SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦૭ સિદ્ધદશામાં અક્ષય, અનંત આત્મસુખનો અનુભવ થાય છે. આમ, મોક્ષ આત્મામાં છે, મોક્ષનો માર્ગ આત્મામાં છે અને મોક્ષનું સાધન પણ આત્મામાં જ છે. પોતાના આત્મામાં જ પોતાનો ધર્મ છે, પોતે જ આત્મધર્મનો કર્તા છે, આત્મધર્મમાં પરિણમવું એ જ પોતાનું કાર્ય છે. આત્મા પોતે જ, પોતાને, પોતા વડે, પોતાને માટે, પોતાનામાંથી, પોતાનામાં, પોતાનું કાર્ય સિદ્ધ કરવામાં સમર્થ છે. ભેદજ્ઞાનરૂપી છીણી વડે પોતાના આત્માને શરીરાદિ નોકર્મથી, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મથી અને રાગ-દ્વેષાદિ ભાવકર્મથી ભિન્ન કરીને; પોતાના આત્મામાં, આત્મા માટે, આત્મા વડે, આત્માને સ્વયં જાણે છે અને તેમાં જ ઠરે છે ત્યારે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આત્માને પરથી ભિન્નરૂપે ઓળખી, તેમાં જ એકાગ્ર થઈ જેઓ રાગ-દ્વેષાદિ ભાવોનો નાશ કરે છે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષનો આધાર પોતાનો આત્મા જ છે. મોક્ષ આત્માશ્રિત છે. પરાશ્રિત નહીં. મોક્ષનો ઉપાય દેહાશ્રિત નથી. તેથી જ શ્રીમદ્ કહે છે - ‘પંદર ભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેષે, ગમે તે જગોએ, ગમે તે લિંગે કલ્યાણ થાય તે છે.’૧ શાસ્ત્રમાં બતાવેલ સિદ્ધના ૧૫ પ્રકાર આ પ્રમાણે છે. (૧) જિનસિદ્ધ તીર્થંકરપદવી પામીને જે મોક્ષે જાય તે જિનસિદ્ધ. ઉદાહરણ ઋષભદેવાદિ અરિહંત પરમાત્મા. - ૪૦૩ (૨) અજિનસિદ્ધ તીર્થંક૨૫દવી પામ્યા વિના સામાન્ય કેવળી થઈને જે મોક્ષે જાય તે અજિનસિદ્ધ. ઉદાહરણ શ્રી જંબુસ્વામી આદિ સામાન્ય કેવળી. - Jain Education International (૩) તીર્થસિદ્ધ શ્રી તીર્થંકર ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી દેશના અર્થે તરત મળતી પહેલી પર્ષદામાં શ્રી તીર્થંકર ભગવંત ગણધરની તથા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, તે શ્રી ગણધર તથા ચતુર્વિધ સંઘ તીર્થ કહેવાય છે. આ તીર્થની સ્થાપના થયા પછી એ તીર્થના પ્રવર્તન દરમ્યાન જે શ્રી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૯ (ઉપદેશછાયા-૧૩) આ પંદર ભેદોની ગણતરીનો ઉલ્લેખ ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૬૬, વ્યાખ્યાનસાર૨માં જોવા મળે છે. ૨- જુઓ : ‘શ્રી નવતત્ત્વ પ્રકરણ', ગાથા ૫૫ 'जिण अजिण तित्थऽतित्था, गिहि अन्न सलिंग थी नर नपुंसा । पत्तेय સયંબુદ્ધા, बुद्धबो इक्कणिक्का ય !' (નોંધ : પંદર ભેદે સિદ્ધની માન્યતા શ્વેતાંબર આમ્નાય અનુસાર છે. દિગંબર આમ્નાયમાં બધા ભેદોનો સ્વીકાર નથી.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy