SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩OO ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કરતાં ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય છે અને સ્વરૂપ આવિર્ભત થાય છે. આમ, અલ્પ શબ્દોમાં શ્રીમદે મોક્ષમાર્ગની સંપૂર્ણ વિધિ ગૂંથી લીધી છે. સતુદેવ-સતુગુરુ-સતુધર્મ એ ત્રણ તત્ત્વોની પરમ ભક્તિથી ઉપાસના તે વ્યવહાર મોક્ષમાર્ગ છે અને તે ઉપાસના શુદ્ધાત્માની પ્રાપ્તિરૂપ નિશ્ચય મોક્ષમાર્ગનું કારણ છે. જે જીવ સુદેવ-સુગુરુ-સુધર્મથી વિમુખ વર્તતો હોય, તેવા જીવની વૃત્તિ આત્માની સન્મુખ થતી નથી. સુદેવ-સુગુરુ-સુધર્મની ઉપાસનાથી જીવના મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયોની તીવ્રતા ઓછી થાય છે, વિશુદ્ધતા વધે છે અને તેનામાં આત્માનો યથાર્થ નિર્ણય અને અંતર્મુખ ઉપયોગ માટેની ક્ષમતા આવે છે. જેમણે શુદ્ધાત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તેવા સગુરુના ગુણોનું ચિંતન, તેમનાં વચનોનું મનન અને તેમની પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન દ્વારા સાધકે ચિત્તની એકાગ્રતા સાધવી જોઈએ. સદ્ગુરુના સ્વરૂપની યથાર્થ ઓળખાણપૂર્વક તેમની ભક્તિ કરવાથી, તે ભક્તિ દ્વારા પોતાના સ્વરૂપનો મહિમા વધે છે. જેમ ધનની પ્રીતિવાળો ધનવાનના ગુણગાન કરે છે, પરંતુ તે ખરેખર ધનવાનના નહીં પણ ધનના જ ગુણગાન છે; તેમ જેને અનંત ગુણમય આત્માની રુચિ થઈ છે, તે સદ્ગુરુના ગુણગાન દ્વારા પણ આત્માનો જ મહિમા ગાય છે. આ રીતે વ્યવહારમોક્ષમાર્ગરૂપ સાધન નિશ્ચયમોક્ષમાર્ગરૂપ સાધ્ય પ્રતિ લઈ જાય છે. ૧ આમ, સદ્ગુરુ દ્વારા પોતાનું સ્વરૂપ બરાબર જાણી, પરદ્રવ્યને પૃથક સમજી, પરભાવને ક્ષણિક વિકાર ગણી શુદ્ધ જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકવું જોઈએ. સર્વ ઉપરથી દૃષ્ટિ ઉઠાવીને ‘હું ભગવાન ધ્રુવ જ્ઞાયક આત્મા છું' એમ ધ્રુવ જ્ઞાયકમાં અહંપણે પરિણમીને જ્ઞાયકમાં દૃષ્ટિને સ્થાપવી જોઈએ. બીજી સર્વ જગ્યાએથી દષ્ટિને સંકેલી લઈને, અંતરમાં જે જ્ઞાનાનંદસ્વરૂપ, અનાદિ-અનંત ગુણસાગર નિજજ્ઞાયક આત્મા બિરાજે છે તેને દૃષ્ટિમાં લઈ અનુભવગત કરવો જોઈએ. સ્વભાવનો આશ્રય કરીને એવું નવું પરિણમન - નવું સર્જન કરવું જોઈએ કે જેથી પર્યાયમાં શુદ્ધતા પ્રગટે અને શુભાશુભ ભાવરૂપ અશુદ્ધતાનો વ્યય થાય. આ જે શુદ્ધતા પ્રગટે તે મોક્ષમાર્ગરૂપ છે. સદા અનુત્પન્ન અને અવ્યય એવા નિજ ત્રિકાળી જ્ઞાયકસ્વભાવના પૂર્ણ અવલંબનથી જ મોક્ષપર્યાય પ્રગટે છે. મોક્ષ એટલે નિજ પૂર્ણાનંદની પ્રાપ્તિ. મોક્ષ એટલે સંસારનાં સર્વ દુઃખોથી સંપૂર્ણપણે છુટકારો. પરિપૂર્ણ, અતીન્દ્રિય સુખ અને શાંતિસ્વરૂપ જે આત્મલાભ તેનું નામ મોક્ષ છે. ૧- જુઓ : (૧) પંડિત શ્રી દીપચંદજી કાસલીવાલકૃત, અનુભવપ્રકાશ', પૃ.૪૨ ‘એ નિશ્ચયરત્નત્રય, પ્રથમ વ્યવહારરત્નત્રય થતાં થાય છે; માટે વ્યવહારરત્નત્રય સાધક છે, નિશ્ચયરત્નત્રય સાધ્ય છે.' (૨) ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજીરચિત, ‘તત્ત્વજ્ઞાનતરંગિણી', અધ્યાય ૧૨, શ્લોક ૫ 'निश्चयव्यवहाराभ्यां द्विधा तत्परिकीर्तितं । सत्यस्मिन व्यवहारे तन्निश्चयं प्रकटीभवेत ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy