SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૮૩ ૬૯૫ કરી દેવાં તથા તેના જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ સ્વભાવનું નક્કી થયું - આ બન્ને યોગ દ્વારા થાય છે. તેને પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ કહે છે. યોગ દ્વારા ગ્રહણ થયેલાં કર્મપરમાણુઓનું પરિમાણ તે પ્રદેશ છે, તેનો બંધ થાય છે ત્યારે તેમાં મૂળ-ઉત્તર પ્રકૃતિઓના વિભાગ થાય છે, તેથી યોગ વડે પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ થાય છે. યોગના નિમિત્તથી કર્મનું આગમન થાય છે, માટે યોગ તે આસવ છે. આ યોગાસવની જવાબદારી કર્મની પ્રકૃતિ અને તેના પ્રદેશના માત્ર નિયામક બનવાનું છે. તેનું કર્તવ્ય માત્ર કર્મવર્ગણાને ખેંચવાનું - તેનો જથ્થો ભેગો કરવાનું અને પછી તેની મૂળ અને ઉત્તર પ્રકૃતિરૂપે વહેંચણી કરવાનું છે. તે કર્મ કેટલા કાળ સુધી રહેવાનું છે તથા તેની ફળદાયી શક્તિનું તારતમ્ય કેટલું છે, તે સાથે યોગાસવને સંબંધ નથી. તેનો આધાર કષાય ઉપર છે. કષાય એટલે મોહના ઉદયથી મિથ્યાત્વ અને ક્રોધાદિ ભાવ ઉપસ્થિત થવો તે; આત્માના સ્વરૂપજ્ઞાનરૂપ સમ્યક્ત્વનો, સ્વરૂપાચરણરૂપ દેશચારિત્રનો, સકલ ચારિત્રનો અને યથાખ્યાત ચારિત્રનો રોધ કરે તે. મોહના ઉદયથી જે મિથ્યાત્વ, ક્રોધાદિરૂપ ભાવ થાય છે તે સર્વનું સામાન્ય નામ કષાય છે. રાગ-દ્વેષભાવોની પરિણતિને કષાય કહે છે. ક્રોધ, માન, માયા અને લોભરૂપ આત્માનાં વિભાવપરિણામો તે કષાય. કર્મરૂપે ગ્રહણ થયેલાં પુદ્ગલપરમાણુઓના કાળ અને વિપાકની તીવ્રતા-મંદતાનો નિશ્ચય આત્માના અધ્યવસાય એટલે કે કષાયની તીવ્રતા અને મંદતા અનુસાર હોય છે. કષાયોની તીવ્રતા અને મંદતા પ્રમાણે તે કર્મપુદ્ગલમાં સ્થિતિ અને ફળ આપવાની શક્તિ નક્કી થાય છે, તે સ્થિતિબંધ અને અનુભાગબંધ છે. કર્મો કેટલા કાળ સુધી ટકશે એટલે કે સ્થિતિબંધ અને કેવું તીવ્ર અથવા મંદ ફળ આપશે એટલે કે અનુભાગબંધ, એ બન્નેનો આધાર આત્માના કષાયભાવ ઉપર રહેલો છે. એ બન્ને બંધ કષાયથી થાય છે. જે આત્મા તેની સાંપ્રત સ્થિતિમાં કષાયભાવ વિના એક સમય પણ રહી શકતો નથી તે કષાયાત્મા છે. વ્યક્ત કે અવ્યક્ત કષાયભાવ અગિયારમા ઉપશાંત મોહ ગુણસ્થાન સુધી રહે છે અને ત્યાં સુધી અશુભ યોગ વડે પાપાસવ હોવાનું જૈન શાસ્ત્રમાં કહ્યું છે. કષાય વડે આત્મા પ્રત્યેક સમયે આયુષ્ય કર્મ સિવાયનાં સાતે કર્મોનું ગ્રહણ કરે છે. આયુષ્ય કર્મનો બંધ આખા ભવમાં એક જ વાર થાય છે. કષાયના બહુત્વથી સર્વ પ્રકૃતિની સ્થિતિનો બંધ ઘણો થાય છે, પરંતુ દેવ તથા મનુષ્ય સંબંધી આયુષ્યની સ્થિતિ અલ્પ બંધાય છે, જ્યારે તેના અલ્પત્વથી લાંબી બંધાય છે. ઘાતી કર્મની સર્વ પ્રકૃતિમાં અને અઘાતી કર્મની પાપપ્રકૃતિમાં કષાયના અલ્પત્વથી અનુભાગબંધ અલ્પ અને બહુત્વથી ઘણો થાય છે, જ્યારે પુણ્યપ્રકૃતિનો અનુભાગબંધ કષાયની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy