SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૧૨૨ ગાથા ૧૨૧માં સુશિષ્ય કહ્યું કે જ્યાં સુધી વિભાવ વર્તે છે ત્યાં સુધી જીવ [2] કર્મનો કર્તા અને ભોક્તા છે, પરંતુ જ્યારે વૃત્તિ આત્મસન્મુખ થાય છે ભૂમિકા ત્યારે તે કર્મનો કર્તા-ભોક્તા રહેતો નથી, અર્થાત્ કર્મનો અકર્તા-અભોક્તા બને છે. વૃત્તિ આત્મસ્વભાવમાં વહેતાં આત્મા અકર્તા-અભોક્તા થાય છે, પરંતુ તે વખતે આત્મા કાંઈ અપરિણામી થઈ જતો નથી, એટલે કે પર્યાય નષ્ટ થઈ જતી નથી. આત્મા અકર્તા-અભોક્તા બનવા છતાં પણ પરિણામનું અસ્તિત્વ રહે છે, પર્યાય રહે છે, કારણ કે દ્રવ્ય અને પર્યાય ક્યારે પણ છૂટાં ન પડી શકે એવું વસ્તુનું બંધારણ છે. આત્મા અકર્તા-અભોક્તા થયો એમ કહેવાનો અર્થ એમ થાય છે કે પરિણામ નિજભાવમાં વહેતાં, પરના કર્તા-ભોક્તાપણાની જગ્યાએ જ્ઞાતા-દ્રષ્ટાપણું આવ્યું અને પોતાના નિજ નિર્મળ પરિણામનો તે કર્તા-ભોક્તા થયો. આમ, વૃત્તિ નિજભાવમાં વહેતાં આત્મા વિકારનો અને જડ કર્મનો અકર્તા-અભોક્તા થયો, તે છતાં પણ તે નિર્મળ પર્યાયરૂપ કાર્યનો કર્તા-ભોક્તા અવશ્ય છે. આ જ વાત પ્રસ્તુત ગાથામાં બતાવવામાં આવી છે – અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; (ગાથા કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ.' (૧૯૨૨) અથવા આત્મપરિણામ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, તેનો નિર્વિકલ્પસ્વરૂપે કર્તાભોક્તા થયો. (૧૨૨) અથવા’ શબ્દ પ્રયોજી આગલી ગાથામાં કરેલી વાત બીજી રીતે વર્ણવતાં ભાવાર્થ સુશિષ્ય કહે છે કે જેનો વિભાવ નિવૃત્ત થયો છે અને જેની વૃત્તિ નિજભાવમાં વહી છે, તે જીવ નિર્મળ પરિણામનો કર્તા અને તેના આનંદનો ભોક્તા બને છે. સ્વાનુભવદશામાં જ્ઞાનોપયોગ આત્મામાં સ્થિર થવાથી નિર્વિકલ્પ સ્વરૂપની અનુભૂતિ થાય છે. ત્યાં મારે કરવું છે', “હું કરું છું', હું ભોગવું છું', “મેં કહ્યું, “ ભોગવ્યું' એવા પરદ્રવ્ય કે સ્વદ્રવ્ય સંબંધીના વિકલ્પો રહેતા નથી. શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં જ સહજ પરિણમન થાય છે, તેથી તે પોતાના શુદ્ધ ચૈતન્યભાવોનો કર્તા અને ભોક્તા થાય છે. પરિણતિ નિજભાવમાં વહેતાં પરના કર્તા-ભોક્તાપણાની જગ્યાએ જ્ઞાતા-દ્રષ્ટાપણું આવે છે અને તે જ ચેતનનું શુદ્ધ સ્વરૂપ છે. શુદ્ધ ચૈતન્યરૂપ પરિણમતાં જ્યારે એ નિર્મળ પર્યાય પોતાને ત્રિકાળી દ્રવ્યપણે અનુભવે છે ત્યારે વૈતપણાના અભાવમાં એક અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy