SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વધે છે, તેમ તેમ જાગૃતિ વિશેષ થતી જાય છે. આત્મસ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસા તથા સ્વકાર્યની લગનીના કારણે સર્વ ઉદયપરિણામોમાં નીરસતા વધતી જાય છે અને અંતરંગ નિર્મળતા પણ વૃદ્ધિગત થતી જાય છે. તેને અંતરથી વિભાવરસ પ્રત્યે જુગુપ્સા ભાવ જાગે છે અને તેથી વિભાવરસ તૂટતો જાય છે. જે વિભાવભાવો પૂર્વે વિચારપદ્ધતિએ સમજાયા હતા, તે હવે નિજ અવલોકનથી અનુભવપદ્ધતિએ સમજાય છે. સત્સંગ દ્વારા એને દષ્ટાંત, તકદિથી સિદ્ધ થયું હતું કે ક્રોધાદિ પરિણામ અપવિત્ર અને દુઃખદાયક છે, પરંતુ ક્રોધાદિ ભાવમાં દુ:ખનો અનુભવ થયો ન હતો. દોષભાવમાં દુઃખ ભાસવું તે અનુભવનો વિષય છે, વિચારનો નહીં. તર્ક, યુક્તિ અને ન્યાયના વિકલ્પમાં રહીને દુઃખની જે સમજણ નથી આવતી, તે અનુભવ દ્વારા આવે છે. અવલોકન દ્વારા દોષના કારણે વ્યાકુળતાનું વદન થાય છે, વિભાવનું ઊંડાણ જણાય છે તથા તે પાછળના અભિપ્રાયનું બળ પકડાય છે અને તેથી અનુભવપૂર્વક નક્કી થાય છે કે ક્ષણે ક્ષણે પલટાતા-પજવતા આ સર્વ વિભાવભાવ ખરેખર અપવિત્ર અને એકાંત દુઃખરૂપ જ છે. હવે તો તેનાથી છૂટવું જ છે. સતત અંતર-અવલોકનનો પ્રયોગ કરતાં પોતાના સૂક્ષ્મ ભાવોનો પરિચય થવા લાગે છે. પ્રથમ પોતાનાં વિભાવપરિણામ સાથે તાદાભ્ય અધ્યાસ હતો, પણ તેનો પરિચય ન હતો. તે વિભાવનો સાચો પરિચય નિજ અવલોકનથી થાય છે. જેમ જેમ પરિચય વધે છે, તેમ તેમ તે ભાવની જાતિની ઓળખ થાય છે. પોતાથી વિરુદ્ધ જાતિના એવા વિજાતીય ભાવોથી પોતાના નિર્મળ જ્ઞાનસ્વભાવની પૃથકતા તેને સ્પષ્ટપણે સમજાય છે. હું જ્ઞાનસ્વરૂપ છું' એ ભાવ અવલોકન સાથે જોડાય છે. તેને રાગાદિ વિભાવભાવો દુઃખરૂપે, આકુળતારૂપે, મલિનતારૂપે અને પોતાથી વિપરીતરૂપે અનુભવાય છે અને જ્ઞાન સુખરૂપે, નિરાકુળતારૂપે, પવિત્ર ભાવે અને સ્વપણે જણાય છે. નિજ દોષનું અપક્ષપાતપણે અવલોકન થતાં થતાં “આ વિભાવરસ છે અને હું તો ત્રિકાળી શુદ્ધ, જાણનાર પદાર્થ છું' એવું ભેદજ્ઞાન સહજપણે નીપજે છે. નિજ અવલોકનના યથાર્થ અભ્યાસ વિના ભેદજ્ઞાન સુધી પહોંચી શકાતું નથી. ભેદજ્ઞાનની પ્રક્રિયા, રાગ તેમજ પરથી ભિન્ન એવા જ્ઞાનસ્વભાવી આત્માને ગ્રહણ કરવાની સૂક્ષ્મ અંતરંગ કાર્યપદ્ધતિ છે. અનાદિથી ભાસતું સ્વભાવ અને વિભાવ વચ્ચેનું એકત્વ શા કારણે છે તે શરૂઆતમાં સમજી શકાતું નથી, તેથી ભેદજ્ઞાન દુર્ગમ લાગે છે, પરંતુ અવલોકનનો અભ્યાસ થવાથી સૂક્ષમતા આવતી જાય છે. તેને વિભાવ તથા જ્ઞાનસ્વભાવ વચ્ચેની સૂક્ષ્મ સંધિ જણાય છે અને તેથી તેનામાં ભેદજ્ઞાન કરવાની ક્ષમતા આવે છે. આમ, નિજ અવલોકનથી ભેદજ્ઞાનનું કાર્ય સધાય છે. પોતાના ભાવોનું અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy