SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦૧ ૨૯૧ રહે છે. ફૂલના કારણે સ્ફટિકની નિર્મળતા ભલે જણાય નહીં, પણ તે પોતાની નિર્મળતાને ખોઈ બેસતું નથી. તે લાલ ફૂલના સંયોગે લાલ જણાય છે ત્યારે પણ તેની નિર્મળતા નષ્ટ થઈ જતી નથી. સામર્થ્ય અપેક્ષાએ તે નિર્મળ જ રહે છે. લાલ જણાય ત્યારે પણ સામર્થ્યરૂપ નિર્મળતા મોજૂદ છે. તેવી રીતે પારદ્રવ્યના સંયોગ અને પરભાવરૂપ પરિણમનથી આત્માની નિર્મળતા ભલે અવરાય, પણ આત્મા સ્વભાવે નિર્મળ અને શુદ્ધ જ રહે છે. આત્મા શુભ ભાવરૂપ કે અશુભ ભાવરૂપ થાય છે ત્યારે પણ તેની શુદ્ધતા નષ્ટ થઈ જતી નથી. સામર્થ્ય અપેક્ષાએ તે શુદ્ધ જ રહે છે. શુભાશુભ દશા વખતે પણ સામર્થ્યરૂપ શુદ્ધતા મોજૂદ છે. આત્માને અશુદ્ધ ભાવ થવા છતાં સ્વભાવમાં અશુદ્ધતા નથી આવતી. આત્માનું સ્વરૂપ પોતાનો સ્વભાવ છોડીને વિકારરૂપે થાય એવું ક્યારે પણ બનતું નથી. નિર્મળ સ્ફટિકમાં લાલ ફૂલની ઝાંખી દેખાય છે તે ખરેખર તો તેની સ્વચ્છતાનું પરિણમન છે. તેમ નિર્મળ, ચૈતન્યસ્વરૂપ આત્માના જ્ઞાનમાં પરપદાર્થો કે પરભાવો જણાય છે, ત્યાં ખરેખર જ્ઞાનચેતના તે રૂપે થઈ નથી જતી, જ્ઞાનચેતના તો તેનાથી જુદી, નિર્મળરૂપ પરિણમે છે. સ્ફટિક મણિને લાલ થયેલો જોઈને બાળક રડવા માંડે છે કે “અરેરે! મારો સ્ફટિક મણિ સર્વથા મેલો થઈ ગયો', પરંતુ ઝવેરી લાલાશ સમયે જ તેમાં મોજૂદ રહેલી નિર્મળતાને જાણતો હોવાથી તે નિર્ભય રહે છે; તેવી રીતે દેહાદિ સંયોગ અને રાગાદિ વિભાવને જોઈને અજ્ઞાની આત્માને સર્વથા મેલો થઈ ગયેલો માનીને દુઃખી દુઃખી થઈ જાય છે, પરંતુ જ્ઞાની શુભાશુભ ભાવ સમયે જ મોજૂદ રહેલી શુદ્ધતાને જાણતા હોવાથી તેઓ નિર્ભય રહે છે. સ્વભાવની શુદ્ધતાના ભાન વિના શુદ્ધ પરિણતિ પ્રગટતી નથી. સ્ફટિક મણિ સમાન નિર્મળ આત્મસ્વભાવ ઉપર દૃષ્ટિ કરવાથી પર્યાયમાં પણ નિર્મળતા પ્રગટે છે. બાહ્ય ઉપાધિથી રહિત, અર્થાત્ નામ કર્મના ઉદયથી મળેલ મનુષ્યદેહાદિ તથા ચારિત્રમોહનીય કર્મના ઉદયમાં થતાં રાગાદિ પરિણમનથી પોતાનું સ્વરૂપ ભિન્ન છે એવું ભાન થવાથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે અને એ જ ભાનમાં સ્થિર રહેવાથી મોક્ષપ્રાપ્તિ થાય છે. ઉપયોગ લક્ષણ વડે લક્ષિત તથા શરીરાદિ સંયોગો અને રાગાદિ વિકારોથી ભિન્ન એવા ચૈતન્યસ્વરૂપમાં જ કેલી કરતાં જીવ મહા આનંદિત થાય છે. તેથી પ્રથમ શરીરથી અને રાગથી ભિન્ન એવા આત્માને શોધવાનો છે. અત્યાર સુધી ઉપયોગસ્વરૂપને ભૂલીને દેહરૂપે, રાગરૂપે જ જીવે પોતાને માની પોતાની હિંસા કરી છે, તેથી ચાર ગતિમાં ભટકી ભટકીને તે દુઃખી થયો છે. તે શરીરથી અને રાગથી ભિન્ન એવા ચૈતન્યમય આત્મતત્ત્વને જાણતો નથી અને દેહરૂપે, રાગરૂપે જ પોતાને અનુભવે છે. તેણે દેહ તથા રાગથી અત્યંત ભિન્ન આત્મસ્વરૂપની ઓળખાણ અવશ્ય કરવા યોગ્ય છે. જે નિત્ય ઉપયોગસ્વરૂપ છે તે જીવ છે. ઉપયોગ એ જ આત્માનું લક્ષણ છે. ઉપયોગ સિવાય બીજા બધા સંયોગલક્ષણરૂપ ભાવો સ્વભાવની બહાર છે. તે સ્વભાવલક્ષણ નથી. રાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy