SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન આમાં પ્રથમ ક્રિયા જડની છે, બીજી અને ત્રીજી અનુક્રમે ચેતનની અશુભ અને શુભ વિકા૨ી ક્રિયા છે અને ચોથી ચેતનની અવિકારી ક્રિયા હોવાથી ધર્મની ક્રિયા છે. ८४ ધર્મની શરૂઆત કરવા માટે જીવે સદ્ગુરુનાં વચનામૃતના આધારે પ્રથમ નિર્ણય કરવો ઘટે છે કે ‘ત્રણ પ્રકારની ક્રિયા એકસાથે થઈ રહી છે. એક શરીરની ક્રિયા, બીજી શુભાશુભવિકારી પરિણામરૂપ ક્રિયા અને ત્રીજી ક્ષપ્તિક્રિયા. શરીર તથા શુભાશુભ પરિણામોની વિવિધ અવસ્થાઓથી ભિન્ન એવો હું તેને સતત જાણવાવાળો છું. જ્ઞપ્તિક્રિયા મારા જ્ઞાતાસ્વભાવમાંથી ઉત્પન્ન થાય છે, તે મારી પોતાની ક્રિયા છે; જ્યારે બીજી બે ક્રિયાઓ શરીરની તથા શુભાશુભ ક્રિયાઓ કર્મના કારણે થઈ રહી છે. અત્યાર સુધી આ બે કર્મકૃત ક્રિયાઓમાં જ મેં મારાપણું માન્યું હતું, તે ક્રિયાઓ મારી છે એમ માન્યું હતું, પરંતુ તે ભૂલ છે. હવે મારું પોતાપણું માત્ર જાણનારમાં સ્વભાવમાં આવવું જોઈએ.' જ્ઞાયક દેહ અને રાગાદિ દશ્ય છે અને જીવ દ્રષ્ટા છે. તે સર્વ જ્ઞેય છે અને જીવ જ્ઞાયક છે. પરંતુ જીવે પોતાના મિથ્યા અભિપ્રાય વડે દેશ્ય અને દ્રષ્ટા વચ્ચે, શેય અને જ્ઞાયક વચ્ચે એકતા સ્થાપી છે. જો જીવે ધર્મક્રિયા કરવી હોય તો તેણે દેહ અને રાગાદિથી પોતાના જ્ઞાયકસ્વભાવને ભિન્ન જાણવો જોઈએ. માત્ર જાણનક્રિયામાં પોતાપણું તાદાત્મ્ય સ્થાપવું જોઈએ. નિરંતર જ્ઞાયકસ્વભાવની સ્મૃતિ રહેવાથી ઉપયોગ સૂક્ષ્મ થતો જાય છે, અંતર્મુખ થતો જાય છે, દ્રવ્યદળમાં સરકતો જાય છે. જ્ઞાયકભાવનો અભ્યાસ નિરંતર કરતા રહેવાથી જીવની મૂર્છા ટળતી જાય છે. સજાગતાથી જ સર્વ પડદા ખસી જાય છે, સ્વરૂપ અનાવૃત થઈ જાય છે અને એ જીવ એક ગહન શાંતિ અનુભવે છે. તેનો ભગવત્તામાં પ્રવેશ થાય છે. એક વાર ભગવત્તામાં ડૂબીને જીવ જ્યારે બહાર નીકળે છે ત્યારે તે કોઈ અન્ય જ વ્યક્તિ હોવાનું અનુભવે છે; જાણે તદ્દન નવી વ્યક્તિનો જન્મ થયો હોય, એક જ્યોતિર્મય વ્યક્તિનો જન્મ થયો હોય એવું તે અનુભવે છે. દૃષ્ટિ નિર્દોષ થતાં તેનું આખું વ્યક્તિત્વ બદલાઈ જાય છે. હવે તેને પોતાના ત્રિકાળીશુદ્ધ સ્વરૂપની પ્રતીતિ નિરંતર રહે છે. તે આ જગતમાં જ હોય છે, પણ જગતના જીવોથી સાવ જુદો હોય છે. તે હવે એક જુદા જ દૃષ્ટિકોણથી જીવે છે. દર્શન સમ્યક્ થયા પછી પરજ્ઞેય જુદા પ્રકારે જણાય છે. પરસંયોગ સાથેનો વ્યવહાર પણ જુદા પ્રકારનો થાય છે. જીવનમાં માત્ર શાંતિ અને આનંદ રહે છે. આવી અદ્ભુત દશા પામવા જીવે જ્ઞાતા-દ્રષ્ટાભાવનો અભ્યાસ કરવો જોઈએ, કર્તૃત્વ-ભોતૃત્વબુદ્ધિથી વિરામ પામી જ્ઞાતા-દ્રષ્ટાભાવ કેળવવો જોઈએ. જીવનું સ્વરૂપ જ્ઞાતા-દ્રષ્ટા છે, તે પરનું કંઈ કરવા-ભોગવવા સમર્થ જ નથી; માટે પરના કર્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy