SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૭૭ પ૮૧ પણ રોગ નથી તો બીજો રોગમાં રિબાય છે, અસહ્ય પીડા ભોગવે છે. એકને લીલાલહેર છે તો બીજાને હાડમારીઓનો પાર નથી. એકના ઘરમાં પુષ્કળ ખાવાનું છે તો બીજાને ત્રણ ત્રણ દિવસથી ભીખ માંગવા છતાં પણ ખાવા મળતું નથી. એકની પાસે અઢળક પૈસો છે તો બીજા પાસે ઉપર આભ અને નીચે ધરતી જ છે. કોઈને મગજશક્તિ બધાને આશ્ચર્ય પમાડે તેવી મળી છે તો કોઈને જન્મથી મગજશક્તિ નબળી મળી છે. કોઈને રૂપ-રંગ-સૌંદર્ય-લાવણ્ય અદ્ભુત મળ્યું હોય છે તો કોઈને કદરૂપું, ઊંટના અઢારે અંગ વાંકા જેવું ખૂધવાળું શરીર મળ્યું હોય છે. કોઈ અતિશય લાંબો, કોઈ ખૂબ ટૂંકો, કોઈ અતિશય પાતળો, કોઈ ખૂબ જાડો હોય છે. કોઈ ઘણું લાંબુ જીવે છે તો કોઈ બાલ્યાવસ્થામાં જ મરી જાય છે. આ બધું જો ઈશ્વર કરતો હોય તો તે આવો ભેદભાવ શા માટે કરે છે? પિતા જેમ પુત્રની ઉત્પત્તિ કરે છે, તેમ ઈશ્વર સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ કરતો હોય તો ઈશ્વર પિતારૂપ અને સર્વ પ્રાણીઓ પુત્રરૂપ માનવા જોઈએ. પુત્રની ઉપર પિતાને પ્રેમ હોય એ સ્વાભાવિક સિદ્ધ છે, તેથી ઈશ્વરને પણ સર્વની ઉપર પ્રેમ હોવો જોઈએ. જો એમ હોય તો સર્વ પ્રાણી સુખી હોવા જોઈએ, પરંતુ તેમ તો જોવા મળતું નથી. કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ પુણ્યવાન, કોઈ પાપી, કોઈ સ્વર્ગગામી, કોઈ નરકગામી એમ અનેક જુદી જુદી અવસ્થાઓ જોવા મળે છે. જો કરુણાથી જ જગતનું નિર્માણ કરવામાં ઈશ્વર પ્રવૃત્ત થતા હોય તો પછી એ કરુણા તો બધાને સુખી જ બનાવેને? એકને પણ દીન, ગરીબ, રોગી વગેરે બનાવે જ શા માટે? ઈશ્વર સર્વશક્તિમાન હોય અને વળી દયાળુ ભાવથી જ જગતનું નિર્માણ કરતા હોય તો એક પણ જીવને દુઃખી બનાવવાનું કોઈ કારણ જ રહેતું નથી. તો પછી કરુણાવંત ઈશ્વર જગતમાં દુઃખ અને દુઃખી પ્રાણીઓનું સર્જન જ શા માટે કરે? ઉત્તમમાં ઉત્તમ એવો ઈશ્વર જીવોને દુઃખી શા માટે કરે? જગત રચીને એમાં મૃત્યુ વગેરે શા માટે મૂકે? શ્રીમદ્ લખે છે – જગત રચવાની પરમેશ્વરને અવશ્ય શી હતી ? રચ્યું તો સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું? રચીને મોત શા માટે મૂક્યું? એ લીલા બતાવવી કોને હતી? રચ્યું તો કયા કર્મથી રચ્યું? તે પહેલાં રચવાની ઇચ્છા કાં નહોતી? ઈશ્વર કોણ? જગતના પદાર્થ કોણ? અને ઇચ્છા કોણ?’ જગતને બનાવવાવાળો ઈશ્વર સર્વશક્તિમાન હોવાથી અને પોતાની ઇચ્છાથી તેણે જગત રચ્યું હોવાથી તે સુખને અર્થે ઇષ્ટ રચના જ કરે; પણ જગતમાં તો ઇષ્ટ પદાર્થો ધોડા અને અનિષ્ટ પદાર્થો વધારે દેખાય છે. ઇયળ, કીડી, સૂવર આદિ અનિષ્ટ અને - શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૨૬ (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૯૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy