SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ભૂમિકા સમકિત છે. આમ, શ્રીગુરુએ ગાથા ૧૦૯ થી ૧૧૧ સુધીમાં વ્યવહાર સમકિત અને નિશ્ચય સમકિતનાં સ્વરૂપનું વર્ણન કર્યું અને સાથે સાથે સમ્યગ્દષ્ટિ જીવની અંતરંગ દશા કેવી હોય પણ દર્શાવ્યું. પરમાર્થ સમકિતનું જે વીતરાગદશારૂપ ફળ છે તે કેવી રીતે પ્રાપ્ત થાય તે સમજાવતાં શ્રીગુરુ હવે આ ગાથામાં કહે છે ગાથા - ૧૧૨ ગાથા ૧૧૧માં શ્રીગુરુએ કહ્યું કે જ્યાં આત્મસ્વભાવનો અનુભવ, લક્ષ અને પ્રતીતિ વર્તે છે તથા જ્યાં વૃત્તિ આત્મસ્વભાવમાં વહે છે ત્યાં પરમાર્થ Jain Education International વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ.' (૧૧૨) અર્થ તે સમકિત વધતી જતી ધારાથી હાસ્ય શોકાદિથી જે કંઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય, જેથી સર્વ રાગદ્વેષના ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય. (૧૧૨) આ સંસારમાંથી મને કાંઈ પણ જોઈતું નથી, મારે તો માત્ર સ્વસ્વરૂપમાં ભાવાર્થ જ ઠરવું છે' એવો દૃઢ નિશ્ચય કરનાર જિજ્ઞાસુ જીવ યથાર્થ પુરુષાર્થ કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં તે જિજ્ઞાસુ જીવને પોતાના શુદ્ધ સ્વરૂપની અનુભવાત્મક પ્રતીતિ થાય છે, શરીર તથા રાગમાં રહેલી એકત્વબુદ્ધિ છૂટે છે અને પોતાના સ્વભાવનો અનુભવ થાય છે. આત્મા જ્ઞાનમાત્ર છે, પરનું કંઈ કરવાનો આત્માનો સ્વભાવ નથી, રાગ-દ્વેષ કરવાનો પણ આત્માનો સ્વભાવ નથી' એવી આત્મપ્રતીતિ તેમને નિરંતર રહે છે. રાગ વખતે પણ તેમના સમ્યક્ત્વાદિ ભાવ જીવંત રહે છે. સમકિતની ઉત્તરોત્તર વૃદ્ધિ થતાં, અર્થાત્ આત્માનુભવની વધતી જતી ધારાથી ચારિત્રના ઘાતક એવા અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની કષાયોરૂપ મિથ્યાભાસ ટળે છે અને સ્વભાવસમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય છે. જેઓ સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક, શુદ્ધોપયોગના સામર્થ્યથી ચારિત્રદશા પ્રગટ કરીને મુનિ થયા છે, તેમનો આનંદ અકથ્ય છે, વચનાતીત છે. જેઓ અવિરતિ સમ્યગ્દષ્ટિ છે, તેમણે તે આનંદ ચાખ્યો છે, પરંતુ સર્વવિરતિધર મુનિવરો જેટલો પ્રચુર આનંદ તેમને નથી હોતો. ચોથા ગુણસ્થાનકે નિર્વિકલ્પ શુદ્ધોપયોગરૂપ ધ્યાનદશા લાંબા કાળે આવે છે અને તે પણ પાછી વિશેષ ટકતી નથી, પાંચમા ગુણસ્થાનકે તે થોડા થોડા કાળે આવે છે અને તે ચોથા ગુણસ્થાનક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy