથી. તેને માત્ર જોવાના છે. એમાં ખૂબ જાગૃતિની જરૂર પડે છે, કારણ કે સારા વિચાર આવશે અને ટેવ પ્રમાણે તેને પકડવાનું મન પણ થશે તથા ખરાબ વિચાર પણ આવશે અને આદત મુજબ તેને ધક્કો મારવાનું મન પણ થશે. જો જાગૃતિ રાખવામાં આવે તો જ આ વૃત્તિ ધીરે ધીરે શિથિલ થતી જાય છે અને જીવ વિચારોને તટસ્થપણે જોવા સમર્થ બને છે. આ રીતે વિચારોને જોવામાં જે સમર્થ બને છે, તે વસ્તુતઃ વિચારમાંથી મુક્ત થવામાં સમર્થ બને છે અને એક વખત એવો આવે છે કે જ્યારે કોઈ વિચાર જ નથી રહેતો. વિચારોની પસંદગી નાશ પામતાં વિચારોના આગમન માટેનું તેમજ તેને ટકવા માટેનું મૂળ કારણ જ નષ્ટ થઈ જાય છે, પણ જ્યાં સુધી વિચારો માટે શુભઅશુભના નિર્ણયની વૃત્તિ હોય છે ત્યાં સુધી એમ બનતું નથી. આ વૃત્તિ ચિત્તને મૌન અને શાંત બનવામાં બાધક છે. સારા-નરસાના આધારે થયેલી વૈચારિક પસંદગી વિચારોની પેલે પાર લઈ જઈ શકતી નથી, તેથી શુભ કે અશુભ બન્નેની પસંદગી ન કરવી જોઈએ. જેમ બારીમાંથી રસ્તે ચાલ્યા જતા રાહદારીઓને કોઈ જુએ છે, તેવી જ રીતે પોતાની અંદર મનના રસ્તા ઉપર ચાલતા વિચારોરૂપી રાહદારીઓ જોવાના છે - માત્ર જોવાના છે. પરિઘ ઉપર શું ચાલી રહ્યું છે તેને કેવળ જોવાનું છે. રસ્તા ઉપરની અવરજવર જોતાં સજ્જનને જોઈને તેને પકડવાની કે દુર્જનને જોઈને તેને ભગાડવાની ચેષ્ટા કોઈ કરતું નથી; તેમ વિચારોની અવરજવર જોતા રહેવાનું હોય છે, તેમાં એકની પણ પસંદગી કરવાની હોતી નથી. કોઈ નિર્ણય લેવાનો હોતો નથી. કોઈ અશુભ નહીં, કોઈ શુભ નહીં. સારા-નરસાનું મૂલ્યાંકન કરવાનું હોતું નથી, કેવળ દર્શન કરવાનું હોય છે. જેમ રસ્તા ઉપર ચાલતા લોકો પ્રત્યે ઉદાસીન રહેવામાં આવે છે, એમ વિચારવામાં નથી આવતું કે કોણ જઈ રહ્યું છે, ક્યાં જઈ રહ્યું છે; તેમ ચાલી રહેલા વિચારો પ્રત્યે ઉદાસીન થવાનું હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy