SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ્ઞાનાવરણીયાદિ કર્મનો બંધ કરે છે, તેમજ પૂર્વે બાંધેલાં વિવિધ કર્મોનું પ્રત્યેક સમયે ફળ ભોગવતો હોય છે. તમામ સંસારી જીવો કર્મના કર્તા તથા ભોક્તા છે. શ્રીમદ્ ‘પંચાસ્તિકાય'ના અનુવાદ અંતર્ગત લખે છે – ‘જીવ અને પુદ્ગલસમૂહ અરસપરસ મજબૂત અવગ્રાહિત છે. યથાકાળે ઉદય થયે તેથી જીવ સુખદુઃખરૂપ ફળ વેદે છે. તેથી કર્મભાવનો કર્તા જીવ છે અને ભોક્તા પણ જીવ છે. વેદક ભાવને લીધે કર્મફળ તે અનુભવે છે. એમ કર્તા અને ભોક્તા આત્મા પોતાના ભાવથી થાય છે.'૧ આત્મા કર્મનો કર્તા અને ભોક્તા છે. આત્મા એક સ્વતંત્ર તત્ત્વ છે અને એ જાણતાં-અજાણતાં જે કંઈ શુભ-અશુભ કર્મ કરે છે, એનું ફળ તેણે ભોગવવું જ પડે છે. દરેક આત્માએ પોતે બાંધેલાં શુભાશુભ કર્મનાં ફળ અવશ્ય ભોગવવા પડે છે અને એટલા માટે તેને પુનર્જન્મના ચકરાવામાં ફરવું પડે છે. જગતમાં જીવોની વિચિત્રતા, સુખ-દુઃખાદિને જોવાથી અનુમાન થઈ શકે છે કે પોતાનાં વિભાવપરિણામના નિમિત્તે બંધાયેલાં દ્રવ્ય કર્મનાં ફળનો આત્મા ભોક્તા છે. તે પોતાનાં શુભાશુભ કર્મોનું ફળ ભોગવે છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે – તે શુભાશુભ કર્મનું ફળ ન થતું હોય, તો એક રાંક અને એક રાજા એ આદિ જે અનેક પ્રકારથી ભેદ છે, તે ન હોવા જોઈએ. કારણ બધામાં જીવપણું સમાન છે તથા મનુષ્યપણું સમાન છે, તો પછી સર્વને સુખ તથા દુ:ખ સમાન જોઈએ તેને બદલે આવું વિચિત્રપણું જણાય છે, તે જ શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલો ભેદ છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. જીવનાં શુભાશુભ કર્મનો ઉદય તે કારણ છે અને જણાવ્યા પ્રમાણે તે જ શુભાશુભ કર્મનાં ફળરૂપ વિચિત્રતા અને ભેદ તે કાર્ય છે. આમ, પ્રસ્તુત ગાથામાં શ્રીગુરુ જણાવે છે કે આ જગતમાં રાજા-રંક, ઊંચ-નીચ, પંડિત-મૂર્ખ, સુરૂપ-કુરૂપ આદિ અનેક પ્રકારના ભેદ પ્રવર્તે છે. જગતના જીવોમાં સર્વત્ર વિષમતા જોવા મળે છે. કારણ વિના આ કાર્ય સંભવી શકે નહીં. આ કાર્યનું કોઈ કારણ અવશ્ય હોવું જોઈએ અને તે કારણ છે જીવે નિબંધન કરેલ શુભાશુભ કર્મ. એક રાંક અને એક નૃપ એ આદિ જીવોનું વિચિત્રપણું કર્મના કારણે છે અને એ જ જીવનું શુભાશુભ કર્મનું ભોગવવાપણું સિદ્ધ કરે છે. આ પ્રમાણે ગાથા ૭૯ના ઉત્તરાર્ધમાં શિષ્ય રજૂ કરેલી શંકા “શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય?’નું આ ત્રિરત્નરૂપ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૯૦ (અંક-૭૬૬, ૬૭-૬૯) ૨- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)' ,ચોથી આવૃત્તિ, પૃ. ૨૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy