SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. મોક્ષ અવસ્થામાં ૨૧ પ્રકારનાં દુઃખોનો પૂર્ણતયા વિનાશ થઈ જાય છે, જેના કારણે પુનઃ દુઃખ ઉત્પન્ન થવાની સંભાવના જ રહેતી નથી. દુઃખની આત્યંતિક નિવૃત્તિ સાથે જ સુખની પણ આત્યંતિક નિવૃત્તિ થાય છે. ન્યાય-વૈશેષિક દર્શનમાં મોક્ષની સ્થિતિને સુખરહિત શૂન્ય જેવી કલ્પી છે. દુઃખનો અભાવ હોવાથી સુખનો પણ અભાવ કચ્યો છે. તેમના મત મુજબ સુખ અને દુઃખ, એ બન્નેથી પર હોવું તે મોક્ષ અવસ્થા છે. આત્માને મુક્તિ મળે ત્યારે બુદ્ધિ વગેરે ગુણોનો સર્વથા ઉચ્છેદ થાય છે, એટલે મુક્તિને સુખમય માની શકાય નહીં એમ નૈયાયિકો-વૈશેષિકો કહે છે. ન્યાય-વૈશેષિક દર્શનના ઉક્ત મત ઉપર વિચાર કરતાં તે અસંગત પ્રતીત થાય છે. તેમનો મત યુક્તિસંગત નથી. તે ચૈતન્યને આત્માનો આકસ્મિક ધર્મ માને છે, પરંતુ ચૈતન્ય એ આત્માનો આનુષંગિક ગુણ હોઈ શકે નહીં, આત્મા ચૈતન્યસ્વરૂપી જ હોઈ શકે, કારણ કે પોતાનો આત્મા જ્ઞાનસ્વરૂપ છે એ તો દરેક જીવ સ્વાનુભવથી જાણી શકે જ છે, એટલે કે સ્વાત્માની જ્ઞાનસ્વરૂપતા સ્વસંવેદનપ્રત્યક્ષથી સિદ્ધ છે જ. સર્વનો અનુભવ છે કે જો ઇન્દ્રિયોનો વ્યાપાર બંધ પડી જાય તો પણ આત્મા ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ પદાર્થનું સ્મરણ કરી શકે છે અને ક્યારેક ઇન્દ્રિયવ્યાપારો હોવા છતાં પણ અન્યમનસ્કતાના કારણે પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી. આના ઉપરથી આત્મા જ્ઞાનસ્વભાવી છે એમ સિદ્ધ થાય છે. ન્યાય-વૈશેષિક દર્શનનું કહેવું છે કે બુદ્ધિ આદિ ગુણ આત્માથી ભિન્ન છે. આત્મા નિત્ય છે એટલે તેનો ક્યારે પણ ઉત્પાદ કે નાશ નથી થતો, કિંતુ ગુણ ઉત્પન્ન અને નષ્ટ થાય છે; માટે બન્નેમાં સ્વભાવભેદ છે. પરંતુ આમ માનવામાં આવે તોપણ જ્ઞાનાદિને આત્માથી સર્વથા ભિન્ન માની શકાતાં નથી. જ્ઞાનાદિની ઉત્પત્તિ અને નાશ પર્યાયની અપેક્ષાએ જ થાય છે, સર્વથા નહીં. જ્ઞાન આત્માનો સ્વભાવ છે, એટલે આત્મા કદી પણ જ્ઞાનથી શૂન્ય થઈ શકતો નથી. જે પ્રકારે અગ્નિ ક્યારે પણ ઉષ્ણતાને છોડી શકતો નથી, તે જ પ્રકારે આત્મા પણ જ્ઞાનશૂન્ય થઈ શકતો નથી. જ્ઞાન આદિ ગુણોને આત્માથી સર્વથા ભિન્ન માનવાં પણ યોગ્ય નથી, કારણ કે ગુણ અને ગુણીમાં હંમેશાં તાદાભ્ય હોય છે. ગુણ અને ગુણીમાં સર્વથા ભેદ માનવો યોગ્ય નથી, કારણ કે તેમ માનવાથી આત્મા જ્ઞાનાદિ ગુણ રહિત હોવાના કારણે સ્વરૂપથી જડ (અચેતન) સિદ્ધ થાય છે, જે ક્યારે પણ સંભવતું નથી; માટે આત્માને જ્ઞાનાદિ ગુણોથી અભિન્ન માનવો જોઈએ. જો આત્મા જ્ઞાનાદિ ગુણોથી અભિન્ન હોય અને મુક્તાવસ્થામાં જ્ઞાનાદિ ગુણોનો નાશ સ્વીકારવામાં આવે તો આત્માનો પણ નાશ સ્વીકારવો પડે. પરંતુ તે પણ તૈયાયિકો-વૈશેષિકોને માન્ય નથી. જ્ઞાન અને સુખ આત્માના નિજગુણો છે. ગુણોનો કદી નાશ થતો નથી. આત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy