SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૧૨ ૫૧૩ ધ્યાન ધરતા મુનિના પગ પકડી, જેમ ધોબી કપડાં પછાડે તેમ પર્વત ઉપર તેમને પછાડે તોપણ તેઓ સ્વરૂપમાં એકાગ્ર રહે છે. તેઓ આવી આવી ઉગ્ર પ્રતિકૂળતા વખતે પણ વિચલિત થતા નથી. દેહને પર્વત સાથે પછાડે તોપણ મુનિને તેનું કાંઈ પણ દુ:ખ થતું નથી. જેને શરીર ઉપર મોહ છે, તે પોતાના રાગના કારણે શરીરમાં કાંઈક થતાં દુ:ખી થાય છે. શરીર એ દુઃખનું કારણ નથી, પણ શરીર પ્રત્યેનો પોતાનો રાગ એ જ દુઃખનું કારણ છે. મુનિને શરીર ઉપર દૃષ્ટિ ન હોવાથી શ૨ી૨ને હાનિ પહોંચતાં તેમને દુ:ખ થતું નથી. તેમના અંતરમાં અનુભવાતા આનંદને કોઈ પ્રતિકૂળતા સ્પર્શી શકતી નથી. પુણ્ય કે અનુકૂળતાની મીઠાશમાં, પાપ કે પ્રતિકૂળતાની કટૂતામાં અટવાયા વગર તેઓ તો શૂરવીરતા સહિત ઉદ્યમી થઈને આત્માના આનંદના અનુભવમાં રમણતા કરે છે. અંતરમાં એકાગ્ર થઈને ત્રિકાળી ચૈતન્યપ્રવાહરૂપ આત્મામાં મગ્ન થાય છે. સ્વભાવની લીનતા વડે પ્રગટાવેલી શાંતિને જગતના ગમે તેવા પ્રબળ વાયરા પણ ડગાવી શકતા નથી. વીતરાગતાના પંથે વિહરતા મુનિરાજને જગતની કોઈ અનુકૂળતા કે પ્રતિકૂળતા લેશ પણ હલાવી શકે તેમ નથી. સત્સ્વરૂપના મહિમા પાસે સંસારની કોઈ અનુકૂળતા કે પ્રતિકૂળતા ટકતી નથી. ચૈતન્યતત્ત્વ પરમાનંદનું ધામ છે, ત્યાં સદા અનુકૂળતા જ છે. અંતર્મુખ થઈને ચૈતન્યગુફામાં પ્રવેશ થાય પછી બાહ્ય અનુકૂળતા શું કે પ્રતિકૂળતા શું? ચૈતન્યસિંહરૂપી જ્ઞાયકવીરની શૂરવીરતા સામે અનુકૂળતા કે પ્રતિકૂળતા તો ટકી શકતી જ નથી, પરંતુ પરભાવો પણ નથી ટકી શકતા. ચૈતન્યસિંહરૂપી જ્ઞાયકવીર પોતાના પરાક્રમથી જ્યાં જાગ્યો ત્યાં તેના વિકાસને કોઈ રોકી શકતું નથી. મુનિરાજની આત્મસ્થિરતા એટલી બધી સઘન હોય છે કે ચારિત્રમોહના સૂક્ષ્માતિસૂક્ષ્મ અંશનું બળ પણ નથી ચાલતું. ચારિત્રમોહનો હવે સંપૂર્ણ નાશ કરવા માટે તેઓ ઉગ્ન પુરુષાર્થ કરે છે, પરિણામે વીતરાગચારિત્ર પ્રત્યે તેમનું વીર્ય અધિક ને અધિક ઉલ્લસતું જાય છે અને સંપૂર્ણ શુદ્ધ દશા પામવાના પંથે તેઓ વેગપૂર્વક આગળ ધપતા જાય છે. તેઓ છઠ્ઠા ‘પ્રમત્ત સંયત’ ગુણસ્થાનકથી આગળ વધે છે. છઠ્ઠા ગુણસ્થાનકે કષાયની ત્રીજી ચોકડી એવા પ્રત્યાખ્યાનાવરણીય કષાયોનો અભાવ થયો હોવાથી આત્મગુણની નિર્મળતા ઘણી વૃદ્ધિ પામી હોય છે, અંતરંગ સ્થિરતાની વૃદ્ધિ થઈ હોય છે. સ્વરૂપસાધનામાં સંજ્વલન ચારિત્રમોહના ઉદયથી પ્રમાદ થાય છે, તેથી આ ગુણસ્થાનકને ‘પ્રમત્ત સંયત' કહે છે. જ્યારે તે સંયત મહાત્મા પ્રમાદને વશ થાય છે ત્યારે તેઓ પોતાની શાંતિમાં બાધા થઈ હોવાનો અનુભવ કરે છે, તેથી આવા પ્રમાદને નષ્ટ કરવાનો તેઓ ઉગ્ન પુરુષાર્થ કરે છે અને તેમાં સફળ થતાં સાતમા ‘અપ્રમત્ત સંયત’ ગુણસ્થાનની અવસ્થાને પામે છે. છઠ્ઠા પ્રમત્ત સંયત' ગુણસ્થાન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy