SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦૩ ૩૩૯ વૈભવ પાસે જગતના બધા વૈભવ તેમને તુચ્છ લાગે છે. પોતાના ચિદાનંદસ્વભાવમાં જ અતીન્દ્રિય સુખ છે એમ અનુભવથી જાણ્યું હોવાથી અને તે સુખ ચાખ્યું હોવાથી તેમને બહારમાં કશે પણ સુખબુદ્ધિ થતી નથી. અંદરનો રસ ચાખતાં બહારનો બધો મહિમા ખરી પડે છે. આ પ્રમાણે સ્વ અને પરનું યથાર્થ ભાસન થતાં જગતના સમસ્ત પદાર્થો અને ભાવો પ્રત્યે તેમને સાચી ઉદાસીનતા ઊપજે છે. તે ઉદાસીનતા વિકાસ પામતી પામતી પૂર્ણપદની પ્રાપ્તિમાં સહાયકારી થતી જાય છે. જે પદાર્થોનું માહાભ્ય દષ્ટિમાં નથી અને જે પ્રસંગોની અગત્યતા જીવનમાં નથી, તેવા પદાર્થો કે પ્રસંગોનો પરિચય પૂર્વકર્મોદયના કારણે રહે તોપણ તે પદાર્થો અને પ્રસંગોમાં તેમને હિતબુદ્ધિ થતી નથી. તે સર્વ તેમને અનિત્ય અને અસાર, અસ્થિર અને અસુંદર જ ભાસે છે. તેઓ તેમાં લેવાતા નથી. શ્રીમદ્ કહે છે – સમ્યગ્દષ્ટિ હર્ષશોકાદિ પ્રસંગમાં તદ્દન એકાકાર થાય નહીં. તેમના નિર્ધ્વસ પરિણામ થાય નહીં; અજ્ઞાન ઊભું થાય કે જાણવામાં આવ્યું તરત જ દાબી દે; બહુ જ જાગૃતિ હોય. જેમ કોરો કાગળ વાંચતા હોય તેમ તેમને હર્ષશોક થાય નહીં. ભય અજ્ઞાનનો છે. જેમ સિંહણને સિંહ ચાલ્યો આવતો હોય અને ભય લાગતો નથી પણ મનુષ્ય ભય પામી ભાગી જાય છે; જાણે તે કૂતરો ચાલ્યો આવતો હોય તેમ સિંહણને લાગે છે, તેવી રીતે જ્ઞાની પદ્ગલિક સંયોગ સમજે છે. રાજ્ય મળે આનંદ થાય તો તે અજ્ઞાન. જ્ઞાનીની દશા બહુ જ અદ્દભુત છે." જેમને આત્મજ્ઞાન થાય તેમને સાંસારિક ક્રિયા તે સમયથી ન જ હોય એવો કોઈ નિયમ નથી. સમ્યકત્વ ઉત્પન્ન થયા પછી સાંસારિક ક્રિયા સંભવે છે, પણ તેઓ તે રસરહિતપણે કરતા હોય છે. તેમને માત્ર આત્મસ્વરૂપમાં જ રસ હોય છે, તેમાં જ ઠરવાની પ્રબળ અભિલાષા હોય છે. કર્મવશાત્ દેહની પ્રાપ્તિ થઈ હોવાથી દેહવ્યવહાર ચલાવે છે, પરંતુ હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહાદિ કોઈ પણ મારાં નથી' એમ નિશ્ચય શ્રદ્ધા થઈ હોવાથી જ્ઞાન, વીર્ય, ઉલ્લાસ, રસ બધું નિજાત્મતત્ત્વ તરફ જ વહે છે. દેહવ્યવહાર ચલાવવા છતાં તેઓ આત્માની કાળજી લેવાનું ચૂકતા નથી. જેમ પોતાનો અગત્યનો કેસ કોર્ટમાં ચાલતો હોય ત્યારે અસીલ વકીલને ત્યાં મીઠાઈ-રમકડાં વગેરે અનેક ભેટસોગાદો મોકલતો રહે છે. વકીલની પત્ની તથા તેનાં સંતાનોને લાગે કે “આ ભાઈને અમારા ઉપર કેટલો પ્રેમ છે, અમારું કેટલું ધ્યાન રાખે છે', પરંતુ તે વકીલ જાણતો હોય છે કે આ કેસ ચાલે છે ત્યાં સુધી જ આ બાહ્ય સ્નેહસંબંધની ચેષ્ટાઓ છે. તેમ જ્ઞાની પુરુષો પણ જ્યાં સુધી કર્મનો ઉદય હોય ત્યાં સુધી પ્રવૃત્તિ કરે છે, પણ તે કરતાં છતાં અંતરમાં તો અંશમાત્ર પણ અહં-મમભાવ નથી. તેમનું ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૮૭-૬૮૮ (ઉપદેશછાયા-૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy