SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦૨ ૩૦૯ આત્મામાં વિકૃતિ કરવાનો આઠ પ્રકારનાં કર્મોનો સ્વભાવ ઉપમા દ્વારા સરળતાથી સમજી શકાશે - (૧) જ્ઞાનાવરણીય કર્મ આંખે બાંધેલા પાટા સમાન છે. આંખે પાટો બાંધવાથી જેમ કોઈ ચીજ દેખાતી નથી, તેમ આત્માના જ્ઞાનરૂપ નેત્ર ઉપર જ્ઞાનાવરણીય કર્મરૂપ પાટો આવી જવાથી આત્મા જ્ઞાન કરી શકતો નથી. જેમ જેમ પાટો વધુ ને વધુ જાડો થતો જાય, તેમ તેમ ઓછું ને ઓછું દેખાય; તેવી રીતે જ્ઞાનાવરણીયનું આવરણ જેમ જેમ વધે, તેમ તેમ જ્ઞાન ઓછું ને ઓછું થાય અને જેમ જેમ આવરણ ઘટે, તેમ તેમ જ્ઞાન વધુ ને વધુ થાય. આત્મા સર્વથા જ્ઞાનરહિત બનતો નથી. ગમે તેટલાં ગાઢ કર્મ હોય તોપણ જીવને અલ્પ જ્ઞાન તો અવશ્ય હોય જ છે. (૨) દર્શનાવરણીય કર્મ પ્રતિહાર (દ્વારપાળ) સમાન છે. પ્રતિહાર રાજ્યદરબારમાં આવતી વ્યક્તિને જો રોકી રાખે તો તેના કારણે વ્યક્તિને જેમ રાજાનાં દર્શન થતાં નથી, તેમ દર્શનાવરણીય કર્મના કારણે જીવ વસ્તુનું દર્શન કરી શકતો નથી; અર્થાત્ આ કર્મના કારણે જીવને વસ્તુનું સામાન્ય બોધરૂપ જ્ઞાન થઈ શકતું નથી. (૩) વેદનીય કર્મ મધ વડે લેપાયેલી તલવારની તીક્ષ્ણ ધાર સમાન છે, કેમ કે તેને ચાટતાં સ્વાદ તો લાગે છે, પણ ધારના કારણે જીભ કપાતાં પીડા થાય છે; તેમ આ વેદનીય કર્મથી થતો સુખનો અનુભવ પણ પરિણામે તો દુ:ખ આપનારો જ થાય છે. કરે છે; ત્યારે તેમાં અનુકૂળ થતું જે દ્રવ્યકર્મ આત્મપ્રદેશોથી ખરવા તૈયાર થયું હોય છે તે કર્મ ઉપર નિમિત્તનો આરોપ આવે છે. જીવ પોતાના પુરુષાર્થના દોષ વડે પોતાની વિકારી અવસ્થા કરે ત્યારે પૂર્વે બંધાયેલાં કર્મોના વિપાકને ‘ઉદય' કહેવામાં આવે છે. તેથી એમ કહેવું યથાર્થ છે કે જ્યારે આત્મા પોતે પોતાના જ્ઞાનભાવનો ઘાત કરે ત્યારે આત્માના જ્ઞાન ગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. જીવ પોતાના સ્વરૂપને ભૂલીને અન્યને પોતાના સમજે અથવા સ્વરૂપાચરણમાં અસાવધાની કરે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને મોહનીય કર્મ કહે છે. જ્યારે જીવ પોતાના મોહભાવ વડે આકુળતા કરે છે ત્યારે અનુકૂળતાપ્રતિકૂળતારૂપ સંયોગ પ્રાપ્ત થવામાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને વેદનીય કર્મ કહે છે. એવી જ રીતે દરેક કર્મ માટે સમજવું. જીવ પોતે પોતાના સત્ય પુરુષાર્થ વડે જો વિકાર કરે નહીં ત્યારે દ્રવ્યકર્મોના તે જ સમૂહને ‘નિર્જરા' નામ આપવામાં આવે છે. આત્માનું સ્વભાવરૂપ કે વિભાવરૂપ પરિણમન અને કર્મનું પરિણમન, બન્ને પરિણમન સ્વતંત્ર જ છે. કર્મ જીવને વિકારરૂપે પરિણાવે છે એવાં શાસ્ત્રીય કથનો નિમિત્તની મુખ્યતાથી, નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવવા પૂરતાં કરાયેલાં વ્યવહાર કથનો છે. નિશ્ચયનયથી તો દ્રવ્યકર્મો જીવને કદી નુકસાન કરી શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યના કાર્યનો કર્તા થઈ શકે નહીં એવી વસ્તુસ્થિતિની મર્યાદા છે. ૧- જુઓ : (૧) શ્રી નવતત્ત્વ પ્રકરણ', ગાથા ૩૮ (૨) સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીત, ‘ગોમ્મસાર', અધિકાર ૧, ગાથા ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy