SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૯૨ ૧૪૭ મોક્ષના ઉપાયનો નિષેધ કરે છે.' આમ, અનુપાયવાદીઓ મોક્ષપદનો સ્વીકાર કરવા છતાં મોક્ષના ઉપાયનો નિષેધ કરે છે. પ્રસ્તુત ગાથામાં જોવા મળે છે કે સુશિષ્યને પૂર્ણ શુદ્ધ અવસ્થારૂપ મોક્ષનો યથાર્થ નિર્ણય થયો છે, પરંતુ મોક્ષનો અવિરોધ ઉપાય હજુ લક્ષમાં આવ્યો નથી. તેથી તે કહે છે કે કદાપિ મોક્ષની પ્રાપ્તિ સંભવતી હોય તો પણ તેને પામવાનો કોઈ યથાતથ્ય ઉપાય જણાતો નથી. તેના અંતરમાં રહેલી શંકાના સમર્થનમાં દલીલ રજૂ કરતાં તે કહે છે કે અનંત કાળથી કર્મબંધ થતો આવ્યો હોવાથી અનંત કર્મોનો પુંજ એકઠો થયો છે. તે પુંજ આ મનુષ્યભવના સીમિત આયુષ્યમાં કોઈ ઉપાયથી નષ્ટ થઈ શકે છે એમ માની શકાતું નથી. શિષ્યના અંતરમાં રહેલી શંકાને સમજાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે – સમયે સમયે જીવ અનંત કર્મબંધન કરી રહ્યો છે. અને તેમ કર્મ કરતાં કરતાં અનંત કાળ વ્યતીત થયો છે. એટલે અનંત કર્મોનો રાશિ સંચિત થતો થતો મેરુ જેવો મહારાશિ મહાપર્વત બની ગયો છે. તે અનંત કર્મરાશિને અનંતકાળની અપેક્ષાએ જે ક્ષણ માત્ર એવા અલ્પ આયુષ્યસ્થિતિવાળા મનુષ્યદેહથી - “બહુ પુણ્યકેરા પુંજથી, શુભદેહ માનવનો મળ્યો' - એવા માનવદેહથી કેમ - કેવા પ્રકારે - શી રીતે છેદતાં છેદતાં પણ છેદ્યાં જાય?' શિષ્યના મનમાં એવી શંકા છે કે જીવે કર્મ બાંધવામાં અનંત કાળ કાઢ્યો છે, તો એટલો જ કાળ તેને છેદવા માટે પણ જોઈએ. આત્મા ઉપર કર્મો તો અનાદિ કાળથી જ લાગેલાં છે. ભૂતકાળમાં આ જીવ અનંત કર્મો કરતો જ રહ્યો છે અને આ મનુષ્યભવનું આયુષ્ય તો એટલું અલ્પ છે કે આટલા અલ્પ આયુષ્યમાં અનાદિ કાળનાં એકઠા કરેલાં અનંતાનંત કર્મોનો નાશ શી રીતે થઈ શકે? મનુષ્ય ગમે તેટલો પુરુષાર્થ કરે તોપણ અનાદિ કાળનાં બાંધેલાં કર્મો અલ્પ કાળમાં સંપૂર્ણપણે નાશ થઈ શકે એવો કોઈ અચૂક ઉપાય હોય એમ જણાતું નથી. શિષ્ય મોક્ષના અચૂક ઉપાયનો નિર્ણય કરી શકતો નથી. તેથી તે પોતાની આ મુશ્કેલી રજૂ કરી, જો મોક્ષનો કોઈ અવિરોધ ઉપાય હોય તો તે સમજાવવા શ્રીગુરુને વિનંતી કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘હોય કદાપિ મોક્ષપદ, સિદ્ધસ્વરૂપી ભાવ; ઘણું પરોક્ષપણે રહ્યું, મને કેમ એ દાવ. ૧- આ ચાર દલીલોનું સમાધાન ગાથા ૯૯ના વિવેચનમાં કરવામાં આવ્યું છે. ૨- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૩૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy