SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૯૮ ૨૧૭ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે.” અજ્ઞાની જીવ પરના સંગે પોતાના સહજ સ્વભાવરૂપ પારિણામિક ભાવને ભૂલી ગયો છે. તેને પોતાના મૂળ સ્વરૂપનું ભાન નથી. અનાદિ કાળથી જીવ કર્મના નિમિત્તે જુદા જુદા દેહ ધારણ કરે છે. જ્ઞાનધારક એવો આત્મા અને અનંત પુદ્ગલપરમાણુઓનું બનેલું શરીર - આ બને તેને એક પિંડરૂપ જણાય છે. હાથીની સામે લાડવા અને ઘાસને એકસાથે મૂકવામાં આવે તો હાથી જેમ સ્વાદનો વિવેક કર્યા વગર તે બન્નેને ભેગા ખાઈ લે છે, તેમ અજ્ઞાની જીવ પણ આત્મા અને શરીરનો વિવેક કર્યા વગર તે બનેને એકપણે અનુભવે છે. પોતે જ્ઞાનસ્વભાવી હોવા છતાં અને પુદ્ગલપરમાણુઓનો બનેલો દેહ વર્ણાદિ સ્વભાવવાળો હોવા છતાં, સ્વ-પરના વિવેકના અભાવે તે પોતાને દેહરૂપ માને છે. વળી, સ્વરૂપવિસ્મૃતિના કારણે તેને પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ અને ક્ષણિક વિકારી અવસ્થા વચ્ચે ભેદ પણ ભાસતો નથી અને તે ક્રોધાદિ વિકારી ભાવો તથા જ્ઞાનાદિની અધિકતા-હીનતારૂપ અવસ્થા સાથે એકત્વ કરે છે. કર્મકૃત અવસ્થાઓને અને ભાવોને પોતારૂપ માનવા તે જ કર્મભાવ છે, અજ્ઞાન છે. જેમ કે મનુષ્ય ગતિ નામ કર્મના ઉદયથી જીવ મનુષ્યદેહ ધારણ કરે છે. દેહ મનુષ્યનો છે છતાં પોતાને મનુષ્ય સમજવું એ અજ્ઞાન છે, તેમજ કષાયચારિત્રમોહનીયના ઉદયથી થતા ક્રોધાદિ વિકારી ભાવોને પોતાના ભાવો સમજવા તે પણ સ્વસ્વરૂપનું અજ્ઞાન જ છે. આમ, સ્વસ્વરૂપના અજાણપણાના કારણે જીવ પરદ્રવ્યોની સ્વસ્વરૂપમાં ભેળસેળ કરે છે, જડની ચેતનમાં ખતવણી કરે છે. આ ભૂલના કારણે તેને પરમાં અહં-મમબુદ્ધિ વર્તે છે. પરથી તેને સુખ મળે છે એમ તે માને છે, તેથી તે પરનો કર્તા-ભોક્તા થાય છે અને કર્મ ઉપાર્જન કરી સંસારની વૃદ્ધિ કરે છે. જેમ ઊંધા ઘડા ઉપર બીજા ઘડા ગોઠવીએ તો તે બીજા બધા ઘડા પણ ઊંધા જ ગોઠવાય, તેમ જીવની ઊંધી માન્યતાના કારણે તેનું બધું વર્તન ઊંધું થવાથી તે જીવનો સંસાર અનંત કાળ સુધી લંબાય છે. જો જીવ પોતાનો ભમ ટાળીને સાચું ભાન પ્રગટાવે કે કર્મકૃત વ્યક્તિત્વ તથા કર્મકૃત ભાવ તે પોતાનું - આત્માનું મૂળ સ્વરૂપ નથી, આત્મા તો દેહાદિ પરસંયોગ તથા રાગાદિ પરભાવોથી સર્વથા ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વભાવી છે; તો જ તેનું સંસારપરિભ્રમણ અટકે. ચિત્તવૃત્તિપ્રવાહ સાંયોગિક, ક્ષણિક અને ઉપાધિવાળી અવસ્થામાં ન જોડાતાં અસંયોગી, ત્રિકાળી અને ઉપાધિરહિત આત્મસત્તામાં જોડાય તો મોક્ષ થાય. જીવની ત્રિકાળી તાત્ત્વિક સત્તાને તે' અને કર્મત ક્ષણિક વ્યાવહારિક સત્તાને ‘આ’ દ્વારા અભિવ્યક્ત કરી, એક પ્રતીકાત્મક શૈલીમાં વસ્તુસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ. સમ્યજ્ઞાન થવા માટે ‘આ’ અને ‘તે' બનેનું જ્ઞાન જરૂરી છે. બેમાંથી એકને ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૬૯ (પત્રાંક-૬૦૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy