SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આવા સમયે જ્ઞાનીની શીતળ મધુરી વાણી મળતાં તે આત્મશાંતિની અતિશય તલપથી ચૈતન્યના શાંત રસથી ભરપૂર વાણીનું પાન કરે છે અને તેને તે બોધ અંતરમાં પરિણમી જાય છે. આત્માર્થી જીવને સદ્ગુરુનો ઉપદેશ શ્રવણ કરવામાં અત્યંત ઉલ્લાસ આવે છે. આત્માનો મહિમા વધારવા સદ્દગુરુ એકની એક વાત ફરી ફરી કહે તો તેનાથી તેને કંટાળો નથી આવતો. જીવને દેહ ઉપર રાગ હોવાથી તથા ખાદ્ય પદાર્થો આરોગવાથી દેહની પુષ્ટિ થાય છે એવો વિશ્વાસ હોવાથી, રોટલા વગેરે વારંવાર ખાવામાં કંટાળો નથી આવતો; તેમ સુપાત્ર જીવને આત્માની રુચિ થઈ હોવાથી અને સદ્ગુરુના ઉપદેશથી આત્માર્થનું પોષણ થાય છે એવો વિશ્વાસ હોવાથી, સદ્ગુરુનો બોધ વારંવાર શ્રવણ કરતાં પણ તે કંટાળતો નથી. આત્માર્થી જીવ જગતની મમતા ઘટાડીને, સત્સમાગમે આત્માનું સ્વરૂપ સાંભળી, તે બોધનું ચિંતન કરે છે. સુપાત્ર જીવને સદ્ગુરુ દ્વારા આત્માનો બોધ પ્રાપ્ત થતાં સુવિચારણા જાગે છે. બીજા બધા વિકલ્પો દૂર કરીને તે ફરી ફરી એ બોધનું જ સ્મરણ કરે છે. બોધનું અવલંબન લેતાં તેની શક્તિઓની દિશા બદલાઈ જાય છે. બોધના આશ્રયથી તેનામાં રૂપાંતરણ ઘટિત થાય છે. બોધ એવો કીમિયો છે કે જેનાથી બધું જ બદલાઈ જાય છે. જ્યારે જીવ કોઈ વૃત્તિની પાસે - કોઈ ભાવની પાસે બોધને લઈ જાય છે, તો એ બોધથી તે વૃત્તિના - તે ભાવના ગુણધર્મ બદલાઈ જાય છે અને તેની શક્તિઓ એવી ને એવી જ નથી રહેતી જેવી તે પહેલાં હતી. શક્તિઓ માટે એક નવો માર્ગ ખૂલી જાય છે. હવે એ શક્તિઓ બહિર્યાત્રા નથી કરતી, પણ તેની અંતર્મુખ યાત્રા શરૂ થાય છે. એ આત્મા તરફ ગતિ કરે છે. અનાદિથી જે આત્મસ્વરૂપ એકદમ અપરિચિત ભાસતું હતું, તે હવે પરિચિત લાગવા માંડે છે. અનંત કાળથી પરપદાર્થોમાં તીવ્ર મમતા કરીને જે આત્માનો પરિચય કરવાની તેણે દરકાર કરી ન હતી, તે આત્માનો વારંવાર પરિચય કરવાનું તેને મન થાય છે. શરીરથી ભિન્ન એવા આત્માના અસ્તિત્વનો પરિચય કરવાનો તે વારંવાર પ્રયત્ન કરે છે. આ પુરુષાર્થ કરતાં બહારના કોઈ પણ અંતરાયોથી તે મૂંઝાતો નથી. તે તરફ તેનું લક્ષ પણ જતું નથી. તેના લક્ષમાં તો એકમાત્ર ચૈતન્ય ઘોળાયા કરે છે. જીવનની બાહ્ય પ્રતિકૂળતાઓથી ગભરાઈને તે પોતાની સાધના છોડી દેતો નથી. નાની-મોટી આફતો પસાર કરીને તે આગળ વધતો રહે છે. દરેક આફત પાર કરીને તે મોક્ષમાર્ગે પ્રગતિ કરતો રહે છે. આફતને એકબાજુ ફગાવી તે પોતાનું કામ ચાલુ રાખે છે. તેને તો સ્વભાવની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ચેન નથી પડતું. આવી દશા આવે ત્યારે આત્માની ખરી ધગશ જાગી કહેવાય. આવી દશાવાળો જીવ આત્માને પ્રાપ્ત કરીને જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy