SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૯૮ ૨૨૯ શ્રી યશોવિજયજી મહારાજ લખે છે – નાણ પરમ ગુણ જીવનો, નાણ ભવન્નવ પોત; મિથ્યામતિ તમ ભેદવા, નાણ મહા ઉદ્યોત." જ્ઞાન એ જીવનો પ્રધાન ગુણ છે, જ્ઞાન એ ભવસાગર પાર કરવા માટે વહાણ સમાન છે, જ્ઞાન એ મિથ્યાત્વરૂપ મહા અંધકારનો નાશ કરવા માટે મહાન પ્રકાશ છે. આત્મસ્વરૂપનું અભાન, દેહમાં “હું બુદ્ધિ એ જ તત્ત્વથી અજ્ઞાન છે. એ અજ્ઞાન ટાળી આપે તે જ્ઞાન. આ જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના બધું જાણેલું નિષ્ફળ છે. આત્મજ્ઞાન વિના જન્મોજન્મની દોડ રેતી ઉપર દોરેલી લીટીની જેમ વ્યર્થ છે. આત્માને જાણ્યા વિના સુખ, શાંતિ અને સલામતી નથી મળતાં. જ્ઞાનપ્રકાશ વિના જીવ દુઃખી, ભયભીત રહે છે. જેવી રીતે રાત્રિના અંધકારમાં દોરડું સર્પ જેવું લાગતાં એ દોરડું ચિત્તમાં ભય જન્માવે છે. અનેક પ્રકારના પ્રતિભાવ એકસાથે ઉદ્ભવે છે. છાતીમાં ફડક પેસી જાય છે, નાડી તેજ ચાલવા માંડે છે, શ્વાસોચ્છવાસ વધી જાય છે, પરસેવો રેલાવા માંડે છે, ગળામાંથી ચીસ નીકળી પડે છે. એ વખતે ‘આ સર્પ નથી, ડરવાની જરૂર નથી' વગેરે સમજાવટથી એ ભય નિર્મળ નથી થતો, પણ દીપક લાવીને એ “સર્પ' ઉપર ધરતાં જ્યારે દોરડું દેખાય છે અને ખબર પડે છે કે એ સર્પ નથી, ત્યારે બધો ભય દૂર થઈ જાય છે. તેવી જ રીતે માત્ર બુદ્ધિ વડે તત્ત્વાર્થનો સ્વીકાર કરવાથી અનાત્મમાં આત્મબુદ્ધિ કે પરમાં સુખબુદ્ધિ નાશ થતી નથી, પરંતુ અનુભવની નિર્મળ જ્ઞાનજ્યોતિમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવતાં એ ભ્રમ ભાંગી જાય છે અને તેથી જ એકમાત્ર જ્ઞાનજ્યોતિને પ્રગટાવવાનો પુરુષાર્થ કરવો જોઈએ. તે વિના જીવનમાં અંધારું જ રહે છે. શાસ્ત્રમાં અનુભવીઓનું જે જ્ઞાન સંગૃહીત છે, તે પુરુષાર્થ કરીને સ્વાનુભવના સ્તરે ઉતાર્યા વિના માત્ર મુખપાઠના સ્તરે અટકાવી દેવાથી કોઈ પારમાર્થિક લાભ થતો નથી. તેવી શબ્દોની ચોરીથી અજ્ઞાન-અંધકાર દૂર થતો નથી. પ્રકાશ થાય તો અંધકાર ટકે નહીં, પણ પ્રકાશનો ભ્રમ હોય તો અંધકાર ન જ ટળે. કોઈ વ્યક્તિ ઓલવાયેલો દીવો લઈ અંધારામાં ઊભી રહે તો તેથી કંઈ અંધકાર નાશ ન પામે. જીવે દઢ સંકલ્પ કરી, પોતાની બધી શક્તિ એકત્રિત કરીને આત્મજ્ઞાન પ્રગટાવવાનો પુરુષાર્થ કરવો ઘટે છે. આત્મજ્ઞાન જ વિશ્રામનું સાચું સ્થળ છે. તૃષ્ણાતાપથી તપેલા અને અજ્ઞાનયાત્રાથી થાકેલા સાધયાત્રીને ત્યાં જ વિશ્રાંતિ અને છાયા મળે છે. તે સ્થળ મેળવવું જ જોઈએ. તેની દિશામાં પગલાં ઊપડવાં જ જોઈએ. આના ઉપરથી એ તથ્ય સ્પષ્ટ થાય છે કે “જ્ઞાન' શબ્દ દ્વારા અહીં અનુભવાત્મક બોધ, આત્મામાં વસવારૂપ જ્ઞાનપરિણમનરૂપ દશા અભિપ્રેત છે. આત્મા સંબંધીની ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત, ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ', ઢાળ ૧૫, દુહો ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy