________________
ગાથા-૧૦૨
૩૦૭
આચ્છાદન કરે છે. વેદનીય એટલે દેહનિમિત્તે શાતા, અશાતા બે પ્રકારનાં વેદનીયકર્મથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ જેનાથી રોકાઈ રહે તે. મોહનીયકર્મથી આત્મચારિત્રરૂપ શક્તિ રોકાઈ રહી છે. નામકર્મથી અમૂર્તિરૂપ દિવ્ય શક્તિ રોકાઈ રહી છે. ગોત્રકર્મથી અટલ અવગાહનારૂપ આત્મશક્તિ રોકાઈ રહી છે. આયુકર્મથી અક્ષય સ્થિતિ ગુણ રોકાઈ રહ્યો છે. અંતરાય કર્મથી અનંત દાન, લાભ, વીર્ય, ભોગ, ઉપભોગશક્તિ રોકાઈ રહી છે.’
આ આઠ કર્મપ્રકૃતિઓની આત્માના ગુણો ઉપર અસર થવાથી આત્માની સ્થિતિ કેવી બને છે તે વિસ્તારથી જોઈએ. આત્મામાં રહેલા જ્ઞાન અને દર્શન ગુણને સમજવા માટે એ સમજવાની જરૂર છે કે દરેક વસ્તુનો બોધ સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે થાય છે. વસ્તુનો સામાન્યરૂપે બોધ તે દર્શન અને વસ્તુનો વિશેષરૂપે બોધ તે જ્ઞાન. જ્ઞાન અને દર્શન એ બન્ને બોધસ્વરૂપ જ છે. આ જ્ઞાન અને દર્શન ગુણ દ્વારા આત્મામાં ભૂત, વર્તમાન અને ભાવિ એ ત્રણે કાળની સમસ્ત વસ્તુઓનો સામાન્યરૂપે અને વિશેષરૂપે બોધ કરવાની શક્તિ છે. પરંતુ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મની પ્રકૃતિઓના કારણે જીવને અત્યારે ભૂત અને ભાવી કાળની વસ્તુઓની વાત તો દૂર રહી, વર્તમાન કાળની વસ્તુઓમાં પણ અમુક જ વસ્તુઓનો બોધ થાય છે અને તે પણ ઇન્દ્રિયોની અને મનની સહાયથી, જ્ઞાનાવરણીય કર્મના કારણે જીવની જ્ઞાનશક્તિ પૂર્ણ વ્યક્ત થતી નથી અને દર્શનાવરણીય કર્મના કારણે જીવન દર્શનશક્તિ પૂર્ણ વ્યક્ત થતી નથી. આ બન્ને કર્મપ્રકૃતિઓએ આત્માની જ્ઞાન-દર્શનની શક્તિને દબાવી દીધી છે, છતાં પણ એ પ્રકૃતિઓ આત્માના જ્ઞાન-દર્શન ગુણને સર્વથા નથી દબાવી શકતી. એ કર્મોના લયોપશમ અનુસાર જ્ઞાન-દર્શનની કિંચિત્ વ્યક્તતા હંમેશાં રહે છે.
આત્માનો ત્રીજો ગુણ અવ્યાબાધ સુખ છે. આ ગુણના પ્રભાવથી દરેક આત્મામાં સ્વાભાવિક - સહજ સુખ રહેલું છે. સુખી થવા માટે તેને ભૌતિક વસ્તુની અપેક્ષા રહેતી નથી, છતાં સંસારી જીવ દુઃખી થાય છે. જે યહૂકિંચિત્ સુખ અનુભવે છે તે પણ ભૌતિક વસ્તુઓ દ્વારા થાય છે. આમાં વેદનીય કર્મ કારણભૂત છે. વેદનીય કર્મ વડે (શરીરમાં અથવા શરીરથી) બાહ્ય અનેક પ્રકારનાં સુખ-દુ:ખના કારણરૂપ પરસંયોગ પ્રાપ્ત થાય છે અને તે દ્વારા તે શાતા કે અશાતા ભોગવે છે.
આત્મામાં ચોથો ગુણ સ્વભાવરમણતારૂપ અનંત ચારિત્ર છે. આત્મામાં કેવળ પોતાના જ ભાવમાં રમણતા કરવાનો ગુણ છે, છતાં મોહનીય કર્મના કારણે આ ગુણનો અભિભવ થઈ ગયો છે; એટલે આત્મા ભૌતિક વસ્તુ મેળવવી, સાચવવી, તેના પ્રત્યે રાગ-દ્વેષ કરવા વગેરે પરભાવમાં રમે છે. આ કર્મ વડે જે જીવના સ્વભાવરૂપ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૨૯ (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૧૦૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org