SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન તેને એકાંતે ઉત્થાપવામાં આવે તો મોક્ષમાર્ગ પામી શકાતો નથી. છએ પદને અલગ અલગ સમજી, છ પદને એકરૂપ કરીને પોતાનું સ્વરૂપ જાણતાં, એટલે કે ‘હું છું, હું નિત્ય છું, હું કર્તા છું, હું ભોક્તા છું, મારો મોક્ષ છે અને શ્રીગુરુ બતાવે છે એ મારી મુક્તિનો ઉપાય છે.' એમ એ છ પદમાં સ્વપણું લાવતાં મોક્ષમાર્ગ પામી શકાય છે; તેથી જીવે એકાંત માન્યતાઓનો ત્યાગ કરી છએ પદની યથાર્થ શ્રદ્ધા કરવી જોઈએ. આમ, મોક્ષના ઉપાયની સમજણની પ્રાપ્તિને જે પોતાના સદ્ભાગ્યનો ઉદય માને છે તેવા વિવેકવંત સુશિષ્યને શ્રીગુરુ આ ગાથામાં કહે છે કે ‘છએ પદના પ્રશ્નો તેં ઉત્તમ વિચાર કરીને પૂછ્યા છે. તે છ પદનાં સમાધાનને સમજવાં અને અનેકાંતદૃષ્ટિથી છએ પદ સર્વાંગે માન્ય કરવાં એ મોક્ષમાર્ગ છે એમ નિર્ધાર કર.' મોક્ષરૂપી મહેલનું પ્રથમ પગથિયું તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એટલે વિશેષાર્થ સમ્યક્ પ્રતીતિ. સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યપણું પામતાં નથી.૧ સમ્યગ્દર્શન થતાં જ જ્ઞાન સમ્યક્ થાય છે અને ક્રમશઃ ચારિત્ર સમ્યક્ થાય છે. આ ત્રણની પૂર્ણતા અને અખંડતા તે જ મોક્ષ છે. સમ્યગ્દર્શન જીવનાં પોતાનાં જ વિશુદ્ધ પરિણામો વડે પ્રગટે છે. ગુર્વાદનો ઉપદેશ તેમાં નિમિત્તકારણ છે. પરિણામોને નિર્મળ કરવાનો પુરુષાર્થ તો જીવે જાતે જ કરવાનો છે. પોતાના કલ્યાણની જવાબદારી જીવની પોતાની જ છે. સદ્ગુરુ તો મોક્ષમાર્ગ દર્શાવે છે. તે માર્ગ ગ્રહણ કરવાનો તથા તેના ઉપર ચાલવાનું તો જીવે પોતે જ કરવાનું છે. આ કાર્ય પોતાના જ પુરુષાર્થથી પોતાના જ દ્રવ્યમાં થાય છે. સ્વરૂપની યથાર્થ સમજણ દ્વારા ઉપયોગને સ્વમાં એકાગ્ર કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. સદ્ગુરુના ઉપદેશ દ્વારા નવ તત્ત્વની, છ પદની યથાર્થ શ્રદ્ધા કરી, ઉપયોગ અંતર્મુખ કરતાં, વિકલ્પરહિત અવસ્થામાં સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિ બે પ્રકારે થાય છે (૧) નિસર્ગ બાહ્ય નિમિત્ત વિના, પૂર્વસંસ્કારના બળ વડે જે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. તેને નિસર્ગજ સમ્યગ્દર્શન કહે છે. સમ્યગ્દર્શન પ્રગટવાના સમયે ઉપદેશાદિ બાહ્ય નિમિત્ત પ્રત્યક્ષ હાજર ન હોય, પણ કર્મના ઉપશમાદિના નિમિત્તે પૂર્વસંસ્કારના બળ વડે જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે તેને નિસર્ગજ સમ્યગ્દર્શન કહેવાય છે. - (૨) અધિગમ ગુરુ-ઉપદેશ, સત્ત્શાસ્ત્ર, મૂર્તિ આદિ બાહ્ય નિમિત્તથી જે સમ્યગ્દર્શન થાય છે તેને અધિગમજ સમ્યગ્દર્શન કહે છે. પ્રત્યક્ષ ઉપદેશાદિ બાહ્ય નિમિત્તપૂર્વક ૧- જુઓ : પંડિત શ્રી દૌલતરામજીરચિત, ‘છ ઢાળા', ઢાળ ૩, કડી ૧૭ ‘મોક્ષમહલકી પરથમ સીઢી, યા વિન જ્ઞાન ચરિત્રા; સભ્યતા ન લહે, સો દર્શન ધારો ભવ્ય પવિત્રા' Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy