SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ ७४४ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ પ્રમાણે કર્મની દસ અવસ્થાઓ છે. તેની વિચારણા જૈન શાસ્ત્રોમાં પદ્ધતિસર નિરૂપાયેલી જોવા મળે છે. કયા જીવમાં કયાં કર્મ - બંધ, ઉદય, ઉદીરણા, સત્તા ઇત્યાદિ દૃષ્ટિએ હોય છે તેનું વર્ગીકૃત વ્યવસ્થિત નિરૂપણ જૈન શાસ્ત્રોમાં છે. જૈન દર્શનમાં કર્મની બંધાદિ અવસ્થાઓ, કર્મનાં લક્ષણ, તેનાં પ્રકાર, પેટા પ્રકાર ઇત્યાદિ અંગે ખૂબ સૂક્ષ્મતાથી નિરૂપણ કરવામાં આવ્યું છે. આત્માની સાથે કર્મનો બંધ કેવો થાય છે? એનાં કારણો કયાં છે? પ્રત્યેક કર્મ કેવી રીતે બંધાય છે? કયા કારણે કર્મમાં કેવી શક્તિ ઉત્પન્ન થઈ જાય છે? કર્મનાં કેવાં કેવાં ફળ ભોગવવાં પડે છે? આત્મા સાથે કર્મનો સંબંધ કેટલા કાળ સુધી રહે છે? વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા વખત સુધી કર્મ આત્માને વળગી રહે છે? આત્માને લાગેલું કર્મ પણ કેટલા વખત સુધી વિપાક - ફળ આપવામાં અસમર્થ છે? વિપાકના નિશ્ચિત સમયમાં પણ ફેરફાર થઈ શકે કે નહીં? એક કર્મ બીજા કર્મમાં ક્યારે ફેરવાઈ જાય છે? એની બંધ સમયની શક્તિમાં કેવી રીતે ફેરફાર થઈ શકે? પાછળથી વિપાક - ફળ આપનારું કર્મ પહેલાં પણ ક્યારે અને કેવી રીતે ભોગવી શકાય છે? કર્મ ગમે તેટલું બળવાન કેમ ન હોય, તોપણ આત્માનાં શુદ્ધ પરિણામોથી એ વિપાકને કેવી રીતે રોકી શકાય છે? ક્યારેક ક્યારેક આત્મા સેંકડો પ્રયત્ન કરે તો પણ કર્મ પોતાનો વિપાક ચખાડ્યા વગર કેમ છૂટતું નથી? બંધ અને ઉદયની દૃષ્ટિથી કયાં કયાં કર્મ એકબીજાનાં વિરોધી છે? કયા કર્મનો બંધ, કઈ અવસ્થામાં અવયંભાવી છે અને કઈ અવસ્થામાં અનિયત છે? કયા કર્મનો વિપાક કઈ સ્થિતિ સુધી નિયત અને કઈ સ્થિતિમાં અનિયત છે? આત્મા સાથે જોડાયેલ અતીન્દ્રિય કર્મરાજ કેવા પ્રકારની આકર્ષણશક્તિથી પુદ્ગલોને આકર્ષ્યા કરે છે અને એ દ્વારા કેવી રીતે શરીર, મન વગેરેની રચના કરે છે? આત્મા કેવી રીતે કર્મનો કર્તા અને ભોક્તા છે? આમ હોવા છતાં પણ વસ્તુતઃ આત્મામાં કર્મનું કર્તુત્વ અને ભોસ્તૃત્વ કેવી રીતે નથી? શુદ્ધસ્વભાવી આત્મા કર્મના પ્રભાવે કેવી રીતે મલિન જેવો દેખાય છે? બાહ્ય હજારો આવરણ હોવા છતાં પણ આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપથી ચલિત કેવી રીતે નથી થતો? સંક્લેશપરિણામ પોતાની આકર્ષણશક્તિ વડે એક પ્રકારની સૂમ રજને ખેંચીને આત્મા ઉપર તેનું આચ્છાદન કેવી રીતે નાખે છે? આત્મા પુરુષાર્થ વડે આ સૂક્ષ્મ રજના આચ્છાદનને કેવી રીતે હટાવે છે? તે પોતાની ઉત્ક્રાંતિના સમયે પહેલાં બાંધેલાં ઉગ કર્મોને કેવી રીતે દૂર કરે છે? તે પોતામાં રહેલા પરમાત્મભાવનાં દર્શન કરવા માટે જ્યારે ઉત્સુક થાય છે ત્યારે એમાં અંતરાયરૂપ થતાં કર્મો અને તેની વચ્ચે કેવું લંકયુદ્ધ જામે છે? અંતમાં વીર્યવાન આત્મા કેવી જાતનાં પરિણામોથી બળવાન કર્મોને પણ કમજોર કરીને પોતાના પ્રગતિમાર્ગને નિષ્ફટક બનાવે છે? જીવ પોતાનાં શુદ્ધ પરિણામોની પરંપરારૂપી વીજનિક યંત્રથી કર્મરૂપી પહાડોના કેવી રીતે ટુકડે ટુકડા કરી નાખે છે? વળી, ક્યારેક ક્યારેક થોડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy